SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્રઃ આચારાંગ સૂત્રઃ દ્વિતીય શ્રુતસ્કંધ ૯ | (ર) સાધર્મિક, સહચારી શ્રમણોના ઉપકરણો આજ્ઞા વિના લેવાં કલ્પતા નથી. (૩) મકાનના માલિકની અથવા જે વ્યક્તિને મકાન સોંપ્યું હોય તેની અથવા મકાન માલિક કહે તેમની આજ્ઞા લેવી. (૪) મકાનની સીમા, પરઠવાની ભૂમિ, સમયની મર્યાદા વગેરેનો ખુલાસો કરવો. (૫) સાંભોગિક સાધુઓ પધાર્યા હોય તો, તેમને સ્થાન, પથારી, પાટ અને આહારપાણી આપવાનું નિમંત્રણ આપવું. () અન્ય સાંભોગિક સાધુઓ પધારે તો તેમને સ્થાન, પથારી, પાટ આદિ આપવા, નિમંત્રણ આપવું. (૭) અન્ય મતના શ્રમણ આદિથી યુક્ત મકાન મળ્યું હોય તો તેને કોઈપણ જાતના અણગમાં વગર વિવેકપૂર્વક વાપરવું. (૮) જો સાધક લસણ, શેરડી કે કેરીની અધિકતાવાળા સ્થાનમાં રહ્યો હોય અને ક્યારેક તે પદાર્થો ગ્રહણ કરવા હોય તો અચેત અને દોષરહિત થયા પછી તેને ગ્રહણ કરવા કલ્પે છે. (૯) વ્યક્તિની અપેક્ષાએ આજ્ઞા પાંચ પ્રકારની છે– ૧. દેવેન્દ્રની ૨. રાજાની ૩. શય્યાતરની ૪. ગૃહસ્થની ૫. સાધર્મિક સાધુની. આઠમું અધ્યયન કરી છે (૧) આ અધ્યયનમાં ઊભા રહીને કાઉસ્સગ્ન કરવાની પ્રતિજ્ઞા વિશે વર્ણન કરવામાં આવ્યું છે. એના માટે યોગ્ય સ્થાન ગ્રહણ કરવાનું સંપૂર્ણ વર્ણન બીજા અધ્યયનમાં બતાવ્યા પ્રમાણે છે. (૨) આ પ્રતિજ્ઞા કરનાર વ્યક્તિ આલંબન લઈને ઊભો રહી શકે છે. હાથ-પગનું સંચાલન(હલન-ચલન) કરી શકે છે. મર્યાદિત ભૂમિમાં સંચરણ (ચાલવ) પણ કરી શકે છે અને સંપૂર્ણપણે નિશ્ચલ, આલંબન રહિત કાઉસ્સગ્ગ પણ યથાસમય કરે છે, પરંતુ બેસતો નથી અને સૂતો પણ નથી. નવમું અધ્યયન (૧) આ અધ્યયનમાં બેસવા સંબંધિત અને સ્વાધ્યાય સંબંધિત ચર્યાનું વર્ણન કરવામાં આવ્યું છે. યોગ્ય સ્થાનની યાચના વિધિ પૂર્વવત્ છે. દશમું અધ્યયન આ અધ્યયનમાં મળ ત્યાગવા(ઈંડિલ) અને પરઠવા વિશે વર્ણન કરવામાં આવ્યું છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy