SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ - ઉદ્દેશક : ૩-૪ (૧) પ્રજ્ઞાપના સૂત્રનું ૩૪ મું પરિચારણા પર જોઈ લેવું. (૨) પહેલી નરકથી બીજી નરકમાં નૈરયિક આકીર્ણ ઓછા છે. ત્યાં વિસ્તારવાળા અવકાશવાળા નરકાવાસ છે. ત્યાં નારકી મહાકર્મ, મહાક્રિયા, મહાવેદનાવાળા છે. અલ્પ ઋદ્ધિ અલ્પદ્ધતિવાળા છે. આ રીતે આગળ-આગળની નરકમાં સમજી લેવું જોઈએ. નારકી જીવ અનિષ્ટ અમનોજ્ઞ પૃથ્વી, પાણી, અગ્નિ, હવા, વનસ્પતિના સ્પર્શનો અનુભવ કરે છે. આગળ-આગળની નરકના પૃથ્વીપિંડ પહોળાઈમાંઓછા અને વિસ્તારમાં વધારેને વધારે છે. નરક કે પૃથ્વીકાય વગેરેના જીવ પણ મહાકર્મ મહાક્રિયા મહાવેદનાવાળા છે. નરક સંબંધી વિસ્તૃત વર્ણન જીવાભિગમ સૂત્રમાં છે. સારાંશ ખંડ-માં જુઓ. (૩) મધ્ય :- લોકનું મધ્ય સ્થાને પહેલી નરકના આકાશાંતરમાં અસંખ્યાતમાં ભાગ ગયા પછી આવે છે. નીચાલોકનું મધ્યસ્થાન ચોથી નરકના આકાશમાં–તરમાં છે. જે અડધું નજીક છે.તિછલોકનું મધ્યસ્થાન મેરુ પર્વતની મધ્યસમભૂમિ પર બે ક્ષુલ્લકપ્રતિરોના ચારચાર પ્રદેશ મળીને ૮રુચક પ્રદેશ છે. તે તિરછા લોકના મધ્ય સ્થાનરૂપ છે. ત્યાંથી જ૧૦દિશાઓનિકળે છે. અર્થાત્ તે ચકપ્રદેશોજદિશાઓનું કેન્દ્ર સ્થાન છે અને તિરછા લોકનું મધ્યસ્થાન પણ છે. ઉંચા લોકનું મધ્યસ્થાન પાંચમાં દેવ લોકનારિષ્ટ નામના પ્રસ્તર(પાથડા)માં છે. ત્યાં ઊર્ધ્વ લોક મધ્ય છે. ત્યાંસુધી તમસ્કાય પણ છે. તે ઊંચા લોકના મધ્યસ્થાન સુધી ગઈ છે. દસ દિશાઓનું વર્ણન પહેલા થઈ ગયેલ છે. (૪) પંચાસ્તિકાયના ગુણ:- (૧) જીવોના ગમનાગમન, ભાષા, ઉન્મેષ, યોગ, પ્રવૃતિ વગેરે ચલ ભાવ છે. તે ધર્માસ્તિકાય દ્વારા હોય છે. (૨) જીવોનુંસ્થિત રહેવું, બેસવું, સૂવું મનનુંએકાગ્રહોવું વગેરે જેટલા પણ સ્થિરભાવછે તે અધર્માસ્તિકાયના આધારથી છે. (૩) આકાશાસ્તિકાયનો ગુણ જગ્યાદેવાનો છે. એક આકાશપ્રદેશમાં એક પરમાણુ રહી શકે છે. એનામાં ૧00 અથવા 1000 પરમાણુ આવી જાય તોપણ સમાવિષ્ટ થઈ જાય છે. એક સાથે અનેક પુદ્ગલવર્ગણાઓ આકાશમાં રહે છે. એક જ આકાશ ક્ષેત્રમાં અનંત સિદ્ધ ભગવાનના આત્મપ્રદેશ રહી શકે છે. (૪) જીવાસ્તિકાયનાં જ્ઞાન દર્શનનો ઉપયોગ હોવો એ ગુણ છે. ચેતના પણ એનું લક્ષણ છે. (૫) પુદ્ગલાસ્તિકાયમાં “ગ્રહણ” ગુણ છે. એનાથી ૫ શરીર, ૫ ઈન્દ્રિય, ૩ યોગ, શ્વાસોશ્વાસ વગેરે વિભિન્નરુપમાં પુદ્ગલ ગ્રહણ થતા રહેતા હોય છે. (૫) અસ્તિકાય સ્પર્શ – ધર્માસ્તિકાયનો એક પ્રદેશ જે લોક મધ્યમાં છે તે અન્ય ધર્માસ્તિકાયના પ્રદેશોનો સ્પર્શ કરે છે. લોકાંતમાં છે તે ૩, ૪ અથવા પનો સ્પર્શ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૧૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy