________________
THE
HINDI
'શતક-૧પ
) ગીશાવવામાં આ ભરત ક્ષેત્રમાં શરવણ નામનું સન્નિવેશ–નગર હતું. એ સન્નિવેશમાં ગોબહુલ બ્રાહ્મણ રહેતો હતો. જે વેદ વગેરેનો જાણકાર હતો. એને એક બહુ જ મોટી ગોશાલા હતી. એકવાર મંખલિ નામનો મખ ભિક્ષાચર પોતાની ભદ્રા પત્ની સાથે ચાલતાં ચાલતાં એ શરવણ નગરીમાં આવ્યો તે ચિત્રક(ફોટો-તસ્વીર) હાથમાં રાખીને ભિક્ષા માંગતો હતો. ચાતુર્માસ રહેવાને માટે એણે શોધ કર્યા પછી પણ કોઈ જગ્યા ન મળી. તો એણે ગોબહુલ બ્રાહ્મણની ગોશાલામાં જ ચાર્તુમાસ કર્યું. એની ભદ્રા પત્ની ગર્ભવતી હતી. ત્યાં જ એણે બાળકને જન્મ દીધો બારમા દિવસે એનું અર્થ સંપન્ન નામ રાખ્યું 'ગોશાલક– ગોશાલામાં જન્મ લેનાર). યુવાન અવસ્થામાં તે ગૌશાલક પણ પિતાની જેમ તસ્વીર હાથમાં લઈને આજીવિકા કરવા લાગ્યો. ભગવાન મહાવીર – એ કાળમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ માતા-પિતાના દિગંવત થયા પછી પોતાની ગર્ભગત પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી એકલા પોતે જ દીક્ષા અંગીકાર કરી, વિચરણ કરતા પહેલા ચાતુર્માસ અસ્થિક ગ્રામમાં કર્યું. એ વર્ષે ભગવાને નિરંતર ૧૫-૧૫ ઉપવાસની તપસ્યા કરવાનો સંકલ્પ કર્યો હતો. બીજા વર્ષે ભગવાને મહિનામહિનાના ઉપવાસની તપસ્યા શરૂ કરી અને બીજું ચોમાસું રાજગૃહી નગરીમાં નાલંદા પાડાની બહાર તંતુવાયશાળાના એક રૂમમાં કર્યું. ગોશાલક અને ભગવાનનો સંયોગ-સંયોગવશમખલિપુત્ર ગોશાલક પણફરતાં ફરતાં એનગરીમાં એ પાડામાં પહોંચી ગયો. ક્યાંય પણ રહેવાનું સ્થાન ન મળતાં તે પણ એજ તંતુવાય શાળામાં આવીને કોઈ રૂમમાં રહી ગયો.
ભગવાનનું પ્રથમ માસખમણ પૂરું થયું. પારણાં માટે રાજગૃહી નગરીમાં ગયા. ગોચરીમાં ભ્રમણ કરતાં એમણે વિજય શેઠના ઘરમાં પ્રવેશ કર્યો,વિજય શેઠે ભગવાનને આવતાં જોયા, ઉઠીને સામે ગયા અને આદર-સત્કાર વિનય વંદનની સાથે ભગવાનને ભોજનગૃહમાં લઈ ગયા અને શુદ્ધ ભાવોથી પારણા કરાવ્યા. ત્રણે યોગોથી શુદ્ધ નિર્દોષ સુપાત્ર દાન દઈને હર્ષિત થયો. એ સમય એ પરિણામોમાં એણે દેવાયુનો બંધ કર્યો અને સંસાર પરિત કર્યો. એના ઘરમાં પાંચ દિવ્ય વૃષ્ટિ થઈ, જેમાં ધનના(સોનૈયાંના) ઢગલા થઈ ગયા. દેવદુંદુભી વાગી.
નગરમાં વાત ફેલાઈ ગઈ. ગોશાલક પણ સાંભળીને તત્કાલ ત્યાં જોવા આવ્યો. એણે સારી રીતે તે દશ્ય આખોથી જોયું અને ભગવાનને પણ પારણા કરીને એના ઘરમાંથી નીકળતાં જોયા.ગોશાલક અત્યંત પ્રસન્ન અને આનંદિત થયો. ભગવાનને વંદન–નમસ્કાર કરીને બોલ્યો કે હું આજથી આપનો શિષ્ય છું, આપ મારા ધર્માચાર્ય છો. ભગવાને એનો સ્વીકાર કર્યો, નગરમાંથી ચાલતાં પોતાનાસ્થાન પર આવીને માસખમણ શરૂ કરી દીધુ
૧૬૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org