SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર: ઠાણાંગ સૂત્ર સારાંશ અને ૪. કામ-ક્રોધ વગેરેથી રહિત સમાધિ-વંત બની ચિત્તમાં શાંતિ-સમાધિ રાખવાથી જીવ શીધ્ર સંસાર સાગર તરી જાય છે. (૮) જીવોને ત્રણ પ્રકારની ઉપધિ અને પરિગ્રહ હોય છે– કર્મ, શરીર, ઉપકરણ. (૯) કૂર્મોન્નત યોનિમાં તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ વિગેરે જન્મ લે છે. શંખાવર્તા યોનિ સ્ત્રી રત્નની હોય છે. તેમાં જીવ જન્મ મરણ પામે છે, પરંતુ ગર્ભમાંથી બહાર આવતા નથી. વંશીપત્રા યોનિમાં સામાન્ય જીવ જન્મ લે છે. (૧૦) ધાન્ય (ઘઉં, બાજરી વગેરે)ની યોનિ ત્રણ વર્ષ બાદ, દ્વિદળ (ચણા-મગ વગેરે)ની યોનિ પાંચ વર્ષ બાદ અને બીજોની યોનિ સાત વર્ષ બાદ નષ્ટ થઈ જાય છે. ત્યારબાદ તે અચેત થઈ જાય છે અને સ્વાભાવિક રૂપથી તે ઉગતા નથી, પરંતુ પ્રયોગથી કે અમુક રીતે રાખવાથી ઉગી પણ શકે છે. જેમકે આગમમાં શ્રોતેન્દ્રિયનો વિષય અલ્પ બતાવવામાં આવેલ છે, છતાં પણ પ્રયોગ વડે હજારો માઈલ દૂરથી પણ તે જ ક્ષણે સાંભળી શકાય છે. (૧૧) જંબુદ્વીપ, સાતમી નરકનો અપ્રતિષ્ઠાન નરકાવાસ અને સર્વાર્થસિદ્ધવિમાન ત્રણે ય એક લાખ યોજન પ્રમાણ છે અને એક જ લાઈનમાં આવેલ છે. (૧૨) પ્રથમ નરકનો સીમંતક નરકાવાસ, સમયક્ષેત્ર અને સિદ્ધ શિલા આ ત્રણેય ૪૫ લાખ યોજનાના છે અને એક લાઈનમાં આવેલ છે. (૧૩) કાલોદધિ સમુદ્ર, પુષ્કર સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી શુદ્ધ પાણીના સ્વાદ અને ગુણવાળું છે. બાકીના સમુદ્રનું પાણી સ્વાભાવિક પાણી સમાન નથી. (૧૪) લવણ, કાલોદધિ અને સ્વયંભૂરમણ સમુદ્રમાં મચ્છ કચ્છ ભર્યા છે. (૧૫) માંડલિક રાજા, ચક્રવર્તી રાજા અને મહાઆરંભી, મહાપરિગ્રહી આ ત્રણેય જો ધર્મનું આચરણ(શ્રાવક વ્રત કે સાધુ વ્રત) ન કરે તો નરકમાં જાય છે. (૧૬) ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, અને દ્વીપ સાગરપ્રજ્ઞપ્તિનું અધ્યયન વિશિષ્ટ યોગ્યતા તથા વિશિષ્ટ તપ સાથે કરવામાં આવે છે. (બીજો ઉદેશક) (૧) જ્ઞાન-દર્શન ચારિત્રરૂપ લોક અથવા ઊંચા, નીચા, તિરછા એમ ત્રણ-ત્રણ પ્રકારના લોક કહેવામાં આવેલ છે. દેવોના ઇન્દ્ર, સામાનિક, ત્રાયન્ટિંશક અને લોકપાલ એમ ચારેયની ત્રણ-ત્રણ પ્રકારની પરિષદ હોય છે. (૨) કોઈપણ સમયે તેમજ કોઈપણ ઉંમરમાં જીવ બોધ, સંયમ અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. યથા– બાલવય, તરુણવય, વૃદ્ધાવસ્થા. (૩) અનેક હેતુઓ, નિમિત્તો અને પરિસ્થિતિઓથી દીક્ષા લેવામાં આવે છે, તેથી તે અનેક પ્રકારની છે. પરસ્પર પ્રતિજ્ઞાબદ્ધ હોય તો પણ દીક્ષા લેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy