________________
ત્યાં વિહાર કરી ગયા. અવિનય :- થોડા દિવસોમાં જમાલી પણ સ્વસ્થ થઈ ગયા. તે પણ વિહાર કરતાં ચંપાનગરીમાં ભગવાનની સમક્ષ પહોંચ્યા અને ઉભા રહીને કહેવા લાગ્યા કે ભંતે ! આપના કેટલાક શિષ્યવસ્થા વિચરણ કરીને આવે છે. પરંતુ હું કેવલી બનીને આવ્યો છું.
ગૌતમ સ્વામીએ એક જ પ્રશ્ન પૂછીને એને નિરુતર અને ચૂપ કરી દીધા. પછી ભગવાને જમાલીને કહ્યું કે હે જમાલી! મારા અન્ય છદ્મસ્થ અણગાર આ પ્રશ્નનો ઉત્તર મારી જેમ જ આપી શકે છે. પરંતુ એ પોતાને તારી જેમ કેવલી નથી કહી શક્તા. પછી ભગવાને એ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ કર્યો કે લોક શાશ્વત છે. કેમકે તે સદા હતો છે અને રહેશે. લોક અશાશ્વત છે, કેમ કે એ ઉત્સર્પિણી, અવસર્પિણી વગેરે રૂપ પર્યાયોમાં બદલતો રહે છે. આ જીવ શાશ્વત છે, કેમ કે સદા હતો, છે અને રહેશે. તેમજ આ જીવ અશાશ્વત છે, કેમ કેનારક વગેરે પર્યાયોમાં બદલાતો રહ્યો છે. ભગવાનથી અળગાવ અને મિથ્યા પ્રરુપણાઃ- જમાલી નિરુતર થઈ ગયા અને શ્રદ્ધા પ્રગટ ન કરતાં મિથ્યાત્વ ઉદયના પ્રભાવે ત્યાંથી નીકળી ગયા, અનેક અસત્ પ્રરુપણા કરતાં વિચરવા લાગ્યા.આ રીતેમિથ્યાત્વના અભિનિ–વેશથી પોતાને અને બીજાને ભ્રાંત કરતાં તપ-સંયમનું પાલન કરવા લાગ્યા. પ્રથમ ગુણસ્થાનવર્તી હોવા છતાં અનેક વર્ષો(૧૦-૧૫ વર્ષ) સંયમનું પાલન કર્યું. ૧૫ દિવસના સંથારા બાદ કાળધર્મ પામીને છઠ્ઠા દેવલોકમાં કિલ્વિષિકદેવરૂપમાં ઉત્પન્ન થયા. જમાલી કિલ્પિષીક દેવ - જમાલીને કાળ ધર્મ પામ્યા જાણીને ગૌતમ સ્વામીએ એની ગતિ-સ્થિતિ, ભવ-ભ્રમણ સંબંધી પ્રશ્ન કર્યો. જવાબમાં ભગવાને જણાવ્યું કે જમાલી દેવલોકનો ભવ પૂરો કરીને ૪-૫ મનુષ્ય, તિર્યંચ, નરક, દેવના ભવ કરશે. પછી બધા કર્મનો ક્ષય કરીને મોક્ષે જશે. કિલ્વિષિકો ના ભવ ભ્રમણ - કિલ્વિષિક દેવ ત્રણ પ્રકારના હોય છે અને એના ત્રણ
સ્થાન છે. (૧) પ્રથમ દ્વિતીય દેવલોકની નીચલી પ્રતરમાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા (૨) ત્રીજા-ચોથાદેવલોકની નીચલી પ્રતરમાં ત્રણ સાગરોપમના આયુષ્યવાળા (૩)છઠ્ઠા દેવલોકમાં ૧૩ સાગરના આયુષ્યવાળા.
- આ કિલ્વિષિકો ઓછામાં ઓછા ૪-૫ નરક, તિર્યંચ, મનુષ્ય, દેવના ભવ કરે છે અને ઉત્કૃષ્ટ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. કારણ કે જે કુળ ગણ સંઘના વિરોધી ષી હોય છે, આચાર્ય, ઉપાધ્યાય, આદિના અપયશ, અવર્ણવાદ, અપકીર્તિ કરવાવાળા હોય છે; અનેક અસત્ય અર્થોની પ્રરૂપણા કરે છે; કદાગ્રહમાં પોતે ભ્રમિત હોય છે અને બીજાને ભ્રમિત કરે છે, સાથે નિરંતર તપ સંયમની વિધિઓનું ઉત્કૃષ્ટપાલન કરે છે. અંતિમ સમય સુધી પોતાની મિથ્યાવાદિતાની આલોચના-પ્રાયશ્ચિત્ત શુદ્ધિકરણ નથી કરતાં, તે જીવ આ કિલ્વિષિકદેવસ્થાનોને પ્રાપ્ત કરે છે. દશવૈકાલિક સૂત્ર અધ્ય. પર અનુસાર તપ સંયમના ચોર એવા વિરાધક શ્રમણ પણ મિથ્યાત્વ પામી કિલ્વિષિકમાં જાય છે. ઔપપાતિક સૂત્ર આદિમાં પણ આનું વર્ણન છે.
૧૧૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org