SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર : આવશ્ય સ્તાવના આવશ્યક સૂત્ર પાક્કથન : સંસાર પ્રવાહમાં પરિભ્રમણ કરતાં પ્રાણીને માનવ દેહ પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે. આવા માનવદેહને પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ ફળ છે– વ્રત પ્રત્યાખ્યાન ધારણ કરવા. કહ્યું પણ છે કે દર્ય સારું વ્રત ધાર ૨ | દેહનો સાર વ્રત ધારણ કરવામાં છે. વ્રત ધારણ કર્યા પછી તેનું શુદ્ધ રૂપે પાલન અને આરાધન કરવું તે પણ સાધકનું પરમ કર્તવ્ય બની જાય છે. જીવનની સામાન્ય-વિશેષ વિવિધ પરિસ્થિતિઓમાં સૂમ કે સ્થૂળ અતિચાર પણ જાણતા-અજાણતાં લાગતા રહે છે, તેની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું આવશ્યક બને છે. પ્રતિક્રમણ માટે અવલંબનભૂત આગમ આવશ્યક સૂત્ર છે. નામકરણ – અનુયોગ દ્વાર સૂત્રમાં શ્રાવક અને સાધુઓ બંનેને માટે ઉભય કાલ અવશ્ય કરવાનું કહેલ હોવાથી તેનું આવશ્યક સૂત્ર નામ સાર્થક છે. આગમોમાં સ્થાન :- પ્રતિક્રમણ કરવું એ સર્વ સાધુઓ અને શ્રાવકોનો મુખ્ય આચાર હોવાથી, આ આવશ્યક સૂત્રનું અંગ આગમ અને અંગબાહ્ય આગમથી અલગ જ મહત્ત્વ શાસ્ત્રોમાં નિર્દિષ્ટ છે. જ્યાં સાધુઓના શાસ્ત્ર અધ્યયનની જાણકારી આપવામાં આવેલ છે ત્યાં આ આવશ્યક સૂત્રના અધ્યયનનો નિર્દેશ અંગશાસ્ત્રોથી પણ પહેલા અલગ કરવામાં આવેલ છે. નંદીસૂત્રમાં અંગબાહ્ય. આગમોમાં આવશ્યકને પ્રથમ કહેવામાં આવેલ છે, ત્યારપછી બધાં જ અંગબાહ્ય આગમોને બે વિભાગમાં એક સાથે કહેવામાં આવેલ છે. આ રીતે આવશ્યક સૂત્રનું બધા આગમોથી એક વિશેષ અને અલગ એવું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તેને કંઠસ્થ કરવું એ પ્રત્યેક સાધુ અને શ્રાવક માટે આવશ્યક બને છે. વિશેષતા:- દરેક જૈન આગમ કાં તો કાલિક હોય છે અથવા ઉત્કાલિક હોય છે અને તેના ઉચ્ચારણ માટે કાલ-અકાલ બંને હોય છે. તે સૂત્રનું ૩ર (૩૪) અસ્વાધ્યાયના સમયે ઉચ્ચારણ કરવામાં આવતું નથી, પરંતુ આવશ્યક સૂત્રને કાલ અકાલ હોતો નથી, મતલબ કે ગમે ત્યારે આ સૂત્રનું ઉચ્ચારણ કરી શકાય છે. ૩ર(૩૪) અસ્વાધ્યાયના સમયે તેનું ઉચ્ચારણ કરવું પણ નિષેધ મનાતું નથી, બક્કે અસ્વાધ્યાયના સમય એવા સવારના અને સાંજના સંધ્યાકાલમાં જ આ સૂત્રના આધારિત પ્રતિક્રમણ કરવાનો વિશિષ્ટ સમય આગમ ઉત્તરાધ્યયન અને અનુયોગદ્વાર સૂત્રમાં સૂચિત કરવામાં આવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy