SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ કે એ જીવોની સંખ્યા ખૂબ જ વિશાળ છે. યથા આકાશની એક શ્રેણીમાં અનંત પ્રદેશ છે. એને કોઈ કાઢે તો તે એક શ્રેણી પણ કયારે ય ખાલી થઈ શકતી નથી તો આકાશની અનંત શ્રેણીઓની ખાલી થવાની વાત જ થઈ શકતી નથી, એ જ રીતે નિગોદમાં અનંતાનંત જીવ છે. તેમાંથી એક નિગોદ જેટલા ભવી જીવ પણ કયારે ખાલી નહી થાય તો આ આખો સંસાર ભવી જીવોથી ખાલી થવાનો પ્રશ્ન જ થતો નથી. અર્થાત્ આ સંસાર અને જીવોનું મોક્ષ જવું એ બન્ને આજ સુધી અનાદિથી ચાલે છે અને ચાલતા રહેશે. જે રીતે ભવિષ્યકાળ પણ અનાદિથી ચાલ્યો આવે છે અને અનંત કાલ સુધી ચાલુ રહેશે તે જ રીતે જીવ પણ સિદ્ધ થતા રહેશે અને સંસાર પણ ચાલતો રહેશે. ૮–૧૦. જીવ સુતા પણ સારા અને જાગતા પણ સારા. જે ધમ્મ જીવો છે તે જાગતાં સારા છે, કેમ કે તે ધર્મની વૃદ્ધિ કરશે. જે પાપી જીવો છે તે સૂતેલા સારા છે, કેમ કે પાપ કૃત્ય ઓછું થશે. આ પ્રકારે જીવનબળા પણ સારા અને બલવાન પણ સારા. આળસુ પણ સારા અને ઉદ્યમી પણ સારા. ૧૧–૧૫. પાંચ ઈન્દ્રિયોના શબ્દ, રુપ, ગંધ, રસ, સ્પર્શ આદિ વિષયોમાં આસક્ત રહેનારા જીવ સાત કર્મોની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશોની વૃદ્ધિ કરે છે; અશાતા વેદનીયનો વારંવાર બંધ કરે છે અને ચતુર્ગતિક સંસારમાં પરિભ્રમણ કરે છે. આયુષ્ય કર્મ તો જીવનમાં એકવાર બંધાય છે. અતઃ સાત કર્મ કહેવાયા છે. જયંતી શ્રમણોપાસિકાએ સંયમ ગ્રહણ કર્યો અને સંપૂર્ણ કર્મોનો અંત કરીને એજ ભવમાં સિદ્ધ થઈ. વિશેષ -- જયંતી શ્રમણોપાસિકાના પતિ અને પુત્રોનું કથન નથી. દીક્ષા પણ એણે સમવસરણમાં એજ સમયે લઈ લીધી હતી. માટે તે સંપન્ન અને સ્વતંત્ર જીવનવાળી શ્રાવિકા હતી અને એનું મકાન સદા સાધુ-સાધ્વીઓને રહેવાના ઉપયોગમાં આવતું હતું. એટલા માટે તેના પરિચય વર્ણનમાં શ્રમણોને મકાન દેવાવાળી પ્રથમ શય્યાતરી કહી છે. ઉદ્દેશક : ૩-૪ નરક પૃથ્વીઓનું વર્ણન જીવાભિગમ સૂત્રની સમાન છે. ॥ ૩॥ દ્વિપ્રદેશીના બે વિભાગ હોઈ શકે છે = પરમાણુ + પરમાણુ (૧+૧) =૧ વિકલ્પ. ત્રણ પ્રદેશીના બે અને ત્રણ વિભાગ હોઈ શકે છે = પરમાણુ + બે પ્રદેશી (૧ + ૨ ), ત્રણે ય પરમાણુ (૧+૧+ ૧) ભંગ ૨. ચાર પ્રદેશીના બે, ત્રણ કે ચાર વિભાગ હોઈ શકે છે. = ૧+ ૩, ૨+૨, ૧+૧+ ૨, ૧+૧+૧+ ૧ = ભંગ ૪. પાંચ પ્રદેશીના ૨–૩–૪૫ વિભાગ અને દ્ર ભંગ હોય છે. = ૧+૪, ૨+૩, ૧+૧+ ૩, ૧+૨+૨, ૧+૧+૧+૨, ૧+૧+૧+૧+૧. ભગવતી સૂત્રઃ શતક-૧૨ Jain Education International For Private & Personal Use Only ૧૩૧ www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy