SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત તેનો સાર એક જ છે કે આ આગમના ઉચ્ચારણમાં શુચિ, અશુચિ, સમય, અસમય આદિ કોઈ પણ બાધાજનક બનતા નથી. રચના અને રચનાકાર : આવશ્યક સૂત્રની રચના ગણધર ભગવંત કરે છે. દરેક તીર્થકરોના શાસનના પ્રારંભમાં જ આ સૂત્રની રચના કરવામાં આવે છે, કારણ કે સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા રૂપી તીર્થ સ્થાપનાથી તીર્થંકરના શાસનનો પ્રારંભ થાય છે અને સાધુ-સાધ્વી માટે પ્રતિક્રમણ કરવું ઉભયકાલ આવશ્યક છે, પ્રતિક્રમણ આવશ્યક સૂત્રના આધારે જ કરવામાં આવે છે. માટે આ સૂત્ર ગણધર રચિત આગમ છે. તેમાં વિભાગરૂપ છ અધ્યાય છે, જેને જ આવશ્યક કહ્યા છે. છ આવશ્યકોમાં ક્રમશઃ કુલ ૧ + 1 + 1 + ૯ + ૧ + ૧૦ = ર૩ તથા આદિ મંગલ અને અંતિમ મંગલનો પાઠ મળી કુલ ર૩+ ૨ = ૨૫ પાઠ છે, જેનું પરિમાણ(માપ) ૧૨૫ શ્લોકનું માનવામાં આવે છે. કયાંક 100 કે ૨૦૦ શ્લોકનું પરિમાણ પણ કહેવામાં આવે છે. પરિક્ષણ કરતાં ૧૨૫ની સંખ્યા આદરણીય જણાય છે. સંસ્કરણ:- આ આવશ્યક સૂત્ર નામના આગમ ઉપર નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકાઓ(હરિભદ્રીય, મલયગિરીય આદિ) અને હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત એમ વિવિધ વ્યાખ્યાઓ મુદ્રિત ઉપલબ્ધ છે. આ સૂત્રના મૂળ પાઠ પણ સુત્તાગમ' આદિ રૂપમાં પ્રકાશિત થયા છે, આધુનિકરીતથી લાડનૂથી આચાર્ય તુલસી દ્વારા સંપાદિત અને મુંબઈ વિદ્યાપીઠથી પૂજ્ય મુનિરાજ શ્રી જવિજ્યજી દ્વારા સંપાદિત–પ્રકાશિત થયા છે. આ સૂત્રના આધારે વિવિધ વિધિ પાઠો સહિત તથા અનેક હિન્દી, ગુજરાતી ગદ્ય-પદ્યના રચિત પ્રક્ષિપ્ત પાઠો સહિત પ્રતિક્રમણ સૂત્ર પ્રચલિત છે. તેની પ્રમુખતાથી સમાજમાં પ્રતિક્રમણ કરવામાં આવે છે. તેના અનેક સંસ્કરણો પ્રકાશિત છે અને તે અનેક વિવિધતાવાળા છે. જેનું પરિમાણ ૧૦૦૦ શ્લોકથી લઈ પ-૭ હજાર શ્લોક જેટલું પણ થઈ જાય છે, જ્યારે તેનું મૌલિક આધારભૂત આવશ્યક સૂત્ર તો કેવળ ૧૨૫ શ્લોક પ્રમાણ છે. ઘણાં લોકો પ્રતિક્રમણ સૂત્ર(વિધિ સહિત)ને જ આવશ્યક સૂત્ર માની બેસે છે, પરંતુ આવશ્યક સૂત્ર ૧૨૫ શ્લોક પ્રમાણ આજે પણ સ્વતંત્ર છે. જે ઉપરોકત લાડનું, મુંબઈના સંસ્કરણમાં જોઈ શકાય છે. જેમાં કેવળ અર્ધમાગધી ભાષાના જ પાઠ છે. જ્યારે એ આવશ્યક સૂત્રના આધારે પ્રચલિત પ્રતિક્રમણ સૂત્રમાં અન્ય શાસ્ત્રોના ઉદ્ધરિત મૂળ પાઠ પણ છે, અન્ય નવા રચિત મૂળ પાઠ પણ છે, સાથેસાથે હિન્દી, ગુજરાતીના કે મિશ્રિત ભાષાના ઘણા પાઠો, દોહરા, સવૈયા, ભજન, સ્તુતિ આદિ પણ સમાવિષ્ટ છે. આવશ્યક સૂત્ર મૂલ શાસ્ત્રમાં કેવળ સાધુને ઉપયોગી પાઠો જ છ અધ્યાયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy