SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૩) ચાતુર્માસ પછી માર્ગ જીવ વિરાધના રહિત બની જાય ત્યારે વિહાર કરવો. (૪) જીવ રક્ષા અને જતના કરતાં-કરતાં, પગ અને શરીરને સંભાળીને, જાળવીને ચાલવું. વિવેકપૂર્વક વિરાધના રહિત માર્ગો પરથી જવા માટેનો નિર્ણય કરવો. (૫) અનાર્ય પ્રકૃતિનાં લોકોની વસ્તીવાળા ક્ષેત્રો કે માર્ગો પરથી વિહાર ન કરવો. (૬) જન રહિત અતિ-અધિક લાંબા માર્ગો પરથી વિહાર ન કરવો. (૭) પરિસ્થિતિ ઉપસ્થિત થવા સમયે સૂત્રોક્ત વિવેક અને વિધિઓની સાથે નૌકા વિહાર કરવો ક૨ે છે. ન the (૮) સાધકને નદીમાં ફેંકી દેવામાં આવે તો તરીને તેને પાર કરવી કલ્પે છે. (૯) શરીર પાણીની ભિનાશથી રહિત થાય ત્યાં સુધી નદીના કિનારે ઊભું રહેવું. પછી વિરાધના રહિત અથવા અપેક્ષિત અલ્પાતિઅલ્પ વિરાધનાવાળા માર્ગની અન્વેષણા કરી વિહાર કરવો. (૧૦) વિહાર કરતી વખતે કોઈની સાથે વાતચીત કરતાં-કરતાં ન ચાલવું. (૧૧) ઘુંટણની નીચે સુધી પાણી હોય, એવાં નદી-નાળાં માર્ગમાં આવે અને અન્ય માર્ગ આસપાસ ન દેખાય તો પાણીનું મંથન ન થાય એવી રીતે તથા અન્ય સૂત્રોક્ત વિવેક રાખીને, ચાલીને તેને પાર કરવા ક૨ે છે. (૧૨) અતિ વિષમ અથવા અસમાધિકારક માર્ગો પરથી ન ચાલવું જોઈએ. (૧૩) ગ્રામ આદિની શુભ-અશુભતાના પરિચય સંબંધી રાહગીરોના પ્રશ્નોનો (કોઈ) ઉત્તર ન આપવો અને એને લગતાં(આવા) પ્રશ્નો પૂછવા પણ નહીં. (૧૪) ચાલતી વખતે માર્ગમાં અનેક સ્થાનોને, જળાશયોને અને જીવોને આસક્તિપૂર્વક જોવા નહીં અને દેખાડવાં પણ નહીં. (૧૫) આચાર્ય અથવા રત્નાધિક સાધુઓની સાથે વિનય અને વિવેકપૂર્વક ચાલવું અને બોલવામાં પણ વિવેક રાખવો. (૧૬) પશુ, અગ્નિ કે પાણી વિશે અથવા માર્ગની લંબાઈ આદિ વિશે કોઈ પથિક પ્રશ્ન પૂછે તો ઉત્તર ન આપતાં, મૌનપૂર્વક, ઉપેક્ષા ભાવથી ગમન કરવું જોઈએ. (૧૭) માર્ગમાં ચોર, લૂંટારા, શ્વાપદ આદિથી ભયભીત થઈને, ગભરાઈને ભાગ-દોડ ન કરવી, ધીરજ અને વિવેકપૂર્વક ગમન કરવું જોઈએ. ચોથું અધ્યયન આ અધ્યયનમાં ભાષા સંબંધી વર્ણન કરવામાં આવ્યું છે. (૧) ક્રોધ, માન, માયા અને લોભયુક્ત વચન બોલવાં, જાણે કે અજાણે કઠોર વચન બોલવાં, આ બધી સાવધ ભાષા છે. આવી ભાષા ન બોલવી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy