SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ કરીને નિવેદન કર્યું, હેમંતે! આ જમાલીકુમાર અમારો એકનો એક પુત્ર છે તે અમને ઈષ્ટ, કાંત, વલ્લભ છે. એ જળ કમળની જેમ ભોગોથી વિરક્ત બની ગયો છે. એને અમે તમને શિષ્યરૂપી ભિક્ષા આપીએ છીએ, તમે સ્વીકાર કરો. ત્યારે શ્રમણ ભગવાન મહાવીર એનો સ્વીકાર કરે છે અને જમાલીકુમારને નિર્દેશ કરતાં કહે છે કે હે દેવાનુપ્રિય!તમને સુખ થાય તેમ કરો. ત્યારે જમાલીકુમારે ઈશાન ખૂણામાં નિશ્ચિત જગ્યા)માં જઈને પોતે જ વસ્ત્રઆભૂષણઉતાર્યા.માતાએ એને શુદ્ધવસ્ત્રમાં ગ્રહણ કર્યાઅને આંસુ સારતા જમાલીકુમારને અંતિમ શિક્ષા વચન કહ્યા કે હે પુત્ર! તું સારી રીતે સંયમ પાલન કરજે. તપમાં પરાક્રમી બનજે અને જરાપણ પ્રમાદન કરજે. આ પ્રમાણે શિક્ષા વચન કહેતાં માતા-પિતા ભગવાનને વંદન-નમસ્કાર કરીને ચાલ્યા ગયા. ૫૦૦ પુરુષો સાથે દીક્ષા ગ્રહણ :- જમાલીકુમાર ચાર આંગળની ચોટીના વાળનો પંચમુક્ટિ લોન્ચ કરી ભગવાનની સામે પહોંચ્યા. જમાલીની સાથે જ ૫૦૦ બીજા પુરુષો દીક્ષા લેવા માટે તૈયાર થઈ ગયા હતા. પ્રભુએ ૫૦૦ પુરુષોની સાથે જમાલીકુમારને દીક્ષિત કર્યા. તેનું વિસ્તૃત વર્ણન અહીં નથી. - દીક્ષા લઈને જમાલી અણગારે સંયમ વિધિઓનો જ્ઞાન અને અભ્યાસ કર્યો, તપ-સંયમમાં આત્માને ભાવિત કર્યો યાવત્ ૧૧અંગશાસ્ત્રોનું અધ્યયન કર્યું. સ્વતંત્ર વિચરણ :- કોઈ સમયે જમાલી અણગારે સ્વતંત્ર વિચરણ માટે ભગવાનને નિવેદન કર્યું. ભગવાને એવી સ્પર્શના જાણીને એને સ્વીકૃતિ ન આપી અને મૌન રાખ્યું. ૫૦૦ શિષ્યો સહિત એમણે ભગવાનને વંદન કરીને ત્યાંથી વિહાર કર્યો. વિહાર કરતાં તેઓ શ્રાવસ્તિ નગરીમાં પહોંચ્યા. આહારની અનિયમિતતાથી અને અરસાહાર, વિરસાહારથી, રુક્ષ, પ્રાંત, કાલાતિક્રાંત, પ્રમાણાતિકાંત અને શીતળ આહારથી એમના શરીરમાં વિપુલ રોગ ઉત્પન્ન થયો, પ્રગાઢ દુસ્સહ વેદના થવા લાગી. એનું શરીર પિત્ત જવર અને દાહથી આક્રાંત થઈ ગયું. મિથ્યાત્વઉદય –વેદનાથી પીડિત બનેલા જમાલી અણગારેશ્રમણોને સંથારો(પથારી) કરવાનું કહ્યું. પથારી કરવામાં થોડો સમય લાગ્યો. એમને ઉભા રહેવાનું અસહ્ય થઈ ગયું હતું. જલ્દીથી એમણે તેઓને પૂછી લીધું કે હે દેવાનુપ્રિયે પથારી પાથરી લીધી કે પાથરો છો? શ્રમણોએ ઉત્તર આપ્યો કે અત્યારે પથારી પાથરી નથી, પાથરી રહ્યા છીએ. કષ્ટની અસહ્યતાને કારણે એવાક્યો પરએનું ઊંધું ચિંતનચાલવા લાગ્યું.મિથ્યાત્વકર્મદલીકોનો ઉદય થયો અને આ પ્રમાણે વિચારવા લાગ્યા કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો સિદ્ધાંત છે કે “ચાલતાં-ચાલતાં ચાલ્યા, કરતાં-કરતાં કર્યું', આ સિદ્ધાંત મિથ્યા છે. આ હું પ્રત્યક્ષ અનુભવ કરું છું. આ પ્રકારના મનોગત ભાવ એમણે શ્રમણોની સામે રાખ્યા. કેટલાક શ્રમણોએ એમની આ વાત પર શ્રદ્ધા કરી અને કેટલાકે શ્રદ્ધા નકરી, પ્રતિકાર કર્યો. પરંતુ મિથ્યાત્વ ઉદયના પ્રભાવથી જમાલીને એ દઢ નિશ્ચય થઈ ગયો કે ભગવાનનો સિદ્ધાંત મિથ્યા છે. ત્યારે કેટલાક શ્રમણ જ્યાં ચંપાનગરીમાં ભગવાન બિરાજમાન હતાં ભગવતી સૂત્રઃ શતક-૯ | |૧૧૩] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy