________________
(૭) લોભના પર્યાયવાચી ૧૬ શબ્દઃ–લોભ, ઈચ્છા, મૂછ, કાંક્ષા, ગૃદ્ધિ, તૃષ્ણા, લજ્જા, ભિદયા, આશંસના, પ્રાર્થના, લાલપનતા, કામાશા, ભોગાશા, જીવિતાશા, મરણાશા, નંદિરાગ.
આ બધા શબ્દો એકાર્થક છે. અપેક્ષાથી એના સ્વતંત્ર અર્થ પણ નીકળે છે. એની જાણકારી માટે બાવર અથવા સૈલાનાથી પ્રકાશિત વિવેચન યુક્ત ભગવતી સૂત્રનું અવલોકન કરવું જોઈએ. (૮) બધા દ્રવ્યોમાં– (૧) કોઈવર્ણાદિ૨૦બોલવાળા છે. (ર) કેટલાક વર્ણાદિ ૧૬ બોલવાળા છે. (૩) કેટલાક વર્ણાદિ ૫ બોલવાળા છે. (૧–૧–૧-૨) (૪) કોઈ વર્ણાદિ રહિત અરૂપી દ્રવ્ય છે. ત્રણે કાળ અપી છે. (૯) કર્મોથી જીવવિભિન્ન રૂપો ધારણ કરે છે અર્થાત્ કર્મોથી જ જીવ જગત વિવિધ રૂપોને પ્રાપ્ત થાય છે; કર્મવિના આ વિવિધરૂપો હોતા નથી.
ઉદેશક : ૬-
-
--
-
-
-
-
રાહુના વિમાન પાંચ રંગના હોય છે– (૧) કાળો– કાજળ સરખો. (૨) નીલો- કાચા તુમ્બા સરખો. (૩) લાલ– મજીઠની સમાન. (૪) પીળો–હળદર સમાન. (૫) સફેદ રાખના ઢગલા સમાન.
રાહુના આ પર્યાયવાચી નામ છે– (૧) શ્રૃંગારક (ર) જટિલક (૩) ક્ષત્રક (૪) ખર (૫) દર્દર (૬) મકર (૭) મત્સ્ય (૮) કચ્છપ (૯) કૃષ્ણસર્પ.
- રાહુનું વિમાન ગમનાગમન કરતાં ચંદ્રને આવૃત કરે છે તો લોકમાં ચંદ્રગ્રહણ કહેવાય છે. જ્યારે એક કિનારાથી આવૃત કરતાં નીકળે છે ત્યારે ચન્દ્રના કુક્ષિ ભેદ કહેવાય છે. આવૃત કરીને જ્યારે પાછા ફરીને અનાવૃત કરે છે ત્યારે લોકમાં ચન્દ્રનું વમન કર્યું કહેવાય છે. જ્યારે ઉપર નીચે બધી તરફથી આવૃત કરી દે છે ત્યારે ચંદ્ર ગ્રસિત કહેવાય છે. વાસ્તવમાં આ બધું આચ્છાદન માત્ર છે. ગ્રસિત કરવું નહિં.
રાહુવિમાન બે પ્રકારના છે– (૧) નિત્યરાહુ (૨) પર્વરાહુ.નિત્ય રાહુ રોજ ચંદ્રનો પંદરમો ભાગ આવૃત કરે છે અને પછી ક્રમશઃ પંદરમો ભાગ અનાવરિતા (પ્રકટ) કરે છે.
પર્વ રાહુ ક્યારેક જઘન્ય છ મહીનાથી ચંદ્રને આવરિત કરે છે અને કયારેક ૪૨ મહીનાંથી ચન્દ્રને આવરિત કરે છે, તે સૂર્યને જઘન્ય ૬ મહીનાથી આવૃત કરે છે, ઉત્કૃષ્ટ ૪૮વર્ષથી ઢાંકે છે, ત્યારે જ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થાય છે.
નિત્ય રાહુથી કૃષ્ણપક્ષ (વદ) શુકલ પક્ષ (સુદ)ની તિથિઓ બને છે. સૌમ્ય હોવાથી ચંદ્રને શશી કહેવાય છે. રાત્રિ-દિવસરૂપ કાળની આદિકર્તાએટલે પ્રારંભિક હોવાથી સૂર્યને આદિત્ય કહેવાય છે.
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org