SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનમાં લીન બની ગયા. બીજા માસખમણના પારણા આનંદ શેઠના ઘરે થયા. ત્રીજા પારણા સુનંદ શેઠના ઘરે કર્યા. ચોથું પારણું ચોમાસુ સમાપ્ત થવા પર ત્યાંથી વિહાર કરીને કોલ્લાક સન્નિવેશમાં બહુલ બ્રાહ્મણના ઘરે કર્યું. બધાં પારણાનાં સ્થાન પર પંચદિવ્ય વૃષ્ટિ થઈ. શિષ્યત્વ ગ્રહણ:- ગોશાલકે ભગવાનને ત્યાંન જોયા તેથી નગરીમાં બહુ જ શોધ્યા પણ ક્યાંય પત્તો ન લાગ્યો. ત્યારે એણે તંતુવાયશાલામાં આવીને કપડાં, ચંપલ વગેરે બ્રાહ્મણોને આપીને દાઢી-મૂંછ સહિત મસ્તકનુંમંડન કરાવ્યું, પૂર્ણ નિર્વસ્ત્ર થઈને ભગવાનની શોધમાં નીકળ્યો અને સીધો કોલાક સન્નિવેશમાં પહોંચ્યો. ત્યાં એણે લોકોના મુખે ભગવાનના પારણા પર પંચદિવ્યવૃષ્ટિની વાર્તા સાંભળી. તે સમજી ગયો કે ભગવાન અહીં જ છે, શોધતાં શોધતાં તે એ નગરીની બહાર માર્ગમાં જતાં ભગવાનની પાસે પહોંચી ગયો. તેણે પુનઃ વિનય વંદન કરીને ભગવાનને નિવેદન કર્યું કે હું આપનો શિષ્ય છું, આપ મારા ધર્માચાર્યો. અત્યંત આગ્રહ લગની અને નગ્ન જોઈ ભગવાને એને શિષ્ય રૂપમાં સ્વીકાર કરી લીધો. બંને સાથે સાથે વિચરણ કરતાં સમય વીતવા લાગ્યો. તલનો છોડ –એકવખત થોડોક વરસાદથયાબાદ સાથે વિહાર કરતાં તે સિદ્ધાર્થ ગ્રામથી કુર્મગ્રામ જઈ રહ્યા હતા. માર્ગમાં ફૂલોથી યુક્ત એક તલનો છોડ જોઈ ગોશાલકે પૂછ્યું કે હે ભગવન્!આ છોડનાઆસાત ફૂલના જીવમરીને ક્યા જાશે? ભગવાને ઉત્તર આપ્યોકે આ છોડની એક ફળીમાં સાતતલ રૂપમાં ઉત્પન્ન થશે. ગોશાલકને આઉત્તર રુચિકર ન લાગ્યો અને એને અસત્ય કરવાની બદ્ધિ ઉત્પન્ન થઈ. તે કપટ પૂર્વક ભગવાનથી પાછળ રહી ગયો અને છોડને જડ અને માટીથી ઉખાડીને ફેંકી દીધો અને જલ્દી ચાલીને ભગવાનની સાથે થઈ ગયો. થોડીવારમાં જ મૂશળધાર વર્ષા થઈ માટીમાં તે છોડ ફરીથી જામી ગયો અને તે સાત ફૂલના જીવ મરીને એક ફળીમાં સાત તલના રૂપમાં ઉત્પન્ન થઈ ગયા. વૈશ્યાયન તપસ્વી –ભગવાન કૂર્મગ્રામની બહાર પહોંચ્યા ત્યાં વૈશ્યાયનવાળ તપસ્વી છઠને પારણે છઠ કરતાં રહેતા હતા. એના મસ્તકમાં ઘણી જૂઓ પડી ગઈ હતી. તે તાપના કારણે અહીં-તહીં પડતી તો તેતપસ્વી ફરી તેને મસ્તક પર નાખી દેતો હતો. ગોશાલકને તે જોઈને કૂતુહલઉત્પન્ન થયું. ભગવાનથી નજર ચૂકાવીને તે એની પાસે પહોંચ્યો અને વારંવાર એમ કહીને ચિડાવવા લાગ્યો કે તું સાધુ છોકજૂનું ઘર છો વારંવાર કહેતા તે તપસ્વીની શાંતિભંગ થઈ. એણે ગોશાલક પર તેજોવેશ્યા ફેંકી. એ વેશ્યા ગોશાલકની પાસે પહોંચતા પહેલાં જ ભગવાને શીત લેગ્યાથી એને પ્રતિહત કરી દીધી. ત્યારે તપસ્વીએ તેજલેશ્યાને પાછી ખેંચી લીધી અને એણે ભગવાનને જોઈ લીધા અને કહ્યું કે હું જાણી ગયો આ આપનો પ્રભાવ છે. આપે જમારીલેશ્યાને પ્રતિહત કરી છે. પછી ગોશાલકે ભગવાનને પૂછ્યું કે ભગવઆજુઓનું ઘરઆપને શું કહી રહ્યો છે? ત્યારે ભગવાને તેજલેશ્યાની વાત સ્પષ્ટ કરી કે ગોશાલક તારી અનુકંપા માટે મેં શીત લેશ્યાથી એની તેજોલેશ્યાને પ્રતિહત કરી. જેનાથી તને કંઈ નુકસાન ન થયું, નહીંતર હમણાં રાખનો ઢગલો થઈ જાત. ગોશાલક સાંભળીને ભયભીત ભગવતી સૂત્રઃ શતક-૧૫ ૧૬૧ Jain Education international For Private Personaruse Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy