SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યારે ભોગવાઈ રહ્યા છે તે પુનઃ ભવિષ્યમાં ક્યારેય નહી ભોગવાય. અર્થાત્ જીવ મોક્ષમાં ચાલ્યો જાય, તે આયુષ્ય પુદ્ગલોની અપેક્ષાએ જીવનું આત્યંતિકમરણ છે. જે આયુષ્ય કર્મના પુદ્ગલ અત્યારે ભોગવી લીધા છે, પછી ક્યારે ય ગ્રહણ કરી, બંધ કે ઉદય થાય તો એની અપેક્ષાએ કાંઈક થોડા સમયને માટે મરણ થયું માની લેવાય. તેથી તેને અવધિ(થોડા કાળને માટે) મરણ કહેવાયું છે. ૪. બાલ મરણ– તેના ૧૨ પ્રકારના છે (૧) વલય મરણ—ગળું દબાવીને કે મરોડીને મરવું. (૨) વશાર્તા મરણ– વિરહવ્યથાથી પીડિત થઈને મરવું(મસ્તક પછાડીને, છાતી ફૂટીને, અંગોપાંગ પર ઈજા પહોંચાડીને મરવું.) (૩) અંતઃશલ્ય મરણ–તીર, ભાલા વગેરે થી વીંધાઈને મરવું. (૪) તદ્ભવમરણ–ફરીથી વર્તમાન ભવ પ્રાપ્ત કરવા માટે મરવું (કાશી કરવત લેવું વગેરે) (૫) પર્વત આદિથી નીચે પડીને મરવું. (s) વૃક્ષ આદિથી કુદીને મરવું. (૭) પાણીમાં ડૂબીને મરવું. (૮) અગ્નિમાં બળીને મરવું. (૯) ઝેર ખાઈને મરવું. (૧૦) તલવાર વગેરે શસ્ત્રથી કપાઈને મરવું. (૧૧) ફાંસી ખાઈને મરવું. (૧૨) પશુપક્ષી દ્વારા શરીર ભક્ષણ કરાવીને મરવું. આ રીતે કોઈપણ પ્રકારે કષાયોના વશીભૂત થઈને મરવું, તે બાલ મરણ છે. ૫. પંડિત મરણ— પાદપોપગમન અને ભક્ત પ્રત્યાખ્યાન આ બે પ્રકારનું પંડિત મરણ છે. આ બંને નીહારિમ અનીહારિમ બે પ્રકારના હોય છે અને સપરિકર્મઅપરિકર્મ = = મરવા પછી અગ્નિ સંસ્કાર ક્રિયા કરવી અને ન કરવી બંને સંભવ છે. સંથારાના કાલમાં શરીરની પરિકર્મ(ચાલવું, અંગોપાંગ હલાવવા વગેરે) ક્રિયા કરવી, ન કરવી ભક્ત પ્રત્યાખ્યાન પંડિત મરણમાં સંભવ છે. પરંતુ પદપોપગમન પંડિત મરણ તો પરિકર્મ રહિત જ હોય છે. આવીચિ મરણ ના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવની અપેક્ષા ૫ ભેદ છે. અને ૪ ગતિની અપેક્ષા એના ૨૦-૨૦ભેદહોય છે. આ પ્રકારે પ્રથમના ત્રણમરણના આ ૨૦-૨૦ ભેદ છે. બાલમરણ ના ૧૨ ભેદ છે અને પંડિતમરણના બે ભેદ કહ્યા છે. કુલ ૨૦+૨૦+૨૦+૧૨+ ૨ = ૭૪ ભેદ અહીં મરણના બતાવ્યા છે. ઉદ્દેશક ઃ ૮-૧૦ (૧) કર્મ પ્રકૃતિનું વર્ણન પ્રજ્ઞાપના પદ ૨૩ ઉદ્દેશક બે ની અનુસાર જાણવું જોઈએ. (૨) ભાવિતાત્મા અણગાર વૈક્રિય લબ્ધિ સંપન્ન હોય તો તે વિવિધ ઈચ્છિત રૂપ બનાવી શકે છે. એનું વર્ણન ત્રીજા શતકના પાંચમા ઉદ્દેશકમાં છે. જેનો આશય એ છે કે તે મનુષ્ય પશુ-પક્ષીના રૂપ બનાવવા અને આકાશમાં ગમન વગેરે ક્રિયાઓ કરી શકે છે. સોના-ચાંદી રત્ન ધાતુ વગેરે વિક્રિયા કરી શકે છે. એને લઈને આકાશમાં ચાલી શકે છે. પક્ષીઓની જેમ ઉડી શકે છે, રહી શકે છે. પશુઓની જેમ કૂદી શકે છે, દોડી શકે છે. આ બધા વૈક્રિય શક્તિના અસ્તિત્વની અપેક્ષાએ કથન છે. આવી ૧૫૪ Jain Education International મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy