SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્રઃ આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ (૫) અગ્નિ પર રાખેલી વસ્તુ ન લેવી. સાતમો ઉદ્દેશક :- (૧) માલોહડ(નિસરણી આદિ રાખીને આપવામાં આવે એવી) વસ્તુ ન લેવી તથા મુશ્કેલીથી બહાર કાઢીને અથવા લઈને આવે એવી વસ્તુ પણ ન લેવી. (ર) બંધ ઢાંકણું ખોલવામાં પહેલાં કે પછી વિરાધના થતી હોય તો તેને ખોલાવીને વસ્તુ ન લેવી. (૩) સચેત પૃથ્વી, પાણી, વનસ્પતિની ઉપર રાખવામાં આવેલા પદાર્થ ન લેવાં. (૪) પંખા આદિની હવાથી ગરમ પદાર્થ ઠંડો કરીને આપે તો ન લેવો. (૫) ધોવાથી અચેત બનેલા પાણીને ૨૦ થી ૩૦ મીનિટ સુધી ન લેવું. (૬) ક્યારેક દાતા વહોરાવવા યોગ્ય સ્થિતિમાં ન હોય અથવા તેના વહોરાવવામાં વિરાધનાની સંભાવના થતી હોય તો ભિક્ષુ આજ્ઞા પ્રાપ્ત કરીને સ્વયં તે પાત્રમાંથી ઉલેચીને અથવા લોટી, ગ્લાસ કે પોતાના પાત્રાથી ઘરના માલિકની ઇચ્છા (સ્વીકૃતિ) અનુસાર લઈ શકે છે. (૭) સચિત સ્થાનની અત્યંત નજીક રાખેલા અથવા સચિત પદાર્થોની ઉપર કે નીચે રાખવામાં આવેલાં અચેત પાણીને ન લેવું તેમજ સચેત પાણી લેવાના પાત્રથી અચેત પાણી આપે તો ન લેવું જોઈએ. આઠમો ઉદ્દેશક – (૧) બીજ કે ગોટલી યુક્ત અચેત પાણી હોય અને તેને ગાળીને આપવામાં આવે તો પણ ન લેવું. (૨) ક્યાંયથી પણ સુગંધ આવતી હોય તો એમાં આસક્ત ન થવું. (૩) સૂકી કે લીલી વનસ્પતિના બીજ, ફળ, પાન, શાકભાજી આદિ સંપૂર્ણપણે શસ્ત્ર પરિણત થઈને અચેત થાય, પછી જ ગ્રહણ કરવા કલ્પે છે. (૪) કોઈ પદાર્થમાં રસજ આદિત્રસજીવો ઉત્પન્ન થઈ ગયા હોય તો શસ્ત્રપરિણત થયા પહેલાં કે અચેત થયા પહેલાં ન લેવા જોઈએ.. (૫) કુંભીપક્વફળો એટલે કુંભમાં પકાવેલા ફળોને અપ્રાસુક અનેષણીય માનીને ન લેવા. નવમો ઉદ્દેશક :– (૧) સાધુને આહાર વહોરાવીને, અન્ય આહાર બનાવાશે એવું જણાય અથવા એવી શંકા લાગે તો પણ ત્યાંથી આહાર ન લેવો. (૨) ભક્તિ સંપન્ન અથવા પોતાના પારિવારિક ઘરોમાં આહાર નિષ્પન્ન(બન્યા) થયા પહેલાં જઈને ફરીથી બીજી વાર જવું ભિક્ષુને કહ્યું નહિં. કારણ કે ત્યાં દોષ લાગવાની અધિક સંભાવના રહે છે. (૩) સારું-સારું(સરસ સ્વાદિષ્ટ) આહાર-પાણી ખાવા-પીવા અને ખરાબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy