SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત, તે આહારને ગ્રહણ કરવાના હેતુથી, વિહાર કરીને ત્યાં જવું ન જોઈએ. (૨) ઉપાશ્રયથી અન્યત્ર ક્યાંય જવું હોય તો સર્વ ઉપકરણોથી એટલે કે બહાર જવાની સંપૂર્ણ વેશભૂષાથી યુક્ત થઈને જવું. (૩) રાજા અને તેના સ્વજન-પરિજનનો(આશ્રિતજનોનો) આહાર ન લેવો જોઈએ. ચતુર્થ ઉદ્દેશકઃ- (૧) વિશિષ્ટ ભોજનવાળા ઘરમાં લોકોનું આવાગમન અધિક થઈ રહ્યું હોય તે સમયે ભિક્ષા લેવા ન જવું જોઈએ. શાંતિના સમયે વિવેકપૂર્વક જવું કહ્યું છે. (૨) દૂધ દોહવાતું હોય અથવા આહાર બનતો હોય, એવું જાણીને ત્યારે ભિક્ષા માટે પ્રવેશ ન કરવો અને નિશ્ચિત વ્યક્તિ (જેના માટે ભોજન બનાવવામાં આવ્યું હોય તે વ્યક્તિ)ને આપ્યા પછી જ આહાર લેવો. (૩) આગન્તુક નવા સાધુઓની સાથે ભિક્ષાચર્યા સંબંધી માયાપૂર્ણ વ્યવહાર ન કરવો પરંતુ આસક્તિ દૂર કરી ઉદાર વૃત્તિથી વ્યવહાર કરવો. પંચમ ઉદ્દેશક – (૧) કોઈ આહારની શીધ્ર પ્રાપ્તિ થાય એવા હેતુથી ઉતાવળ પૂર્વક ન જવું જોઈએ અને હોશિયારી કરીને પણ ન જવું જોઈએ. (૨) આપત્તિકારક, બાધાજનક માર્ગેથી ભિક્ષાર્થે ન નીકળવું. (૩) અપરિચિત, અભાવિત ઘરોના નાના કે મોટા દરવાજા કે બંધ માર્ગ આજ્ઞા વગર ન ખોલવા જોઈએ. (૪) અનેક ભિક્ષાચરો(ભિક્ષુકો) કે અસાંભોગિક સાધુઓને માટે દાતાએ સામુહિક આહાર આપ્યો હોય તો સંવિભાગ કરીને પોતાના ભાગમાં આવેલો આહાર જ લેવો અને સાધર્મિકોની સાથે જ આહાર કરવાનો હોય તો પણ પોતાના ભાગમાં આવેલા આહારથી અધિક આહાર ખાવાની ઇચ્છા કે પ્રયત્ન ન કરવો. (૫) ઘરની બહાર કોઈ ભિક્ષુક ઊભો હોય તો તે ઘરમાં ભિક્ષા માટે ન જવું, તે ભિક્ષા લઈને નિવૃત્ત થાય અર્થાત્ ચાલ્યા જાય પછી જ એ ઘરે જવું કહ્યું છે. છઠ્ઠો ઉદ્દેશક :- (૧) માર્ગમાં કબૂતર આદિ પ્રાણીઓ આહાર કરતા હોય તો અન્ય માર્ગેથી ભિક્ષાર્થે જવું જોઈએ. (૨) ગૃહસ્થના ઘરમાં ઉચિત સ્થાન પર અને વિવેકપૂર્વક ઊભા રહેવું જોઈએ તથા ચક્ષુઇન્દ્રિયને વશમાં રાખવી જોઈએ. (૩) પૂર્વકર્મ દોષયુક્ત ભિક્ષા લેવી નહીં તેમજ સચેત પાણી, મીઠું આદિ કે વનસ્પતિ વગેરેથી ખરડાયેલા હાથ કે ચમચા વડે ભિક્ષા લેવી નહિ. (૪) સચેત કે કોઈપણ અચેત વસ્તુ સાધુ માટે કૂટીને પીસીને, ઝાટકીને આપવામાં આવે તો તે ન લેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy