SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત બતાવેલ છે.ટીકા— ત્રિમિટ્ન્ડે-નાૌહાનિત આવૃત્ત યદુષ્ણો તથા યન્ત્રાપુ स्वकाय परकाय शस्त्रोपहतत्वेन अचित्त भूतं जलं, तदेव यतीनाम् कल्प्यं गृहीतमुचितं । जायइ सचित्तय से गिम्हम्मि पहर पंचगसुवरि । चउपहरोवरिसिसिरे वासासु पुणो तिपहरुपरिं ॥८८२ ॥ यदूर्ध्वमपि ध्रियते, तदा क्षारः प्रक्षेपणीयो, येन भूय: सचित्तः न भवतीति । ૨૧૧ લઘુ પ્રવચન સારોદ્વારની મૂળ ગાથા ૮૫ માં પણ ગરમ અને ધોવણ બંને પ્રકારનાં અચિત્ત પાણીનો કાળ સમાન કહ્યો છે, જેમ કે— खाइमि तले विवच्चासे; ति - चउ - पण जाम उसिण नीरस्स । वासाइसु तम्माणं, फासुयजलस्सावि एमेव ॥ ८५॥ આ પ્રકારે ટીકા-ગ્રંથોમાં બંને પ્રકારના પ્રાસુક જળને ગ્રહણ કરવાનું વિધાન છે. માટે પૂર્વોક્ત પ્રચલિત ધારણા ભ્રાંત છે અને તે આગમ સંમત નથી; પરંતુ આગમ વિપરીત પ્રરૂપણા છે. તપસ્યામાં ધોવણ પાણી :- સ્થાનાંગ સૂત્રના ત્રીજા સ્થાનમાં ઉપવાસ વગેરે તપસ્યામાં પણ ધોવણ પાણી પીવાનું વિધાન કરેલ છે તથા કલ્પસૂત્રમાં પણ સમાચારી પ્રકરણમાં ચાતુર્માસમાં કરવામાં આવતા ઉપવાસ, છઠ્ઠ, અક્રમમાં ભાત, લોટ, તલ વગેરેના ધોવણ પાણીનું તથા ઓસામણ કે કાંજી વગેરે કુલ ૯ પ્રકારનાં પાણીનો ઉલ્લેખ કરીને સમસ્ત પ્રકારનાં અચિત્ત પાણી લેવાનું વિધાન કરેલ છે. તેનાથી પણ સ્પષ્ટ થઈ જાય છે કે ધોવણ પાણીને અકલ્પનીય કે શંકાયુક્ત માનવું કે તેવો પ્રચાર કરવો ઉચિત નથી. સારાંશ એ છે કે એષણા દોષોથી રહિત આગમ સંમત કોઈપણ અચિત્ત જલને ગ્રાહ્ય સમજવું જોઈએ. તેમજ તેનો નિષેધ ન કરવો જોઈએ. ગ્રહણ કરતી વખતે તે પાણી અચિત્ત થયું છે કે નહીં તેની પરીક્ષા કરવાની તથા ૠતુ અનુસાર તેનો ચલિત રસ થવાનું તેમજ ફરીથી ચિત્ત થવાના સમયનો વિવેક જરૂર રાખવો જોઈએ. પુનર૨ :– (૧) ધોવણ પાણીનો એકાંત નિષેધ કરવો તે આગમ વિપરીત પ્રરૂપણા છે. (૨) ધોવણ તેમજ શુદ્ધોદક અને ગરમ પાણી ગવેષણા કરીને લેવાનું ક૨ે છે. (૩) મુખ્ય ગવેષણા આ પ્રમાણે છે– ૧. આધાકર્મી—સાધુના નિમિત્તે બનેલ ન હોય. ૨. પાણીની માત્રાને ઉચિત અનુપાતથી જ તેમાં શસ્ત્ર પડેલ હોય. ૩. તરતનું ન હોવું જોઈએ અને વધારે કાલનું(બીજા દિવસનું) પણ ન હોવું જોઈએ. ૪. રસમાં ફેર ન પડયો હોય. (૪) કલ્પસૂત્ર અનુસારે પણ ત્રણ ઉપવાસ સુધી ધોવણ પાણી કલ્પે છે. (૫) આધાકર્મી ગરમ પાણી લેવાનો રિવાજ ઉચિત નથી. અચિત્ત ધોવણની પરીક્ષા :– બનેલા ધોવણને હલાવવાથી વાસણનું તળીયું કે ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004927
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 4
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2003
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy