SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ | વેદશાસ્ત્રઃ પરિશિષ્ટ ખંડ-૨ ર૮ માટે સંભોગ પ્રત્યયિક ક્રિયાના સંબંધમાં એવી ધારણા તથા પ્રરૂપણા ન કરવી જોઈએ કે “ગવેષણા કરનારાને દોષ લાગે છે, ખાવા કે ઉપયોગમાં લેનારાને કોઈ સંભોગપ્રત્યયાક્રિયા લાગતી નથી”. પરંતુ સૂત્રકૃતાંગ સૂત્ર અ.૧૦, માં કહેલ સૂચનાને ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યાં આધાકર્મી આહાર વગેરેનો ઉપયોગ કરવો આવશ્યક થઈ જાય તો તે સમૂહનો ત્યાગ કરીને એકત્વચર્યા ધારણ કરી લેવી જોઈએ, પરંતુ આધાકર્મી આહાર આદિ સેવનથી ક્રિયા લાગતી નથી, તેમ માનવું નહીં. સંભોગ વિસંભોગ સંબંધી અન્ય જાણકારી આજ પુસ્તકમાંથી (પરિશિષ્ટ નિબંધોથી) મેળવી લેવી જોઈએ. @ | પ્રકરણ-૧૬ઃ અનુમોદન ક્રિયાનું સ્પષ્ટીકરણ | [નિશીથ સૂત્ર ઉદ્દેશક-૧ઃ સૂત્ર-૧] " રેત વ સફળ" સૂત્રમાં કરાવવાની ક્રિયા આપી નથી. કરાવવું તે પણ એક પ્રકારની અનુમોદના જ છે. કારણ કે કરાવવામાં અનુમોદના નિશ્ચિત્ત છે. જેનાથી કરાવવાની ક્રિયાનું પણ ગ્રહણ થઈ જાય છે. ચૂર્ણિકારે પણ સાફuT-IRવ અનુમોદને, આ પ્રકારે વ્યાખ્યા કરી છે. તેમજ આદિ અને અંતના કથનથી મધ્યનું ગ્રહણ થઈ શકે છે. માટે જ્યાં પણ ફરે તે વા સાફMડું પાઠ છે, ત્યાં આ અર્થ સમજી લેવો જોઈએ કે- કરે છે કે કરાવે છે કે કરતાને અનુમોદન કરે છે. "સાફmફ"– કોઈપણ નિષેધ કાર્ય અંગે અભિરુચિ રાખવી સડ્રિન્ના છે, તે બે પ્રકારની છે– (૧) નિષેધ કાર્ય બીજા પાસે કરાવવું (૨) નિષેધ કાર્ય કરતા હોય તેની અનુમોદના કરવી. અનુમોદના પણ બે પ્રકારની છે. (૧) નિષેધ કાર્ય કરનારાની પ્રશંસા કરવી (૨) અકૃત્ય કરનારાને(ગણપ્રમુખ વગેરે દ્વારા) મનાઈન કરવી. શંકા – ગુરુતર દોષ શેમાં છે. કોઈ અન્ય પાસે નિષેધ કાર્ય કરાવવામાં કે નિષેધ કાર્યની અનુમોદના કરવામાં? સમાધાન – અનુમોદનામાં લઘુતર(ઓછો) દોષ છે અને કરાવવામાં ગુરુતર દોષ છે. – નિશીથ ચૂર્ણિ ભાગ-૨, પાના-રપ, ગાથા-પ૮૮. પ્રકરણ-૧૦: 7- સચિત્ત ધાન્ય ખાવાનું પ્રાયશ્ચિત્તા [ઉદ્દેશક-૪ઃ સૂત્ર-૩૧] દ્રવ્યકૃત્ન અને ભાવકૃત્ન, આ બે ભેદોના ચાર ભંગ થાય છે. દ્રવ્યકૃત્નનો અર્થ છે અખંડ અને ભાવકૃત્નનો અર્થ છે સચિત્ત. અહીં પ્રાયશ્ચિત્તનો વિષય હોવાથી ભાવકૃત્ન' (સચિત્ત) અર્થ જ ગ્રહણ કરવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004927
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 4
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2003
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy