SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જેનાગમ નવનીત દેશ' અને 'સર્વ' એમ બે ભેદ છે. આયુષ્ય કર્મના કાયસ્થિતિ અને 'ભવસ્થિતિ રૂપ બે ભેદ છે અને અંતરાય કર્મના ૧. વર્તમાન લાભને નષ્ટ કરનાર અને ૨. ભાવી લાભને રોકનાર, આ પ્રકારે બે ભેદ છે. (૭) બે ચક્રવર્તી સાતમી નરકમાં ગયા- ૧. સુભૂમ ૨. બ્રહ્મદત્ત. (૮) તીર્થકરોના વર્ણ, દેવોની સ્થિતિ તથા પરિચારણાનું કથન કરવામાં આવ્યું છે. (૯) બે તારાવાળા ચાર નક્ષત્ર કહ્યા છે. બે ભાદ્રપદ, બે ફાલ્ગની. (૧૦) લોકમાં ઢિપ્રદેશી, ઢિપ્રદેશાવગાઢ અને ક્રિસમય સ્થિતિક પુદ્ગલ સ્કંધ અનંત છે. અન્ય પણ અનેક તત્ત્વોના બે-બેની સંખ્યામાં કથન કરવામાં આવેલ છે. 'ત્રીજા સ્થાનનો સારાંશ: પ્રથમ ઉદ્દેશક (૧) જીવ બાહ્ય અથવા આત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરીને અથવા કર્યા વગર પણ વિવિધ ક્રિયારૂપ વિદુર્વણા કરી શકે છે. (ર) દેવ લોકમાં દેવો– ૧. પોતાની દેવી ૨. વિકર્વિત દેવી અને ૩. અન્ય દેવોની દેવી સાથે પરિચારણા કરનાર પણ હોય છે. (૩) તીવ્ર પરિણામોથી હિંસા તેમજ જૂઠનું સેવન કરનાર અલ્પ આયુષ્યનો તેમજ અશુભ દીર્ધાયુનો બંધ કરે છે. શ્રમણનિગ્રંથને મોહ અથવા અજ્ઞાનવશ અકલ્પનીય આહાર વહોરાવવાથી ઓછા આયુષ્યનો બંધ પડે છે અને તેમની નિંદા કરવાથી કે ખરાબ બોલવાથી અશુભ લાંબા આયુષ્યનો બંધ પડે છે. આદર સહિત, ભાવ સભર શુદ્ધ આહાર વહોરાવવાથી શુભ દીર્ધાયુનો બંધ પડે છે. (૪) દેવ આકાશમાં વિકુવર્ણા કરે અથવા સંઘર્ષ કરે અથવા તારાવિમાનને અન્યત્ર લઈ જાય તો આકાશમાં તારો તૂટતો હોય તેવું લાગે છે. (૫) તથારૂપના સાધુ સામે દેવો પોતાની ઋદ્ધિનું પ્રદર્શન કરવા માટે ગર્જના, વીજળી વગેરે કરે છે. તીર્થકરના જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન ઉત્પન્ન થવા સમયે પણ દેવોનું અંગફુરણ, આવાગમન વગેરે થાય છે, તેમજ લોકમાં પ્રકાશ થાય છે. તીર્થકરના મોક્ષગમન સમયે, ધર્મ- વિચ્છેદ થવા સમયે તેમજ પૂર્વજ્ઞાન વિચ્છેદ થવા સમયે લોકમાં અંધકાર થાય છે. () માતા-પિતાની, ગુરુની, સ્વામી (સંરક્ષક)ની અનુપમ સેવા, સુશ્રુષા કરવા છતાં પણ સંપૂર્ણ ઋણ ઉતરતું નથી. તેમને ઉન્માર્ગમાંથી સન્માર્ગમાં લાવવાથી, ધર્મની આરાધના કરાવવામાં મદદરૂપ થવાથી જ તેમનું ઋણ સારી રીતે ઉતરે છે. (૭) ૧.નિદાન ન કરવાથી ૨. સમજ શુદ્ધ રાખવાથી ૩. ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધનાથી For Private & Personal Use Only Jain Education International For Private & Personal www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy