SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રિયાઓ માયાવી, પ્રમાદી સાધુ કરે છે. અપ્રમાદી ગંભીર સાધુ નથી કરતા. (૩) છાપસ્થિક સમુદ્યાતનું વર્ણન પ્રજ્ઞાપના પદ ૩૬ની અનુસાર જાણવું જોઈએ. છે શતક ૧૩/૧૦ સંપૂર્ણ | શતક-૧૪ : ઉદ્દેશક-૧ (૧) આયુબંધના પરિમાણોની અપેક્ષાએ એક દેવસ્થાનની સીમાનું ઉલ્લંઘન થઈ જાય અને બીજાદેવસ્થાન યોગ્ય પરિણામ સુધી ન પહોંચે એવચ્ચેના પરિણામમાં અટકી જાય અને ત્યાં આયુબંધ કરી કાળ કરે તો જીવ ક્યા સ્થાનના આયુબંધ કરે છે અને ક્યાં જાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં બતાવ્યું છે કે તે સ્થિર થયેલ પરિણામ જ્યાં વધારે નિકટ હોય ત્યાંનું આયુબંધ અને ગતિ હોય છે. યથા–કોઈવ્યક્તિ માર્ગમાં ચાલી રહેલ છે. એક આરામના સ્થાનથી ૫૦ ફૂટ આગળ વધી ગયો અને બીજું આરામનું સ્થાન ૫૦૦ ફૂટ દૂર છે. એ સમયે મૂશળધાર વરસાદ શરૂ થઈ જાય તો તે વ્યક્તિ નજીકના સ્થાન પર પહોંચીને પોતાની સુરક્ષા કરી લેશે. આવી જ રીતે એઆત્માના પરિણામોને યોગ્ય જે નજીકનું સ્થાન હોય છે, એ સ્થાનનું આયુબંધ અને ગતિ હોય છે. (ર) એકેન્દ્રિયને વિગ્રહગતિ(વાટે વહેતા) માં ચાર સમય લાગે છે. બાકી બધાને ત્રણ સમય લાગે છે. (૩) વાટે વહેતાઅવસ્થાનાજીવને અનંતર-પરંપરઅનુત્પન્નક પણ કહેવાયા છે. સ્થાન પર ઉત્પન્ન પ્રથમ સમયવર્તી જીવઅનંતરોત્પન્નકછે. બાકી બધા જ પરમ્પરાત્પન્નક છે. (૪) જન્મના અંતર્મુહૂર્ત બાદ જ આયુબંધ થાય છે. પહેલા નહીં. (૫) દુઃખપૂર્વક ઉત્પન્ન થનારા ખેદોત્પન્નક જીવ કહેવાય છે. ઉદ્દેશકઃ ર (૧) યક્ષાવેશ ઉન્માદનું છૂટવું એટલું મુશ્કેલ નથી હોતું કે જેટલી મુશ્કેલીથી મોહનો ઉન્માદ છૂટે છે. ચાર ગતિ ર૪ દંડકમાં બંને પ્રકારના ઉન્માદ હોય છે. નારકીને દેવ દ્વારા પણ અશુભ પુદ્ગલ પ્રક્ષેપથી યક્ષાવેશ ઉન્માદ હોય છે અને દેવોમાં પણ બીજા વિશિષ્ટ શક્તિ (ઋદ્ધિ)સમ્પન્ન દેવો દ્વારા આવી પ્રક્રિયા હોય છે. (ર) તીર્થકર ભગવાનના જન્મ, નિર્વાણ વગેરે સમયે દેવવૃષ્ટિ કરે છે. શક્રેન્દ્રને વર્ષા કરવી હોય તો તે આત્યંતર પરિષદનાદેવને બોલાવે છે. પછી તે દેવ આભિયોગિક દેવોને બોલાવે છે અને આભિયોગિકદેવવર્ષા કરનારા દેવોને બોલાવે છે. આ પ્રકારે જ તમસ્કાય કરવી હોય તો આભિયોગિક દેવતમસ્કાય કરનારા દેવોને બોલાવે છે. રતિક્રીડાને માટે, પોતાના સંરક્ષણના માટે, સંતાવા માટે, વિરોધી દેવવગેરેને ભ્રમિત, વિસ્મિત કરવા માટે દેવ તમસ્કાય ઉત્પન્ન કરે છે. ભગવતી સૂત્ર: શતક-૧૪ ઉપપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy