SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમ પાલન કરવું કઠિનહોઈ શકે છે. પરંતુ જે આલૌકિક સુખોની આશાથી મુક્ત-વિરક્ત થઈ ગયા છે, ધીર, વીર, દેઢ નિશ્ચયવાળા પુરુષ હોય છે, એના માટે સંયમની મુશ્કેલી જરાપણ બાધક નથી. પરંતુ આનંદદાયક હોય છે. આથી હે માતા-પિતા ! સંપૂર્ણ દુઃખો અને ભવ પરંપરાનું ઉન્મેલન કરનારા, સુખમય સંયમ ગ્રહણ કરવાની આપ મને આજ્ઞા આપો. સંયમની આજ્ઞા – કોઈપણ પ્રકારે માતા-પિતા જમાલીકુમારની વૈરાગ્યભાવનાને રોકી શક્યા નહીં, અંતે કમને સ્વીકૃતિ આપવી પડી. પછી તેનો દીક્ષા મહોત્સવ ઉજવ્યો. જમાલીની અભિલાષા પ્રમાણે કુત્રિકાપણમાંથી બે લાખ સોનૈયાનાં રજોહરણ પાત્ર મંગાવ્યાં હજામને બોલાવ્યો, હજામે મોં પર મુખવસ્ત્ર બાંધીને જમાલીના વાળ કાપ્યા, ચોટીના લગભગ ચાર આંગળ ક્ષેત્ર પ્રમાણે વાળ રાખી બધા વાળોનું ખુર મુંડન કર્યું. એને પણ એક લાખ સોનૈયા આપ્યા. એ વાળને સ્વચ્છ વસ્ત્રમાં લઈને ધોઈને માતાએ રત્નકરંડકમાં રાખી પોતાના ઓશિકાની પાસે રાખી દીધા. પછી જમાલીને ઉત્તરાભિમુખબેસાડીને માતા-પિતાએ મંગળકળશોથી સ્નાનવિધિ કરાવી; વસ્ત્ર, માળા, આભૂષણો થી સુસજ્જિત કર્યા. હજાર પુરુષ ઉપાડે તેવી પાલખી મંગાવી એમાં જમાલીકુમાર પૂર્વાભિમુખ સિંહાસન પર બેસી ગયા. એની જમણી તરફ માતા-પિતા પણ બેસી ગયા. પછી અપૂર્વ વૈભવની સાથે અને અનેક મંગળોની સાથે વિશાળ જન સમુદાય સાથે, ઘોડા, હાથી, રથ વગેરે સાથે એ દીક્ષા મહોત્સવનો વરઘોડો રાજમાર્ગો પરથી આગળ વધ્યો. ઘરોમાંથી સેંકડોહજારો સ્ત્રી-પુરુષો એ વરઘોડાને અને દીક્ષાર્થી જમાલીકુમારને જોવા લાગ્યા. ક્ષત્રિયકુંડ ગ્રામ નગરથી એ વરઘોડો બ્રાહ્મણકુંડ ગ્રામ નગરની તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં ઉત્સાહી લોકો વિવિધ જય જયકાર કરતા, મંગલ અવાજ કરતા જઈ રહ્યા હતા. એમાં મુખ્ય નારા આ પ્રમાણે હતા. દીક્ષાર્થીના નારા – હે નંદ (આનંદદાયક—આનંદ ઇચ્છુક) !તમારી ધર્મ દ્વારા જય હો! હે નંદ! તપથી તમારી જય હો! હે નંદ. તમારું કલ્યાણ હો! હે નંદ! તમે અખંડિત જ્ઞાન-દર્શન, ચારિત્રના સ્વામી બનો! હે નંદ! તમે ઇન્દ્રિય જયી બનો. હે નંદ! તમે બધા વિક્નોને પાર કરો! હે નંદ! આપપરીષહરૂપી સેના પર વિજય મેળવો. હે નંદ! તમે રાગ-દ્વેષરૂપી મલ્લો પર વિજય પ્રાપ્ત કરો. હે નંદ! ઉત્તમ શુકલ ધ્યાન દ્વારા કર્મરૂપી શત્રુઓનું મર્દન કરો. હે ધીર! ત્રણ લોક રૂપ વિશ્વ-મંડપમાં ઉત્તમ આરાધના રૂપ વિજય પતાકા ફરકાવો. હે ધીર! અપ્રમત્ત થઈ સંયમમાં વિચરણ કરો. હે વીર ! નિર્મળ વિશદ્ધ અનુત્તર કેવલજ્ઞાન પ્રાપ્ત કરો. હે વીર! તમારા ધર્મમાર્ગમાં કોઈ પ્રકારનું વિઘ્ન નહો. હે મહાભાગ! તમે પરમપદરૂપ મોક્ષ પ્રાપ્ત કરો. દીક્ષાર્થી ભગવાનના સમવસરણમાં :- વરઘોડો ભગવાનના સમવસરણ સ્થળની નજીક પહોંચી ગયો. જમાલીકુમારે છત્ર, ચામર, શિબીકાનો ત્યાગ કર્યો. પગે ચાલીને માતા-પિતાની સાથે ભગવાનની સામે પહોંચ્યા. માતા-પિતાએભગવાનનેવંદનનમસ્કાર ૧૧૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy