SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્રઃ ઠાણાંગ સૂત્ર સારાંશ ૯૧ (૬) કોઈને મોટા દોષનું સેવન કરતાં સ્વયં જોઈ લે અથવા તો પોતાની વિશ્વાસુ વ્યક્તિ જોઈ લે અને આ દોષોની તે શુદ્ધિ ન કરે તો તેની સાથે આહારનો સંબંધ બંધ કરી શકાય છે. જૂઠનું ત્રણ વાર પ્રાયશ્ચિત લઈને ચોથી વાર જૂઠું બોલે તો તે પણ સંબંધ રાખવા યોગ્ય નથી. (૭) ત્રણ આવશ્યક તેમજ મુખ્ય પદવી છે– ૧. આચાર્યર. ઉપાધ્યાય ૩. ગણી (સંઘાડા પ્રમુખ) તાત્પર્ય એ છે કે વિશાળ ગચ્છને આ ત્રણ પદવીધારી સિવાય રહેવું કલ્પતું નથી. (૮) ત્રણ કારણોથી અલ્પ વૃષ્ટિ થાય છે– ૧. પાણીના જીવો અને પુગલોનો ચય, ઉપચય ઓછો થવાથી ર. દેવતાઓ વાદળાઓને અન્ય જગ્યાએ સંહરણ કરે. ૩. વાદળોને હવા વિખેરી દે. તેનાથી વિપરીત પ્રકૃતિ થવાથી વરસાદ વધુ થાય છે, અથવા દેવો અન્યત્રથી વાદળ લાવી અધિક વર્ષા કરી શકે છે. (૯) ત્રણ કારણોસર દેવ મનુષ્ય લોકમાં આવે છે– ૧. પોતાના ગુરુ વગેરેની ભક્તિ કરવા ૨. જ્ઞાની, તપસ્વી તેમજ દુષ્કર સાધના કરનારની સેવા કે વંદન કરવા. ૩. પોતાના માતા-પિતા વગેરે પ્રિયજનોને પોતાની ઋદ્ધિ બતાવવા. ત્રણ કારણોસર દેવો આવી શકતા નથી. ૧.દેવલોકના સુખોમાં લીન થઈ જવાથી ૨. કોઈ પ્રયોજન કે રુચિ ન હોવાના કારણે ૩. “થોડીવાર પછી જઈશ” એવું વિચારતાં-વિચારતાં સેંકડો વર્ષ વ્યતીત થઈ જવાથી. (૧૦) ઘણા દેવો મનુષ્યભવ, આર્ય ક્ષેત્ર અને ઉત્તમકુળ પ્રાપ્તિની ઇચ્છા કરે છે. (૧૧) દેવોનો પશ્ચાત્તાપ– ૧. અહો ! મનુષ્ય ભવમાં મારી પાસે સુંદર સ્વસ્થ શરીર અને અનુકૂળ સંયોગો હોવા છતાં શ્રુતનું વિશાળ અધ્યયન ન કર્યું. ૨. દીર્ઘ સંયમ પર્યાયનું પાલન ન કર્યું. ૩. સંયમનું શુદ્ધ રીતે આરાધન ન કર્યું. (૧૨) દેવો પોતાના મરણનો સમય ત્રણ રીતે જાણી જાય છે– ૧. વિમાન તેમજ આભૂષણોને નિસ્તેજ દેખવાથી ૨. કલ્પવૃક્ષ પ્લાન(ઝાંખુ) દેખવાથી ૩. શરીરની ક્રાંતિ (તેજ) ન્યૂન દેખવાથી. (૧૩) ત્રણ વાતોનું દેવો દુઃખ અનુભવે છે–૧.દૈવી સુખ છોડવાના ખ્યાલ માત્રથી ૨. મનુષ્ય જન્મના શુક્ર-શોણિતમય આહારોથી ૩. ગર્ભવાસના ખ્યાલથી. (૧૪) દેવોના વિમાન ત્રણ પ્રકારના હોય છે– ૧. સ્થાયી રહેનાર ૨. મનુષ્ય લોકમાં આવવાના ઉપયોગમાં આવનાર ૩. વૈક્રિયથી બનાવેલ વિમાન. (૧૫) ઉપવાસ, છઠ, અઠ્ઠમમાં ધોવણ પાણી પીવું સાધુઓને ખપે છે–૧. ચોખાનું ઓસામણ ૨. છાશની પરાશ ૩. શુદ્ધોદક–રાખ, લવિંગ વગેરેથી બનાવેલ પાણી. (૧) એક વસ્ત્ર કે એક પાત્ર રાખવું એ 'ઉણોદરી' છે. કલ્પનીય આગમ સંમત ઉપકરણ જ રાખવા અને અકલ્પનીય ન રાખવા તે પણ ઉપકરણ ઉણોદરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy