SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ | આચારશાસ્ત્રઃ આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ | T૮૩ | - - - કોઈપણ આગમ પ્રમાણ વિના માત્ર બૌદ્ધિક કલ્પનાઓને મહત્વ આપવામાં કોઈ જ લાભ નથી. હજારો વર્ષના લાંબાકાળમાં સંપાદન અથવા સ્વાર્થપૂર્ણ ઐચ્છિક પરિવર્તન-પરિવર્ધન સૂત્રોમાં સમયે-સમયે થયા છે પરંતુ તે માત્ર વિદ્વાનોને માટે મનનીય છે. સામાન્યજન તો આત્મસંયમના હિતકર વિષયોના અધ્યયનોથી ભરપૂર એવા આ શ્રુતસ્કંધનો શ્રદ્ધાપૂર્વક સ્વાધ્યાય કરે તે જ પૂરતું (શ્રેષ્ઠ) છે. પરિશિષ્ટ-૧: డదు ના મહાવ્રતોની ભાવનાઓનો તુલનાત્મક પરિચય પ્રથમ મહાવ્રતઃ- (૧) આચાશંગસૂત્રમાં ચોથી ભાવના આદાન-નિક્ષેપ સમિતિ છે. પાંચમી ભાવના છે જોઈ જાણીને આહાર કરવો (૨) સમવાયાંગસૂત્રમાં ચોથી ભાવના પ્રકાશયુક્ત પહોળા સ્થાનમાં, પહોળા પાત્રમાં આહાર કરવો અને પાંચમી ભાવના “આદાન નિક્ષેપણ સમિતિ' છે (૩) પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ચોથી ભાવના પરિપૂર્ણ એષણા સમિતિ છે. અર્થાત્ ગવેષણા તેમજ પરિભોગેષણાનું પૂર્ણરૂપે પાલન કરવું. પાંચમી ભાવના આદાન-નિક્ષેપણ સમિતિ છે. સાર :- ત્રણ ભાવનાનો ક્રમ સમાન છે. ચોથી, પાંચમી ભાવનામાં ક્રમમાં ભેદ છે. સમવાયાંગ પ્રશ્નવ્યાકરણમાં સમાન ક્રમ છે આચારાંગમાં ભિન્ન ક્રમ છે. એષણા સમિતિના વિષયનું કથન ત્રણેમાં જુદી-જુદી રીતે છે. બીજું મહાવ્રત – ત્રણે સૂત્રોમાં ક્રમ તેમજ વિષય સમાન છે જેમ કે– (૧)વિચાર કરીને બોલવું (ર) ક્રોધ ત્યાગ (૩) લોભ ત્યાગ (૪) ભય ત્યાગ (૫) હાસ્ય ત્યાગ. ત્રીજું મહાવ્રત – પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં- (૧) નિર્દોષ ઉપાશ્રયની ગષણા (૨) નિર્દોષ સંસ્તારક ગવેષણા (૩) શય્યાનો પરિકર્મ ત્યાગ (૪) સાધારણપિંડ (સામુહિક આહાર) વિવેકથી વાપરવો (૫) સાધર્મિકની વિનય સેવા ભક્તિ કરવી. આચારાંગ સૂત્રમાં– (૧) નિર્દોષ ઉપાશ્રય ગવેષણા (૨) આજ્ઞાપૂર્વક આહાર કરવો (૩) ઉપાશ્રયની સીમાનું સ્પષ્ટીકરણ (૪) તૃણકાષ્ઠ આદિ પ્રત્યેક ચીજની આજ્ઞા લેવી અર્થાત્ અલગ-અલગ ફરી-ફરી આજ્ઞા લેવાનો અભ્યાસ રાખવો (૫) સાધર્મિકના ઉપકરણાદિ આજ્ઞા લઈને ગ્રહણ કરવા. સમવાયાંગ સૂત્રમાં(૧) નિર્દોષ ઉપાશ્રય ગવેષણા (ર) તેની સીમાનું સ્પષ્ટીકરણ (૩) તૃણ કાષ્ઠાદિની આજ્ઞા (૪) સાધર્મિકોના ઉપકરણની આજ્ઞા (૫) સાધારણ પિંડ આજ્ઞા અને વિવેક પૂર્વક ખોરાક. સાર– આચારાંગ, સમવાયાંગમાં વિષય સમાન છે, ક્રમ ભિન્ન છે. પ્રશ્નવ્યાકરણમાં વિષય પણ અલગ અને ક્રમ પણ અલગ છે. ચોથું મહાવ્રત:- સમવાયાંગ તથા પ્રશ્નવ્યાકરણમાં ક્રમ તેમજ વિષય સમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy