________________
ગોશાલક સુધી પણ વાત પહોંચતા વાર ન લાગી. એને પોતાની વાર્તા પ્રકટ થવાથી ગુસ્સો આવવો સ્વાભાવિક છે. તે આતાપના ભૂમિથી ઉતરીને પોતાના સ્થાન પર આવીને બેસી ગયો. ગોશાલક અને આનંદ શ્રમણ :-- ભગવાનની આજ્ઞા લઈને આનંદ નામનો સ્થવિર શ્રમણ છઠના પારણે નગરીમાં ગોચરીને માટે ગયો. ભ્રમણ કરતાં તે ગોશાલકના સ્થાનની નજીકથી જઈ રહ્યો હતો. ગોશાલકે આનંદ શ્રમણને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે આનંદ ! તું મારી પાસેથી એક દૃષ્ટાંત સાંભળ ગોશાલકે પોતાનું કથન શરૂ કર્યું. વ્યાપારીનું દૃષ્ટાંત :– કોઈ એક સમયે કેટલાક વ્યાપારી ધન કમાવા માટે યાત્રા કરવા નીકળ્યા. માર્ગમાં ભયંકર જંગલ આવ્યું આજુ-બાજુ કોઈ ગામ ન હતું. એમની પાસેનું પાણી પૂરું થઈ ગયું. પાણીની શોધ કરતાં-કરતાં એમણે એક વલ્ભીક(બાંબી) જોઈ. જેને ચાર સુંદર શીખર લાગેલ હતા. પરસ્પર વિચાર કરી ને તે ત્યાં રોકાયા અને એક શીખરને પાણીની આશાથી તોડ્યું, ઈચ્છાનુસાર એને સુંદર મધુર પાણી પ્રાપ્ત થયું. બધાએ તરસ છીપાવી અને પોતાની પાસેના જળ કુંભોમાં છલોછલ પાણી ભરી લીધું. પરસ્પર વિચાર વાર્તા થઈ અને બીજું શીખર સોનાની ઈચ્છાથી તોડ્યું, એમાં પણ એમને ઈચ્છિત પ્રચુર સોનું પ્રાપ્ત થયું. પોતાની પાસે રહેલા ગાડાઓમાં ઈચ્છા પ્રમાણે સોનું ભરી લીધું. પછી રત્નોની આશાથી ત્રીજું શીખર તોડ્યું. એમાં પણ એમને સફળતા મળી. ઈચ્છિત રત્નોની રાશિ પણ પોત-પોતાના ગાડામાં ભરી લીધી. લોભ સંજ્ઞા અનેક ગણી વધી, ચોથું શિખર તોડવાની વિચારણા ચાલી. ત્યારે એક અનુભવી હિતપ્રેક્ષી વ્યાપારીએ નિષેધ કર્યો કે આપણને ઈચ્છિત સામગ્રી મળી ચૂકી છે અને હવે ચોથા શિખરને ન તોડવું જોઈએ. સંભવ છે કે આને તોડવાથી કોઈ આપત્તિનું કારણ બની શકે. એ અનુભવી વ્યક્તિએ આગ્રહ કર્યો પરંતુ બહુમતીની આગળ એનું કાંઈ ન ચાલ્યું ચોથું શિખર તોડ્યું. એમાંથી દષ્ટિ વિષ સર્પ નીકળ્યો.વલ્ભીકની ઉપર ચડીને સૂર્યની તરફ જોયું અને પછી વ્યાપારી વર્ગ તરફ અનિમેષ દૃષ્ટિથી જોયું અને તેઓને એના બધા ઉપકરણ સાથે સળગાવીને ભસ્મ કરી દીધા. જેણે ચોથું શિખર તોડવાની મનાઈ કરી હતી એના પર અનુકંપા કરીને એ નાગરાજ દેવે એનો સામાન, સંપત્તિ સહિત એને એના નગરમાં પહોંચાડી દીધો.
ગોશાલક દ્વારા ધમકી :- હે આનંદ ! આ રીતે તારા ધર્માચાર્યે બહુ જ ખ્યાતિ, આદર સન્માન પ્રાપ્ત કરી લીધા છે. હવે જો મારા વિષયમાં કાંઈપણ કહેશે તો એ સર્પરાજની સમાન હું પણ મારા તપ તેજથી બધાને સળગાવીને ભસ્મ કરી દઈશ અને હે આનંદ ! જો તું મારો સંદેશ પહોંચાડીને મનાઈ કરી દઈશ તો હું પણ એ હિત સલાહ દેનારા વણિકની સમાન તારી રક્ષા કરી દઈશ. આથી જા, તારા ધર્માચાર્યને મારી આ વાત કરી દેજે.
આનંદ શ્રમણે આવીને બધી વાર્તા ભગવાનની સમક્ષ નિવેદન કરી અને પૂછ્યું કે હે ભગવન્ ! શું ગોશાલકની પાસે એટલી શક્તિ છે. ભગવાને ઉત્તરમાં સ્પષ્ટીકરણ કર્યું કે ગોશાલક એવું કરવામાં સમર્થ છે. પરંતુ તીર્થંકર ભગવંતો પર એની શક્તિ ચાલી શકતી નથી. કેવલ પરિતાપ પહોંચાડી શકે છે. હે આનંદ ! ગોશાલકથી અનંત ગણી શક્તિ શ્રમણ નિગ્રંથો અને સ્થવિરોની પાસે છે. પરંતુ તે ક્ષમા—શ્રમણ હોય છે. એ આવું આચરણ નથી
ભગવતી સૂત્રઃ શતક-૧૫
Jain Education International
For Private & Personal Use Only
૧૬૩
www.jainelibrary.org