SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત છઠ્ઠા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧ : સાધુ-સાધ્વીજીએ છ પ્રકારના અકલ્પનીય વચન ન બોલવા જોઈએ (૧) અસત્ય (૨) હીલિત (૩) પ્રિંસીત (૪) કઠોર વચન (પ) ગૃહસ્થના સંબોધન (૬) ક્લેશ ઉત્પાદક વચન. સૂત્ર-૨ ઃ કોઈપણ સાધુ પર અસત્ય આરોપ ન લગાવવો જોઈએ કારણ કે પ્રમાણના અભાવમાં સ્વયંને જ પ્રાયશ્ચિત્તના પાત્ર બનવું પડે છે. સૂત્ર-૩-૬ : પરિસ્થિતિવશ સાધુ-સાધ્વી એક બીજાના પગમાંથી કાંટો કાઢી શકે છે અને આંખમાં પડેલ રજ આદિ પણ કાઢી શકે છે. સૂત્ર-૭-૧૮ : સૂત્રોક્ત વિશેષ પરિસ્થિતિઓમાં સાધુ કોઈપણ સાધ્વીને સહારો દઈ શકે છે અને પરિચર્યા પણ કરી શકે છે. જેમ કે ઉન્મત્ત, પાગલ, ભયાક્રાંત, અશાંતચિત્તાદિ. સૂત્ર-૧૯ : સાધુ-સાધ્વી સંયમ નાશક છ દોષોને જાણીને તેનો પરિત્યાગ કરે. (૧) અસ્થિર કાય રાખવી (૨) ચક્ષુ લોલુપ હોવું (૩) વાચાલ હોવું (૪) તણતણાટ કરવો (૫) ઇચ્છાઓને આધીન થવું () નિદાનકારી થવું. સૂત્ર-૨૦ : સંયમ પાલન કરનારાઓને વિવિધ સાધનાની અપેક્ષાથી છ પ્રકારની આચાર મર્યાદા હોય છે. સ્થવિરકલ્પ, જિનકલ્પ, પરિહારવિશુદ્ધ કલ્પ આદિ. નોંધ :- અહીં સંક્ષિપ્ત સૂત્ર સાર આપ્યા છે. વિસ્તાર માટે, વિવેચન સહિત આગમ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન રાજકોટના છે, તેનો સ્વાધ્યાય કરવો જોઈએ. ॥ બૃહત્કલ્પ સૂત્ર સારાશ સંપૂર્ણ કોઈપણ સ્વાઘ્યાયી-પાઠક દોષ દષ્ટિ કે દ્વેષ દૃષ્ટિ અથવા ઇર્ષ્યા દષ્ટિ રાખીને આ પુસ્તકનું અધ્યયન કરશે તો એ કર્મબંધ માટે થશે જ્યારે સ્વાધ્યાય તો માત્ર એકાંત નિર્જરાના ઉદ્દેશ્યથી જ કરાય છે. છેદ સૂત્રો છપાવા નહીં કે છેદ સૂત્રો વાંચવા નહી, એવું રટણ પણ કરતા રહેવું, પ્રરૂપણા પણ કરતા રહેવું અને આ છેદ સૂત્રનું સારાંશ પુસ્તક પણ વાંચી જાવું; એવી દુદરી નીતિ ક્યારે ય રાખવી નહીં. ય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004927
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 4
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2003
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy