SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્રઃ આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ | |૮૧T (ર) એ જ પ્રમાણે શલ્ય ચિકિત્સા, મેલ નિવારણ, કેસ-રોમ કર્તન(કપાવવાં), જૂ-લીખ નિષ્કાશન આદિ પ્રવૃત્તિઓનાં વિષયમાં પણ સમજી લેવું. (૩) એ જ પ્રમાણે કોઈ ગૃહસ્થ અશુદ્ધ કે શુદ્ધ મંત્રથી ચિકિત્સા કરે અથવા સચેત કંદ આદિથી (સચેત પદાર્થથી) ચિકિત્સા કરે તો પણ ના પાડી દેવી (નિષેધ કરવો.) (૪) પ્રત્યેક પ્રાણી પોતાના કર્મોને ઉપાર્જિત કરીને પછી તેના વિપાક-ફળ (પરિણામ) અનુસાર વેદના ભોગવે છે, એવું જાણીને સમભાવથી દુઃખ સહન કરવું અને સંયમ-તપમાં સમ્યક પ્રકારે રમણતા કરવી. ચૌદમું અધ્યયન સાધુ-સાધુ પરસ્પર પણ શરીર પરિકર્મ આદિ ક્રિયાઓ ન કરે. એનું વર્ણન તેરમા અધ્યયન મુજબ જાણવું. [ પંદરમું અધ્યયન | આ અધ્યયનમાં પ્રભુ મહાવીરના પારિવારિક જીવનનું જન્મથી માંડી દીક્ષા સુધીનું સંક્ષિપ્ત વર્ણન છે, દીક્ષા મહોત્સવનું પણ વર્ણન છે. (સંભવતઃ આ વર્ણન પર્યુષણા કલ્પસૂત્રમાંથી અહીં ક્યારેક પ્રવિષ્ટ થયું છે. કેમ કે આચાર વર્ણનની સાથે આ વર્ણન અપ્રાસંગિક જેવું છે તથા એ વિષય પર વ્યાખ્યાઓ (એટલે ભાષ્ય નિયુક્તિ પણ કરવામાં આવી નથી. અન્યત્ર વિસ્તૃત વર્ણન હોવાને કારણે અહીં અનાવશ્યક પણ છે કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી પાંચ મહાવ્રતના સ્વરૂપ અને ભાવનાઓના કથન સુધી સંબંધ જોડવામાં આવેલ છે. પ્રથમ મહાવ્રતની પાંચ ભાવના – (૧) ઈરિયા સમિતિ યુક્ત હોવું (૨) પ્રશસ્ત મન રાખવું (૩) અસાવધવચન, સત્યવચન અને પ્રશસ્ત વચનનો પ્રયોગ કરવો (૪) કોઈપણ પદાર્થને ગ્રહણ કરવો, મૂકવો, આદિ પ્રવૃત્તિઓ યતનાપૂર્વક કરવી (૫) આહાર-પાણીને સારી રીતે અવલોકન કર્યા પછી વાપરવા. બીજા મહાવ્રતની પાંચ ભાવનાઃ- (૧) સારી રીતે વિચારીને શાંતિપૂર્વક રાગ-દ્વેષ રહિત ભાષા બોલવી (૨) ક્રોધનો નિગ્રહ કરવો (૩) લોભનો નિગ્રહ કરવો (ઉપલક્ષણથી માન-માયાનો પણ નિગ્રહ કરવો) અર્થાત્ ક્રોધાદિ કષાય ભાવની અવસ્થામાં મૌન રાખવું (૪) ભયનો ત્યાગ કરીને નિર્ભય બનવા પ્રયત્ન કરવો (૫) હાસ્ય પ્રકૃતિનો ત્યાગ કરીને ગંભીરતા ધારણ કરવી. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાઃ- (૧) બધી વાતોનો વિચાર કરીને ઉપાશ્રયની આજ્ઞા લેવી. (૨) ગુરુજન અથવા આચાર્યની આજ્ઞા લઈને જ આહાર કરવો કે કોઈપણ વસ્તુનું આસ્વાદન કરવું. (૩) મોટા સ્થાનમાં અથવા અનેક વિભાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WW
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy