SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ થયો.વંદન નમસ્કાર કરી એણે ભગવાનને પૂછ્યું કે આતેજોલેશ્યા કેવી રીતે પ્રાપ્ત થાય છે. ભગવાને તેને છઠ-છઠનાં પારણા કરીને આતાપના લેવી આદિ સંપૂર્ણ વિધિ બતાવી. ગોશાલકનું પૃથ્થકરણ – થોડો સમય કૂર્મ ગ્રામમાં રહીને ભગવાન અને ગોશાલકે ફરીથી સિદ્ધાર્થગ્રામનીતરફવિહાર કર્યો. માર્ગમાં તેતલના છોડનું સ્થાન આવ્યું.ગોશાલકે ભગવાનને પૂર્વની વાત યાદ કરાવીને કહ્યું કે તમે જે કહ્યું હતું તે તો મિથ્યા થઈ ગયું. અહીં તલનો છોડ જ નથી.ઉત્તરદેતાં ભગવાને સ્પષ્ટ કર્યુંકેહે ગોશાલક! તે મારા કથન પરશ્રદ્ધા ન રાખતાં પાછળ રહીને તેને ઉખાડીને ફેંકી દીધો હતો. આ સારી ઘટના સંભળાવી અને થોડે જ દૂર ઉભેલ તલના છોડનો નિર્દેશ કરતાં બતાવ્યું કે આ તે જ છોડ છે. આની અમક ફળીમાં તે જ સાત ફૂલના જીવ મરીને તલના રૂપમાં ઉત્પન્ન થયા છે. ગોશાલકે ફળી તોડીને તલ ગણીને જોયા. ભગવાનનું કથન સત્ય હતું. ગોશાલક અત્યંત શરમિંદો થયો અને ત્યાંથી ભગવાનને છોડીને ચાલ્યો ગયો. તેજોલબ્ધિ સાધના અને પ્રભાવ:–એણે સર્વપ્રથમ છ મહિનામાં તેજલેશ્યાની સાધના કરી. પછી એની પાસે ભગવાન પાર્શ્વનાથની પરંપરાના છ દિશાચર શ્રમણ આવીને મળી ગયા. જેને કાંઈક પૂર્વનું જ્ઞાન પણ અવશેષ હતું. એમણે પૂર્વોમાંથી અષ્ટાંગ નિમિત્ત જ્ઞાન વગેરેનું નિર્મુહણ કર્યું, ગોશાલકનું શિષ્યત્વ સ્વીકાર કરી લીધું. હવે ગોશાલક પોતાને ૨૪માં તીર્થકર કહેતો વિચરણ કરવા લાગ્યો. પોતાનો ભક્ત સમુદાય, શ્રમણ સમુદાય વગેરે પણ તેણે વિસ્તૃત કરી લીધો.નિમિત્ત જ્ઞાન વગેરેનું બળ તેની પાસે હતું. એનાથી તે લોકોને પ્રભાવિત કરવા લાગ્યો. કેટલાક પાર્શ્વનાથ ભગવાનના શ્રમણ પણ તેના ચક્કરમાં આવી ગયા અને એને જ ૨૪માં તીર્થકર સમજીને શિષ્યત્વ સ્વીકારવા લાગ્યા. શ્રાવતિનગરીમાં ગોશાલક અને ભગવાન ભગવાન મહાવીર સ્વામી પણછવસ્થ કાલ પૂર્ણ કરી, કેવલજ્ઞાન, કેવલદર્શન ઉત્પન્ન થવાથી ધર્મોપદેશદેવા લાગ્યા અને ગૌતમ આદિ હજારો શિષ્યો સહિત વિચરણ કરતાં-કરતાં એકવાર શ્રાવસ્તિ નગરીમાં પધાર્યા અને કોષ્ટક નામના ઉધાનમાં સમોસર્યા. ગોશાલક પણ વિચરણ કરતાં ભગવાનથી પહેલાં જ શ્રાવસ્તીનગરીમાં આવી ગયો હતો. ત્યાં પર હાલાહલા નામની કુંભારણ રહેતી હતી. જે ઋદ્ધિ સંપન્ન હતી. તે ગોશાલકની અનન્ય શ્રદ્ધાવાન ઉપાસિકા હતી. ત્યાં ગોશાલક પોતાના આજીવિક સંઘની સાથે એની દુકાનમાં રહ્યો અને પોતાને ૨૪માં તીર્થકર કહેતા પ્રચાર કરવા લાગ્યો. સભામાં ગોશાલકનો જીવન પરિચય:-શ્રાવસ્તિનગરીમાં ગોશાલકનાકથનની ચર્ચા ફેલાવા લાગી. ગૌતમ સ્વામી ભગવાનની આજ્ઞા લઈને પારણાને માટે નગરીમાં ગયા. એમણે પણ આચર્ચા સાંભળી. બગીચામાં આવીને ભગવાનને નિવેદન કર્યું અને જિજ્ઞાસા પ્રગટ કરી કે ભગવાન આ ગોશાલક કોણ છે અને એનું જીવનવૃત્તાંત શું છે? ત્યાંનાગરિક જનની પરિષદ પણ બેઠી હતી. ભગવાને ગૌતમ સ્વામીનું સમાધાન કરતાં ગોશાલકના જન્મથી લઈને ત્યાં શ્રાવસ્તીમાં પહોંચવા સુધીનો સારો જીવન વૃતાંત સંભળાવી દીધો. ગોશાલકની સંપૂર્ણ વાર્તા સાંભળીને પરિષદવિસર્જિત થઈ.નગરમાં વાતો ચાલવા લાગી. ૧૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy