SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત (૧) ઉચ્ચાર-પાસવણ (મળોત્સર્ગ)ની બાધા ઊભી થવા પર, મળદ્વાર સાફ કરવા માટેનો વસ્ત્રખંડ પોતાની પાસે ન હોય તો અન્ય સાધુઓ પાસેથી લેવું. (૨) જીવ રહિત અચેત અને નિર્દોષ ભૂમિમાં પરઠવું. (૩) પોતાને અસુવિધાકારી અને અન્યને અનિચ્છનીય(અમનોજ્ઞ) લાગે એવા સ્થળે ન જવું. (૪) મનોરંજનના સ્થળો, લોકોને ઉપયોગમાં આવતા હોય તેવા સ્થળો અને ફળ, ધાન્ય વગેરેનો સંગ્રહ થતો હોય તેવાં સ્થળોમાં સ્પંડિલ ન જવું અથવા તેવા સ્થળોની આસપાસની જગ્યાએ પણ મળોત્સર્ગ માટે ન જવું. (૫) ભિક્ષુ જ્યાં રોકાયા હોય ત્યાં અને તેની આસપાસની ભૂમિમાં તેના માલિકની આજ્ઞા કે રજા વગર મળોત્સર્ગ ન કરવો. () આવશ્યકતા ઊભી થાય તો પોતાના અથવા અન્ય ભિક્ષુના ઉચ્ચાર-માત્રકને લઈને ઉપાશ્રયના કોઈ એકાંત સ્થાનમાં બેસીને તે પાત્રમાં મલોત્સર્ગ કરવો અને પછી યોગ્ય ભૂમિમાં પરિષ્ઠાપન કરવું, પરઠી દેવું. અગિયારમું અધ્યયન આ અધ્યયનમાં શબ્દ શ્રવણ સંબંધિત વર્ણન કરવામાં આવ્યું છે. (૧) તત, વિતત, ધન, નૃસિર આ ચાર પ્રકારના વાદ્યોના અવાજ સાંભળવા ન જવું. અન્ય પણ અનેક સ્થાનો, વ્યક્તિઓ અને પશુઓનો અવાજ સાંભળવા માટે ન જવું. (૨) સ્વાભાવિક રીતે જે શબ્દો સંભળાઈ જાય તો તેમાં આસક્તિ ભાવ ન રાખવો. બારણું અધ્યયન (૧) આ અધ્યયનમાં રૂપ જોવા સંબંધિત અર્થાત્ દર્શનીય સ્થાનોને જોવા જવા માટેનો નિષેધ કરવામાં આવ્યો છે. જેનું વર્ણન પૂર્વ અધ્યયન મુજબ જ છે. (૨) સ્વાભાવિક રીતે જ કોઈ પદાર્થ દષ્ટિગોચર થાય તો તેમાં આસક્તિ ભાવ ન રાખવો. | તેરમું અધ્યયન | HD આ અધ્યયનમાં પર ક્રિયા સંબંધિત વર્ણન કરવામાં આવ્યું છે. (૧) કોઈપણ ગૃહસ્થ સાધુના શરીર પર સુશ્રુષા પરિચર્યા આદિ પ્રવૃત્તિઓ કરે તો તેને મનાઈ કરી દેવી તથા પોતે જાતે પણ ગૃહસ્થને કહીને સેવા ન કરાવવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy