________________
એકત્રિત થવામાં એક પ્રહરથી વધારે સમય પણ લાગી શકે છે. (૬) ખાતાં-પીતાં સામુહિક પૌષધની વાત નહોત તો તે શ્રાવક તે દિવસે પમ્પી હોવાને કારણે ઘરે જઈને પૌષધતો કરવાના જહતા, પરંતુ કેવો પૌષધ કરતા અને ક્યારે કરતાએ નિર્ણયને સમય સુધી લેવાયો ન હતો. તેથી ઘરે જઈને કોઈ ખાતાં-પીતાં પૌષધ કરતા, કોઈ ઉપવાસ સાથે પણ કરતા અને કોઈ ઘેર જઈને તરત જ પૌષધ કરતા, કોઈ થોડા સમય પછી પણ કરતા. તેથી પ્રતિપૂર્ણ પૌષધ વ્રતધારી શ્રાવકો માટે પણ આઠ પ્રહરના સમયનો અથવા ચૌવીહાર ત્યાગનો(ચારેય આહાર ન કરવાનો) આગ્રહ ન હતો. આ બધા ફલિતાર્થોમાં સ્વયં ભગવતી સૂત્ર, પ્રતિપૂર્ણ પૌષધ વ્રતધારી પ્રમુખ શ્રાવક અને ભગવાન મહાવીર સ્વામી સાક્ષીરૂપ અને પ્રમાણરૂપ છે. આવો ચોખ્ખો પાઠ હોવા છતા વ્યક્તિગત કે પરંપરાઓના આગ્રહમાં કોઈ દ્વારા આ સૂત્ર ફલિતાર્થોનો અસ્વીકાર કરવો ખરેખર નાસમજ અનેદુરાગ્રહ છે. અનેકાંતિકવ્યવહાર વૃત્તિવાળાઓને આ જિન શાસનમાં અનાગમિક એકાંત આગ્રહ ન કરવા જોઈએ.
ઉદ્દેશક : ૨ જયંતી શ્રમણોપાસિકા:- કૌશામ્બી નામની નગરીમાં ઉદાયન રાજા રાજય કરતા હતા. એની માતા મૃગાવતી ચેડા રાજાની પુત્રી હતી અને એની ફોઈ જયંતી શ્રમણોપાસિકા હતી.તે ભગવાનના સાધુઓની પ્રથમ શય્યાતરી-મકાન આપનારી હતી. ઉદાયન રાજાના પિતા શતાનીક અને દાદા સહસાનીક હતા. મૃગાવતી પણ ગુણ સંપન્ન શ્રમણોપાસિકા હતી.
એક વખત ભગવાન મહાવીર સ્વામી વિચરણ કરતાં કરતાં કૌશામ્બી નગરીમાં પધાર્યા. ઉદાયન રાજા, કોણિક રાજાની જેમ ભગવાનના દર્શન કરવા ગયા. મૃગાવતી અને જયંતિ શ્રમણોપાસિકા પણ સાથે દર્શન કરવા ગઈ. ભગવાને ઉદાયન,મૃગાવતી અને જયંતિપ્રમુખઉપસ્થિત આખી પરિષદને ધર્મોપદેશ આપ્યો. પરિષદવિસર્જિત થઈ. ઉદાયન રાજા અને મૃગાવતી દેવી પણ ચાલ્યા ગયા. પંદર પ્રશ્નોત્તર :- જયંતિ શ્રમણોપાસિકાએ વંદન-નમસ્કાર કરી ભગવાનને અનેક પ્રશ્ન કર્યા. તે પ્રશ્નોના ઉત્તર આ પ્રમાણે છે૧–૪. અઢાર પાપોના સેવનથી જીવ ભારે હોય છે, સંસારવધારે છે, કર્મોની સ્થિતિ વધારે છે અને સંસાર સાગરમાં પરિભ્રમણ કરે છે. અઢાર પાપોના ત્યાગ કરવાથી જીવ હલકો થાય છે, સંસાર ઘટે છે. કર્મોની સ્થિતિ ઘટાડે છે અને સંસાર સાગરથી તરે છે. ૫. ભવી જીવ સ્વભાવથી અનાદિથી હોય છે અર્થાતુ નવા પરિણમન થઈને કોઈ ભવી નથી બનતા. –૭. બધા ભવસિદ્ધિક જીવસિદ્ધ થાય છે. સ્વભાવની અપેક્ષાએ જ આ કથન છે. તેથી ભવસિદ્ધિક જીવોથી આ સંસાર કયારેય ખાલી નહીં થાય. એનું કારણ એ છે ૧૩૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org