SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલ પરિવર્તન(પરાવર્તન) - (૧) એક ઉત્સર્પિણી એક અવસર્પિણી મળીને એક કાળચક્ર થાય છે. એવા અનંત કાળચક્રથી એક પુદ્ગલ પરાવર્તન કાળ હોય છે. એ અનંત કાળ ચક્રના માપ સાત પ્રકારથી હોય છે. જેના કારણે પુદ્ગલ પરાવર્તન પણ સાત પ્રકારના કહેવાયા છે. તે પ્રમાણે છે–૧. ઔદારિક પુદ્ગલર. વૈક્રિય૩. તૈજસ૪. કાર્પણ ૫. મન ૬. વચન ૭. શ્વાસોશ્વાસ પુદ્ગલ પરાવર્તન. (ર) આ સાત વર્ગણારૂપમાં પરિવર્તિત થયેલ લોકના સંપૂર્ણ(બધા) પુદ્ગલ એક જીવ દ્વારા એ જ રૂપમાં ગ્રહણ કરાય એમાં જેટલો સમય લાગે તે એનો પુદ્ગલ પરાવર્તન કાલ હોય છે. બધાથી નાનો પુદગલ પરાવર્તન કાલ “કાર્પણ” નો છે. કેમ કે પ્રત્યેક ભવમાં પ્રતિ સમયમાં કાર્મણના પુદ્ગલ ગ્રહણ કરાય છે. એનાથી તૈજસ પુદ્ગલ પરાવર્તન મોટો હોય છે. તેના પુદ્ગલોનું ગ્રહણ ઓછું થાય છે. એનાથી ઔદારિક પુદ્ગલ પરાવર્તન મોટો હોય છે. કારણ કે બે ગતિમાં તે હોતા નથી, દસ દંડકમાં જ હોય છે. એનાથી શ્વાસોશ્વાસ પુગલ પરાવર્તન મોટા હોય છે. કેમ કે અપર્યાપ્ત મરનારા કેટલાય જીવ શ્વાસોશ્વાસ નથી લેતા અને દેવોમાં બહુ જ અલ્પ શ્વાસોશ્વાસ હોય છે. અતઃ ઔદારિક પુદ્ગલ પરાવર્તનથી શ્વાસોશ્વાસ પુદ્ગલ પરાવર્તન થવામાં સમય વધારે લાગે છે. આનાથી મન પુગલ પરાવર્તન, વચન પુલ પરાવર્તન, વૈકિય પુલ પરાવર્તન ક્રમશઃ અધિકાધિક સમયમાં નિષ્પન્ન થાય છે. આ પ્રકારે બધાથી નાનું કાર્પણ પુદ્ગલ પરાવર્તન છે અને બધાથી મોટું વૈક્રિય પુદ્ગલ પરાવર્તન થાય છે. (૩) સંખ્યાની અપેક્ષાએ વૈક્રિય પુદ્ગલ પરાવર્તન અલ્પ હોય છે અને ક્રમશઃ વચન, મન, શ્વાસોશ્વાસ, ઔદારિક, તૈજસ અને કાર્મણ પુદ્ગલ પરાવર્તન અનંત ગુણા અધિક છે. (૪) ચૌવીસ દંડકના એક એક જીવે ભૂતકાળમાં સાતે ય પુગલ પરાવર્તન અનંત કર્યા છે. ભવિષ્યમાં કોઈ તો નહી કરે અને કરશે તો ૧-૨-૩ ઉત્કૃષ્ટ અનંત (પુરિય) કરશે. (૫) ચૌવીસ દંડકના એક એક જીવે પ્રત્યેક દંડકમાં આ સાતે પુગલ પરાવર્તન અનંત કર્યા છે અને ભવિષ્યમાં કોઈ તો નહી કરે અને કોઈ કરશે તો એગુત્તરિય (૧-૨-૩નાક્રમથી);વિશેષએ છે કે નારકીદેવતામાં પ્રત્યેકદંડકનાજીવેદારિક પુદ્ગલ પરાવર્તન ભૂતકાળમાં પણ કર્યા નથી અને ભવિષ્યમાં પણ કરશે નહીં. એ જ રીતે પાંચ સ્થાવરમાં વચન પુદ્ગલ, ૮દંડક(પાંચ સ્થાવર ત્રણ વિકસેન્દ્રિય)માં મન પુદ્ગલ અને ૭ દંડક(ચાર સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય)માં વૈક્રિય પુદ્ગલ પરાવર્તન કર્યા નથી, કરશે નહીં. (૭) ચૌવીસ દંડકના અનેક જીવોએ ર૪ દંડકમાં સાતેય પુલ પરાવર્તન અનંત મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત ૧૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy