________________
-
-
ઉદ્દેશકઃ ૩૧
(૧) અસોચ્ચા કેવલીઃ- (૧) ધર્મનો બોધ-જ્ઞાનાવરણીય કર્મનાક્ષયોપશમથી (૨) ધર્મની શ્રદ્ધા- દર્શન મોહના ક્ષયોપશમથી (૩)દીક્ષા–ચારિત્ર-મોહ અને વીર્યંતરાયના ક્ષયોપશમથી (૪) બ્રહ્મચર્ય વાસ-ચારિત્રમોહ અને વીર્યાતરાયના ક્ષયોપશમથી (૫) સંયમ જતના-ચારિત્રમોહ અને વીર્યાત–રાયના ક્ષયોપશમથી (૬) સંવર– ચારિત્રમોહ અને વીર્યંતરાયના ક્ષયોપશમથી (૭) થી (૧૦) ચાર જ્ઞાન-જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી (૧૧) કેવલજ્ઞાન-જ્ઞાનાવરણીયના ક્ષયથી. કેવલ જ્ઞાન પ્રાપ્તિ – નિરંતર છઠ, છઠના પારણા કરે, બંને હાથ ઊંચા કરીને સૂર્યની સામે આતાપના લે, સ્વભાવથી ભદ્ર હોય, વિનીત હોય, એને અધ્યવસાયો થી, જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ થી વિભંગ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે જીવઆદિને જાણે છે, જુએ છે. પાખંડી અને આરંભી, પરિગ્રહી, સંકિલષ્ટ જીવોને પણ જુએ છે; વિશુદ્ધ જીવોને પણ જુએ છે. જેનાથી સમકિત પ્રાપ્ત કરે છે. વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાનમાં પરિણમે છે. પછી યોગ્યક્રમથી ચાર ધાતકર્મોનો ક્ષય કરીને કેવલજ્ઞાન કેવલદર્શન પ્રાપ્ત કરે છે.
અવધિજ્ઞાન પ્રાપ્ત થવાના સમયે ૩–શુભલેશ્યા, ૩-જ્ઞાન, ત્રણે યોગ બન્ને ઉપયોગ હોય છે. સંહનન પ્રથમ, સંસ્થાન–૬, અવગાહના ૫૦૦ ધનુષ્ય ઉત્કૃષ્ટ, વેદપુરુષ અને પુરુષ નપુંસક, સંજવલનનો ચોક, પ્રશસ્ત અધ્યવસાય.
તેઓ કેવલી બનીને અન્ય લિંગ માંથી સ્વલિંગ ધારણ કર્યા પહેલા ઉપદેશ (પ્રવચન) દેતા નથી. વ્યક્તિગત પ્રશ્નનો જવાબ અને બોધ આપી શકે છે. દીક્ષા નથી આપતા પરંતુ નિર્દેશ કરી શકે છે. આ કેવલી ત્રણે લોકમાં હોઈ શકે છે. વૃત વૈતાઢય, સોમનસવન, પંડકવન, પાતાલ કળશ આદિમાં હોઈ શકે છે. આ કેવલી એક સમયમાં વધારેમાં વધારે દસ હોઈ શકે છે. આ બધું વર્ણન અન્ય લિંગવાળા અસોચ્યા કેવળીની અપેક્ષા એ છે. સોચ્ચા કેવલી – અસોચ્ચાની સમાન વર્ણન છે. વિશેષ આ સ્વલિંગ ની અપેક્ષા એ કથન છે. અઠ્ઠમના નિરંતર તપથી આત્માને ભાવિત કરે છે. અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. વધારેમાં વધારે અસંખ્ય લોકખંડ જોઈ શકવા જેટલું હોય છે.
| સ્વલિંગી હોવાથી લાંબા સમયની અપેક્ષાલેશ્યા-કહી છે. ઉત્કૃષ્ટજ્ઞાન-૪ હોય છે અને યોગ–ઉપયોગ વગેરે અસોચ્ચા સમાન હોય છે. લાંબા કાળની અપેક્ષા સવેદી-અવેદી બને કહે છે. સ્ત્રી, પુરુષ અને પુરુષ નપુંસક હોઈ શકે છે.
સંજવલન કષાય૪–૩–૨ અથવા હોઈ શકે છે. અકષાયી પણ હોઈ શકે છે.
પ્રશસ્ત અધ્યવસાયોથી કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે કેવલી ઉપદેશ પણ આપે છે. દીક્ષા પણ આપે છે. કેમ કે સ્વલિંગી જ છે.
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org