________________
ઉદ્દેશક : ૯
(૧) વિશ્રસા બંધ - અનાદિવિશ્રસા બંધ ધર્માસ્તિકાય આદિ છે. સાદિ વિશ્રસા બંધના ત્રણ પ્રકાર પડે છે– (૧) પરમાણુ આદિ પુદ્ગલોનો બંધ બંધન પ્રત્યયિક' વિશ્રસા બંધ છે.
(૨) ગોળ, અનાજ આદિ પદાર્થોનો કોઈ વાસણમાં જે પિંડ હોય છે તે “ ભાજન પ્રત્યયિક બંધ હોય છે.
(૩) વાદળોના બંધ પરિણામ પ્રત્યયિક વિશ્રસાબંધ છે. સ્થિતિ–બંધન પ્રત્યયિકની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાળની હોય છે. ભાજન પ્રત્યયિકની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સંખ્યાતા કાળની હોય છે. પરિણામ પ્રત્યયિકની સ્થિતિ જઘન્ય એક સમયની ઉત્કૃષ્ટ મહિનાની હોય છે. (ર) પ્રયોગ બંધઃ- જીવના આઠ રુચક પ્રદેશોમાં ત્રણ ત્રણનો બંધ અનાદિ અનંત છે. સિદ્ધોનો સાદિ અનંત બંધ બધા આત્મપ્રદેશોનો છે.
સાદિ સાંત પ્રયોગ બંધના ચાર પ્રકાર છે–(૧) ઘાસ લાકડી આદિના ભારા બાંધવા અલિયાવણ બંધ છે.
(ર) માટી ચૂના લાખ આદિનું શ્લેષણાબંધ. કોઈ ચીજનો ઢગલો કરવો ઉચ્ચય બંધ, કુવા, વાવડી મકાન આદિ બંધાવવા સમુચ્ચય બંધ, રથ, ઘોડા આદિ બનાવવાદેશ સંહનન બંધ અને દૂધ પાણીનું એક થવુંસર્વ સંહનન બંધ એમ ચાર પ્રકારના આ બીજા અલિયાવણ પ્રયોગ બંધ છે.
(૩) સમુદ્યાતગત બહાર નીકળેલ આત્મ પ્રદેશોના તૈજસ કાર્મણનાં બંધ શરીર બંધ છે.
(૪) પાંચ પ્રકારના શરીરના જે બંધ હોય છે. તે શરીર પ્રયોગ બંધ છે. (૩) દેશબંધ સર્વબંધ:- પાંચ શરીરનાં પ્રથમ સમયવર્તી બંધ સર્વબંધ કહેવાય છે. બાકી બધા સમયનો બંધ દેશબંધ કહેવાય છે. વૈક્રિય અથવા આહારક લબ્ધિવાળા જ્યારે શરીર બનાવે છે, ત્યારે પણ પ્રથમ સમયમાં સર્વબંધ હોય છે. જીવ જ્યાં ઉત્પન્ન થાય છે, ત્યાં પ્રથમ સમય જે આહાર લે છે, તે સર્વબંધ છે. બાકી પૂરા જીવનમાં વૈક્રિય આદિલબ્ધિપ્રયોગના પ્રથમ સમયને છોડીને દેશબંધ હોય છે. વાટે વહેતા અથવા બે સમયની અણાહારક અવસ્થામાં ત્રણ શરીરની અપેક્ષા દેશબંધ સર્વબંધ બન્ને નથી હોતા.
ભગવતી સૂત્રઃ શતક-૮
૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org