________________
ઉદ્દેશક : ૩ (૧) સમદષ્ટિ દેવ અણગારની અવગણના કરીને વચ્ચેથી જતા નથી, તેઓ વંદન નમસ્કાર કરે છે અને પર્યપાસના કરે છે. મિથ્યાદષ્ટિદેવ અવગણના કરી શકે છે. (૨) નરયિકોમાં પરસ્પરમાં વિનય સત્કાર સન્માન હાથ જોડવા, પ્રણામ કરવા આસન આપવા વગેરે શિષ્ટાચાર હોતા નથી દેવ, મનુષ્યમાં હોય છે. તિર્યંચમાં આસન-દાન સિવાય અનેક શિષ્ટાચાર હોય છે અર્થાત્ પશુઓમાં સામે જવું, પહોંચાડવું ઉડવું વગેરે પણ હોય છે.
ઉદ્દેશકઃ ૪ (૧) પુદ્ગલ એક વર્ણાદિથી અનેકમાં, અનેક વર્ણાદિથી એક વર્ણાદિમાં, રુક્ષથી સ્નિગ્ધમાં, આ પ્રકારે પરિવર્તન પરિણમન થતું રહે છે. જીવના પણ ક્યારેક સુખ,
ક્યારેક દુઃખ આ પ્રકારે કર્મોદયથી વિવિધ પરિવર્તન થતાં રહેતા હોય છે. પરમાણુ વગેરે દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે, વર્ણાદિની અપેક્ષાએ અશાશ્વત છે. દ્રવ્યની અપેક્ષા તે અચરમ હોય છે. ક્ષેત્ર કાલ ભાવની અપેક્ષા ચરમ અચરમ બને હોય છે.
ઉદ્દેશક : ૫ (૧) નારકી અને પાંચ સ્થાવર વિગ્રહગતિવાળા જીવ અગ્નિકાયની વચ્ચેથી નિકળ
છે પરંતુ બળતા નથી અને અવિગ્રહ ગતિવાળા નથી નિકળતા. ત્રણ વિકસેન્દ્રિય વિગ્રહ ગતિવાળા અને અવિગ્રહ ગતિવાળા બંને અગ્નિકાયમાં જાય છે. વિગ્રહ ગતિવાળા બળતા નથી અને અવિગ્રહગતિવાળા બળે છે. તિર્યંચમનુષ્યદેવવિગ્રહ ગતિવાળા અગ્નિમાં જાય છે અને બળતા નથી. અવિગ્રહ ગતિવાળા ઋદ્ધિ(લબ્ધિ) સંપન્ન જાય છે તે નથી બળતા. જે ઋદ્ધિ સંપન્ન નથી તે કોઈ જાય છે, કોઈજતા નથી .જે જાય છે તે બળે છે. (૨) નૈરયિકોને શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, ગતિ, સ્થિતિ, લાવણ્ય, યશ, કીર્તિ અને ઉત્થાન કર્મ બળ વીર્ય પુરુષાકાર પરાક્રમ આ દસ અનિષ્ટ મળે છે, દેવોને ઈષ્ટ મળે છે. મનુષ્ય, તિર્યંચમાં ઈષ્ટ, અનિષ્ટ બને હોય છે. શબ્દ, રૂપ, ગંધ અને રસ એ ચાર એકેન્દ્રિયમાં નથી હોતા. તેથી એનામાં ૬ હોય છે, બેઈન્દ્રિયમાં ૭ હોય છે. તેઈન્દ્રિયમાં ૮ હોય છે. ચૌરન્દ્રિયમાં હોય છે.
ઉદ્દેશક : ૬ (૧) શક્રેન્દ્ર ઈશાનેન્દ્ર વિષય ભોગની ઈચ્છા થવા પર દેવલોકમાં જ એક નૂતન ભવન(વિમાન) શધ્યા(પથારી) વગેરે વિફર્વણા કરે છે અને સનકુમારેન્દ્ર વગેરે
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૧૫s
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org