SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર: ઠાણાંગ સૂત્ર સારાંશ (૬) તપસ્વી, રોગી અને નવદીક્ષિત એમ ત્રણે ય અનુકંપાને પાત્ર છે, જે તેમને પ્રતિકૂળ આચરણ કરે છે, તે અનુકંપાના પ્રત્યેનીક(વિરોધી) ગણાય છે. (૭) શરીરમાં હાડકા, મજ્જા, વાળ, મૂંછ, દાઢી, રોમ, નખ, એ પિતાના અંગ છે; માંસ, લોહી અને મસ્તક એ માતાના અંગ છે. ૯૩ (૮) શ્રમણ નિગ્રંથના ત્રણ મનોરથ છે– ૧. થોડું કે વધારે જેટલું પણ શ્રુત જ્ઞાન ઉપલબ્ધ છે તેનું સંપૂર્ણ અધ્યયન કરું. ૨. એકલ વિહાર પ્રતિજ્ઞા ધારણ કરી વિહાર કરુ. ૩. સલેખના-સંથારાયુક્ત પંડિત મરણ પ્રાપ્ત કરું. (૯) શ્રાવકના ત્રણ મનોરથ છે- ૧. ઓછો કે વધુ જેટલો પણ પરિગ્રહ છે તેનો ત્યાગ કરું. ૨. સંયમનો સ્વીકાર કરું. ૩. સંલેખના-સંથારો ધારણ કરી પંડિત મરણ પ્રાપ્ત કરું. મન-વચન અને કાયા એમ ત્રણેય યોગથી આ ત્રણે ય ભાવના ભાવવાથી મહાન કર્મનિર્જરા થાય છે, તેમજ સાધુ કે શ્રાવક સંસારચક્રનો અંત પામનાર બને છે. (૧૦) પરમાણુ પુદ્ગલની ગિત ૧. પરમાણુ પુદ્ગલથી ૨. અત્યંત રૂક્ષતાથી તેમજ ૩. અલોકથી પ્રતિહત થાય છે અર્થાત્ આ ત્રણે સિવાય પરમાણુની ગતિમાં અવરોધ આવતો નથી. (૧૧) સામાન્ય મનુષ્ય એક ચક્ષુવાળા, અવધિજ્ઞાની બે ચક્ષુવાળા અને કેવળજ્ઞાની ત્રણ ચક્ષુવાળા કહેવામાં આવ્યા છે.(અથવા કેવલજ્ઞાની એક ચક્ષુ, સામાન્ય મનુષ્ય દ્વિચક્ષુ અને અવધિજ્ઞાની ત્રણ ચક્ષુ.) (૧૨) અવધિજ્ઞાન થવા પર જીવ પહેલાં ઉપર જુએ છે, પછી તિરછું જુએ છે, અને ત્યારબાદ નીચે જુએ છે. (૧૩) સમ્યક પ્રકારથી અધ્યયન કરેલ, ચિંતન કરેલ અને સમ્યક પ્રકારથી તપ-સંયમનું આચરણ કરી અનુભવેલ ધર્મ 'સુઆખ્યાત' થાય છે. (૧૪) પાપ ત્યાગ ત્રણ પ્રકારથી થાય છે – ૧. જ્ઞાનપૂર્વક ૨. જ્ઞાન વિના જ કેવળ શ્રદ્ધા, દેખા-દેખીથી ૩. શંકા-પૂર્વક (સંદેહપૂર્વક). (૧૫) અવધિજ્ઞાની, મનપર્યવજ્ઞાની અને કેવળજ્ઞાની એ ત્રણેય ‘જિન’ કહેવાય છે. આ ત્રણે ય ‘કેવળી’ અને ‘અર્હત’ પણ કહેવાય છે. (૧૬) જિન પ્રવચન, મહાવ્રતો અને છ કાય જીવો એમ ત્રણેયમાં શંકા રહિત બની, શ્રદ્ધા રાખી પરીષહો જીતે, એ સાધુ માટે હિતકર તેમજ કલ્યાણકારી થાય છે. (૧૭) દરેક નરક પૃથ્વી પિંડની ચારેય તરફ ત્રણ વલય છે. ૧. ઘનોદધિ ૨. ઘનવાત ૩. તનુવાતવલય. (૧૮) પાંચ સ્થાવરને છોડીને શેષ દંડકની વિગ્રહગતિ ઉત્કૃષ્ટ ત્રણ સમયની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy