SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ રાખવાથી ૪+૩+૨+૧=૧૦ભંગબને છે. બીજીને છોડીનેત્રીજીને કાયમ રાખવાથી ૩+૨+૧= ૬ભંગ બને. ચોથીને કાયમ રાખવાથી ર+૧=૩ભંગ બને અને પાંચમી છઠ્ઠી સાતમી નરકથી ૧ભંગ થાય છે. એમ કુલ ૧૫+ ૧૦++૩+૧ = ૩પ ભંગ થાય છે. આ પ્રકારથી બે સંયોગી અને ત્રણ સંયોગીના ભંગ બનાવીને બતાવ્યા છે. આ વિધીથી આગળ ભંગ સમજી લેવા જોઈએ. વિસ્તૃત અને વિવિધ ભંગવિધિઓ તથા સૂત્રગત સંપૂર્ણભંગોના સ્પષ્ટીકરણ માટે જુઓ પરિશિષ્ટ–૨] (૧) છઠ્ઠા શતકના ચોથા ઉદ્દેશકને “શબ્દ ઉદ્દેશક સંજ્ઞાથી કહી અહીં કેવલજ્ઞાનના વિષયની ભલામણ આપી છે. લોકસ્વરૂપ માટે શતક–પની ભલામણ આપી છે. (૨) નૈરયિક વગેરે સ્વતઃ(પોતેજ) જન્મે છે, મરે છે. ભગવાન પણ સર્વજ્ઞ હોવાથી પોતે જ જાણતા-જોતા હોય છે; પરતઃ(બીજા વડે) અથવા સાંભળીને નહીં. પરંતુ તેઓ વગર સાંભળીને પણ સંપૂર્ણ પરિમિત-અપરિમિત વસ્તુ તત્ત્વને જાણે છે. (૩) આ ઉપરના બધા પ્રશ્નોત્તરો દ્વારા અને આગળ પરિશિષ્ટ–રમાં દર્શાવેલ ભંગ જાળોના સમાધાન દ્વારા ગાંગેય અણગારે(પાર્શ્વનાથ તીર્થકરના શાસનવર્તી શ્રમણે) ભગવાન મહાવીરને સર્વજ્ઞ હોવાનો વિશ્વાસ કર્યો; પછી શ્રદ્ધા-ભક્તિની સાથે વંદન નમસ્કાર કરી ભગવાન પાસે પાંચ મહાવ્રત ધર્મ સ્વીકાર કર્યો. (૪) આ રીતે અવિશ્વાસ અને પરીક્ષણનું કારણ એ બની ગયું કે ગોશાલક પણ એ સમયે ૨૪મો તીર્થકર મનાતો હતો. એણે પણ દેવસહયોગથી બાહ્ય દેખાવ તીર્થકર સમાન બનાવ્યો હતો અને નિમિત્ત જ્ઞાનથી ભૂત-ભવિષ્યની વાતો પણ કહેતો હતો. (૫) પરીક્ષા કરવાની ઇચ્છા ધરાવનાર સાધક કોઈને કોઈ પ્રકારે માર્ગ કાઢી જલે છે. તત્ત્વજ્ઞાન સંબંધી પ્રશ્નોના ઉત્તર, નિમિત્તજ્ઞાન અને દેવસહાયથી નથી આપી શકાતા ત્યાં તો પોતાના જ્ઞાનથી હાજરજવાબદેવાનો હોય છે. સાચા સર્વશને આવા ઉત્તર આપવામાં જરા પણ ગડમથલ થતી નથી અને નકલી સર્વજ્ઞ બનેલાઓ આવા ભંગ જાળમાં અટક્યા વિના તુરત જવાબદેવામાં સમર્થ હોતા નથી. ગાંગેય અણગારે તે જ ભવમાં મોક્ષ મેળવીને બધા જદુઃખોનો અંત કર્યો. ઉદ્દેશકઃ ૩૩ ભગવાન મહાવીરના માતા-પિતા – રાણી ત્રિશલા અને રાજા સિદ્ધાર્થ ભગવાન મહાવીરના પ્રસિદ્ધ માતા-પિતા હતા. પરંતુ દસમાંદેવલોકથી આવીને ભગવાન પહેલા દેવાનંદાબ્રાહ્મણીના ગર્ભમાં ૮૩દિવસ રહ્યા હતા. આ અપેક્ષાએઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણી પણ ભગવાનના માતા-પિતા હતા. એકવાર વિહાર કરતાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બ્રાહ્મણ કુંડગ્રામ નામના નગરમાં પધાર્યા. ઋષભદત્ત અને દેવાનંદા પણ દર્શન કરવા માટે સમવસરણમાં આવ્યા હતા. ૧૦૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy