SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) બાંધ્યો, બાંધે, બાંધશે (૨) બાંધ્યો, બાંધે, બાંધશે નહીં (૩) બાંધ્યો, બાંધે નહીં, બાંધશે (૪) બાંધ્યો, બાંધે નહીં, બાંધશે નહીં = ક્ષપક શ્રેણીની અપેક્ષા. આ બંધ પણ સર્વથી સર્વ હોય છે. દેશ બંધ નથી હોતા. (૫) પરીષહ :– પરીષહ રર છે. તેનો વિસ્તાર સારાંશ ખંડ–ર માં જુઓ. આ પરીષહ ચાર કર્મના ઉદયથી થાય છે. તે આ પ્રકારે છે. જ્ઞાનાવરણીય કર્મથી પ્રજ્ઞા પરીષહ(મતિ-શ્રુતના આવરણ કર્મની અપેક્ષા) અજ્ઞાન પરીષહ. (બાકી ત્રણના આવરણકર્મની અપેક્ષા) વેદનીય કર્મથી (૧) ભૂખ, (૨) તરસ, (૩) ગરમી, (૪) ટાઢ, (૫) ડાંસ-મચ્છર, (૬) ચર્યા, (૭) શય્યા, (૮) વધ, (૯) રોગ, (૧૦) તૃણ સ્પર્શ, (૧૧) જલ્લ-મેલ, આ બધા પરીષહો અશાતાવેદનીયની અપેક્ષાએ છે. મોહનીય કર્મથી (૧) અચેલ, (૨) અરરિત, (૩) સ્ત્રી, (૪) નિષદ્યા, (૫) આક્રોશ, (૬) યાચના, (૭) સત્કાર, પુરસ્કાર (૮) દર્શન પરિષહ(આ દર્શન મોહનીયથી). પ્રથમના સાત પરીષહ ચારિત્ર મોહનીયની અપેક્ષાએ છે. અભવીની અપેક્ષા. ભવીની અપેક્ષા. ઉપશમ શ્રેણીની અપેક્ષા. = અચેલ–જુગુપ્સામોહનીયથી,અરતિ-અરતિમોહથી,સ્ત્રી–વેદમોહથી,નિષધાભય મોહથી, આક્રોશ-માન અથવા શોકથી, યાચના અને સત્કાર પુરસ્કારમાનમોહના ઉદયથી અથવા ક્ષયોપશમથી, અંતરાય કર્મથી અલાભ પરીષહ. ૧૦૦ પહેલાથી સાતમા ગુણસ્થાન સુધી ૨૨ પરીષહ. આઠમામાં ૨૧, નવમામાં ૧૮, દસમાથી બારમા સુધી ૧૪, તેરમા ચૌદમામાં ૧૧ પરીષહ છે. આમાંથી છદ્મસ્થોને શીત–ઉષ્ણ પરીષહ એક સાથે થતા નથી અને ચર્યા–નિષધા પરીષહ એક સાથે થતા નથી. જેથી એક સાથે બે—બે પરીષહ ઓછા થાય છે. વીતરાગ ગુણસ્થાનોમાં શીત-ઉષ્ણ અને ચર્યા–શય્યા પરીષહ એક સાથે થતા નથી. છદ્મસ્થ મનુષ્ય ચર્યા અને શય્યા બન્ને પરીષહ સંકલ્પ વિકલ્પોની અપેક્ષાએ એક સાથે વેદી શકે છે. વીતરાગ આ બન્નેમાંથી એક સાથે એક જ વેદે છે. કેમ કે તેમને સંકલ્પ વિકલ્પ હોતા નથી. સાત કર્મ બંધક અને આઠ કર્મ બંધકને ૨૨ પરીષહ હોય છે. પવધ બંધક, એકવિધ બંધક છદ્મસ્થને ૧૪ પરીષહ છે. એકવિધ બંધક કેવળીના ૧૧ પરીષહ છે. અબંધકના ૧૪મા ગુણસ્થાનમાં પણ ૧૧ પરીષહ છે. (૬) લેશ્યા(તેજ)ના પ્રતિઘાત થવાથી સવાર-સાંજ સૂર્ય દૂર હોવા છતાં પણ નજીક દેખાય છે. મધ્યાહ્નમાં નજીક હોવા છતાં પણ અભિતાપના કારણે દૂર દેખાય છે. ઊંચાઈની અપેક્ષા તો હંમેશા સમાન જ દૂર હોય છે. જ્યોતિષી સંબંધી વર્ણન જીવાભિગમ સૂત્રના સમાન છે. Jain Education International મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy