SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૧૯) ત્રણ તીર્થંકર ચક્રવર્તી પદ પ્રાપ્ત કર્યા બાદ તીર્થંકર બન્યા. આ સ્થાનમાં ત્રણની સંખ્યા સંબંધી અન્ય પણ અનેક વિષય કહેવામાં આવેલ છે, તેમાંના ઘણા વિષયોનું અન્ય આગમોમાં વિસ્તારથી વર્ણન છે. જેમાં વેદ, લેશ્યા, જીવોના ભેદ, યોનિ, કાલચક્ર, દીક્ષા, શૈક્ષ, સ્થવિર, પુરુષોની જુદી-જુદી મનોભાવના, શલ્ય, દર્શન, પ્રયોગ, સુગતિ, દુર્ગતિ, વચન, આરાધના, મિથ્યાત્વ, સંક્લેશ, નદી, વ્રહ, પર્વત, ક્ષેત્ર, દ્વીપ, સમુદ્ર, પ્રવ્રજ્યા આદિ માટેના અયોગ્ય, પ્રત્યેનીક, ઋદ્ધિ આદિ ગર્વ, કરણ, મરણ, નક્ષત્ર, ત્રૈવેયક, પાપ કર્મ, પુદ્ગલ વગેરે વિષય છે. ચોથા સ્થાનનો સારાંશ પ્રથમ ઉદ્દેશક (૧) ૧. ઓછામાં ઓછું કષ્ટ અને ઓછી દીક્ષા પર્યાયથી મોક્ષ મેળવનાર ‘મરુદેવી માતા’. ૨. ઓછું કષ્ટ, વધુ દીક્ષા પર્યાયથી ‘ભરત ચક્રવર્તી’ને મોક્ષ પ્રાપ્ત થયેલ. ૩. વધુ કષ્ટ અને ઓછી દીક્ષા પર્યાયથી મોક્ષ મેળવનાર ‘ગજસુકુમાલ’. ૪. અધિક કષ્ટ અને અધિક દીક્ષા પર્યાયથી મોક્ષપદ પામનાર ‘સનત્કુમાર’ ચક્રવર્તી. (૨) મનુષ્ય, શરીરથી ઉચ્ચ હોવાની સાથે સાથે – ૧. ગુણોથી ૨. ભાવોથી ૩. રૂપથી ૪. ઉદારતાથી ૫. સંકલ્પોથી ૬. બુદ્ધિથી ૭. દ્રષ્ટિથી ૮. શીલાચારથી ૯. વ્યવહારથી ૧૦. પુરુષાર્થથી પણ ઉચ્ચ હોવા જોઈએ. તેના માટે દસ ચૌભંગી વૃક્ષની સાથે તુલના કરીને કહેલ છે. આ પ્રકારે અન્ય પણ દસ-દસ ચૌભંગી છે. મનુષ્ય, શરીરથી સરળ હોવાની સાથે ઉપરોક્ત ગુણોમાં પણ સરળ હોવા જોઈએ; તેની પણ દસ ચૌભંગી છે. (૩) પ્રતિમાધારી સાધુ ચાર કારણોથી બોલે છે—૧. આહાર-વસ્ત્ર આદિની યાચના કરવા માટે ૨. સૂત્ર, અર્થ કે માર્ગ પૂછવા માટે ૩. મકાન વગેરેની આજ્ઞા લેવા માટે ૪. પ્રશ્નનો ઉત્તર દેવા માટે. ર. (૪) ૧. પિતાથી સારો ૨. પિતા સમાન ૩. પિતાથી હીન ૪. કુળનો યશ વગેરે નાશ કરનાર, આ ચાર પ્રકારના પુત્ર હોય છે. (૫) વેલ, બહુથી જલ્દીથી ફળ આપે છે, આંબો તેના યોગ્ય સમયે ફળ આપે છે. તાલવૃક્ષ લાંબા સમયે ફળ આપે છે અને મિંઢ-વિષાણ ફળતું જ નથી. તેવી જ રીતે મનુષ્ય પણ ચાર પ્રકારના હોય છે. (૬) નરકના દુઃખોથી ગભરાઈને નારકી મનુષ્ય લોકમાં જવા ઇચ્છે છે પરંતુ કર્મક્ષય અને આયુષ્ય ક્ષય થયા વિના જઈ શકતા નથી. કોઈ દેવ પણ તેમને લાવી શકતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy