SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૧૭) વિલાપ કરવો, બડબડાટ કરવો તેમજ આર્ત-રૌદ્રધ્યાન કરવું તે સાધુ માટે યોગ્ય નથી. (૧૮) ચૌવિહાર ત્યાગ યુક્ત તપસ્યાઓ કરવાથી લબ્ધિઓ ઉત્પન્ન થાય છે અર્થાત્ તપસ્યામાં પાણીનો ત્યાગ કરવો એ મહત્ત્વશીલ આચાર છે. ર (૧૯) સામ, દામ, દંડ અને ભેદ એ ચાર નીતિ તે રાજનીતિ છે. (૨૦) ત્રણ પ્રકારના વિશિષ્ટ અવિનય કહેવાય છે– ૧. સ્થાન છોડી ચાલ્યા જવું. ૨. પૂર્ણ સંબંધ છોડી દેવો. ૩. રાગ-દ્વેષ ફેલાવવો. (૨૧) શ્રમણ નિગ્રંથોની સેવામાં શાંતિથી બેસવાથી અર્થાત્ પર્યુપાસના કરવાથી ધર્મ શ્રવણનો લાભ મળે છે, જેનાથી જ્ઞાન, શ્રદ્ધા, વ્રત, પચ્ચક્ખાણ વિગેરેની પ્રાપ્તિ થાય છે, તેમજ તેની ઉત્તરોત્તર વૃદ્ધિ કરતાં કરતાં તપ-સંયમની આરાધનાથી મોક્ષનો લાભ મળે છે. તેથી સાંસારિક કાર્યોમાંથી થોડો સમય બચાવીને અવશ્ય ધર્મલાભ પ્રાપ્ત કરવો જોઈએ. ચોથો ઉદ્દેશક (૧) ઉદ્ગમ, ઉત્પાદના અને એષણાના, તે ત્રણેય દોષો સંયમને દૂષિત કરે છે. (૨) અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચાર (કોઈ કાર્ય માટે વિચારવું, પગલું ભરવું અને આગળ વધવું)ની આલોચના, પ્રતિક્રમણ, નિંદા ગહરૂપે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. અનાચારની આલોચના સાથે તપ વગેરે ગ્રહણ રૂપ વિશેષ પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. (૩) ત્રણ કારણોથી (અલ્પ) સામાન્ય ભૂમિકંપ થાય છે– ૧. પૃથ્વીમાં રહેલા કોઈ પુદ્ગલોનો ક્ષય (નષ્ટ) થવાથી. ૨. પૃથ્વીની અંદર રહેનાર વિશાળકાય 'મહોરગ'ના વિશેષ રીતના હલનચલન વગેરે ક્રિયા કરવાથી. ૩. વ્યંતર તેમજ નવનિકાય વગેરે દેવોનો પૃથ્વી પર સંગ્રામ થવાથી. ત્રણ કારણોથી સંપૂર્ણ પૃથ્વીનું કંપન થાય છે – ૧. પૃથ્વીને આધારભૂત ઘનવાત વગેરે ક્ષુભિત થવાથી ૨. કોઈ મહા ઋદ્ધિવાન દેવ શ્રમણ નિગ્રંથને પોતાની ઋદ્ધિ સામર્થ્ય દેખાડવા સંપૂર્ણ પૃથ્વીનું કંપન કરે. ૩. વૈમાનિક દેવો અને અસુરોમાં પૃથ્વી પર સંગ્રામ થવાથી. (૪) સૌધર્મ-ઈશાન દેવલોકમાં ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા પ્રથમ કિવિષી છે. સનત્કુમાર-માહેન્દ્ર દેવલોકમાં ત્રણ સાગરોપમની સ્થિતિવાળા બીજા કિલ્વિષી છે. લાંતક (છઠ્ઠા) દેવલોકમાં તેર સાગરોપમની સ્થિતિવાળા ત્રીજા કિલ્વિષી છે. (૫) ત્રણ પર્વત ચૂડી આકારના (વલયાકાર) છે – ૧. માનુષોત્તર પર્વત ૨. કુણ્ડલવર પર્વત ૩. રુચકવર પર્વત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy