SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્રઃ આચારાંગ સૂત્રઃ દ્વિતીય શ્રુતસ્કંધ (૬) ગૃહસ્થના રહેવાના સ્થાનની અને સાધુને ઉતરવાના(રહેવાના) સ્થાનની છત અને ભીંત બંને ભેગાં(સંલગ્ન) હોય તેને દ્રવ્ય પ્રતિબદ્ધ ઉપાશ્રય કહે છે તથા જ્યાં સ્ત્રી અને સાધુને બેસવાની કે લઘુનીત કરવાની જગ્યા એક જ હોય, જ્યાંથી સ્ત્રીનું રૂપ સરળતાથી જોઈ શકાતું હોય, તેના શબ્દો સરળતાથી સંભળાતા હોય, તે ભાવ પ્રતિબદ્ધ ઉપાશ્રય કહેવાય છે. આવા પ્રતિબદ્ઘ ઉપાશ્રયમાં ન રહેવું. (૭) ભિક્ષુ અસ્નાન ધર્મનું પાલન કરનાર હોય છે અને સમયે સમયે કેટલાય કાર્યોમાં લઘુનીતનો ઉપયોગ કરનાર હોય છે. તેથી ભિક્ષુના શરીરની ગંધ કે દુર્ગંધ આદિ પણ ગૃહસ્થોને માટે પ્રતિકૂળ તેમજ અમનોજ્ઞ બની શકે છે, તેથી ભિક્ષુને પરિવારયુક્ત ગૃહસ્થના ઘરમાં રહેવાની જિનાજ્ઞા નથી. (૮) સાધુને ક્યારેક સ્થાન નાનું અને અનેક વસ્તુઓથી રોકાયેલું મળે તો રાત્રે ગમનાગમન કરતી વખતે પહેલાં હાથથી જોઈને (અનુમાન કરીને) પછી ચાલવું. (૯) અધિક ચિત્રો અને લેખો યુક્ત ઉપાશ્રયમાં ન ઊતરવું જોઈએ. ou (૧૦) પાટ કે ઘાસ પણ જીવ રહિત, હલકાં, પાછા આપવા જેવા અને સુયોગ્ય હોય તો જ ગ્રહણ કરવાં, તે પાછા આપતી વખતે પ્રતિલેખન કરીને અને આવશ્યકતા હોય તો તાપ (તડકો) આપીને જીવ રહિત થયા પછી આપવાં. (૧૧) સૂવા-બેસવાની જગ્યા અને પાટ આદિ દીક્ષા પર્યાયના ક્રમથી કરવા અને આચાર્ય આદિ પૂજ્ય પુરુષો તથા રોગી, તપસ્વી આદિના ગ્રહણ કર્યા પછી જ યુવાન અને સ્વસ્થ શ્રમણોએ ગ્રહણ કરવાં. (૧૨) મળ-મૂત્ર પરઠવાની ભૂમિ આજુબાજુમાં જ હોય એવા સ્થાનમાં જ રહેવું. (૧૩) શરીર અને શય્યાનું પ્રમાર્જન કરીને પરસ્પર હાથ-પગ ન લાગે એવી રીતે યતનાપૂર્વક સૂવું(શયન કરવું). ખાંસી, છીંક, બગાસા, વાયુ નિસર્ગ આદિક્રિયાઓ થાય તો મુખને અથવા ગુદાભાગને હાથથી ઢાંકીને તે પ્રવૃત્તિઓ કરવી. (૧૪)અનુકૂળ અથવા પ્રતિકૂળ શય્યામાં સમાધિભાવ પૂર્વક સમય વ્યતીત કરવો. ત્રીજું અધ્યયન ઉદ્દેશક-૧ ઃ- આ અધ્યયનમાં વિચરણ(વિહાર) સંબંધી વર્ણન છે. (૧) વરસાદ થઈ જાય પછી એ લીલું ઘાસ તેમજ ત્રસ જીવોની અધિક ઉત્પત્તિ થયા પછી કે વિરાધના રહિત માર્ગો અનુપલબ્ધ થઈ ગયા પછી અષાઢી પૂર્ણિમા પહેલાં જ ચાતુર્માસ માટે સ્થિર થઈ જવું જોઈએ. (૨) જ્યાં આહાર, પાણી, મકાન, પરઠવાની ભૂમિ, સ્વાધ્યાય ભૂમિ વગેરે હોય એવા ક્ષેત્રોમાં જ ચાતુર્માસ કરવા. Jain Education International For Private & Personal Use Only સુલભ www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy