________________
(ર) નવવિવાહિત સ્વસ્થ પુરુષ સોળ વર્ષ પછી પરદેશથી આવ્યો હોય; તે મનોજ્ઞ આવાસ શય્યા સંયોગ અને ભોજન પાન વગેરેને પ્રાપ્ત કરી મનોજ્ઞ અનુરક્ત યુવાન પત્નીની સાથે મારુષિક પાંચ ઈન્દ્રિય જન્ય વિષયોનું સેવન કરતાં વેદોપશમન કાળમાં જેવા સાતા સુખનો અનુભવ કરે છે, એનાથી અનંત ગુણા વિશિષ્ટતર વ્યંતરોના કામસુખ હોય છે. એનાથી નવનિકાયના અનંત ગુણા, એનાથી અસુરકુમારોના અનંત ગુણો અને એનાથી ચંદ્ર-સૂર્યના અનંત ગુણાવિશિષ્ટતર કામભોગ જન્ય સુખ અનુભવ હોય છે.
(૩) લોકના સંપૂર્ણ આકાશ પ્રદેશો પર પ્રત્યેક જીવે જન્મ મરણ કર્યા છે, કોઈ પણ પ્રદેશ ખાલી રાખ્યા નથી. અહીં ૧૦૦ બકરી રાખવાના વાડામાં ૧૦૦૦ બકરી ભરવાનું અને એનાથી વાડાના મળ-મૂત્રથી સ્પર્શિત થવાનું દૃષ્ટાંત સમજવું. એ વાડાનો કોઈ પ્રદેશ અસ્પર્શિત રહી શકે છે. પરંતુ જીવે લોકનો કોઈ પ્રદેશ જન્મમરણથી ખાલી રાખ્યો નથી. કેમ કે અનાદિ કાળથી સંસાર અને જીવ બંનેે છે.
પાંચ સ્થાવર રૂપમાં સર્વત્ર જન્મ-મરણ સંભવ છે. શેષ જે ક્ષેત્રમાં જે દંડકના જીવોના જન્મ મરણની યોગ્યતા છે અને જ્યાં એ રૂપમાં અનંત સંભવ છે એનું જ કથન સમજવુંજોઈએ. યથા–નરકમાં મનુષ્યરૂપમાંનહીંહોયતોઅનુત્તરવિમાનમાં દેવ-દેવી રૂપમાં પણ અનંત ભવ નહીં હોય. વગેરે વિવેકપૂર્વક સમજી લેવું જોઈએ. આ જીવ બધા જીવોના માતા-પિતા આદિ સંબંધી રૂપમાં પણ અનેકવાર અથવા અનંતવાર જન્મી ચૂક્યો છે અને બધા જીવ એના માતા-પિતા વગેરે બની ચૂક્યા છે.
આ પ્રકારે શત્રુ-મિત્ર વગેરે અને દાસ-નોકર વગેરેના રૂપમાં અનેકવાર અથવા અનંતવાર સમજી લેવું જોઈએ.
ઉદ્દેશકઃ ૮
(૧) કોઈપણ મહર્દિક દેવ હાથી(સર્પના) રૂપમાં, મણીના રૂપમાં, વૃક્ષના રૂપમાં ઉત્પન્ન થઈ શકે છે. ત્યાં તિર્યંચના ભવમાં પણ તે અર્ચિત-પૂજિત થઈશકે છે. ત્યાંથી મનુષ્ય બનીને સિદ્ધ-બુદ્ધ થઈ શકે છે.
(૨) વાંદરા, કુકડા, દેડકા પણ મરીને નરકમાં ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્પન્ન થઈ શકે છે. આ પ્રકારે સિંહ, વ્યાધ્ર (વાઘ), કાગડો, ગિદ્ધ, બીલાડી, મોર, આદિ, પણ નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. ત્યાંથી નિકળીને સંસાર ભ્રમણ કરી શકે છે. અથવા મનુષ્ય બનીને મોક્ષમાં પણ જઈ શકે છે.
ભગવતી સૂત્રઃ શતક-૧૨
Jain Education International
For Private & Personal Use Only
૧૩૦
www.jainelibrary.org