SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્રઃ આચારાંગ સૂત્રઃ દ્વિતીય શ્રુતસ્કંધ આચારાંગ સૂત્રઃ દ્વિતીય શ્રુતસ્કંધ : પ્રથમ અધ્યયન ૦૧ આ અઘ્યયનમાં શ્રમણોની આહાર-પાણી સંબંધી ગવેષણા વિધિનું વર્ણન વિભિન્ન રીતે અગિયાર ઉદ્દેશકોમાં કરવામાં આવ્યું છે. પ્રથમ ઉદ્દેશક :– (૧) લીલોતરી, બીજ, ફૂલ અને સૂક્ષ્મ ત્રસ જીવ સંયુક્ત આહાર ન લેવો અને ભૂલથી આવી જાય તો શોધન કરીને ઉપયોગ કરવો. જો શોધન ન થઈ શકે તો પરઠી દેવું જોઈએ. (૨) સૂકું ધાન્ય, બીજ, શીંગ આદિના ટુકડા થયા હોય કે અગ્નિ દ્વારા પરિપક્વ થયા હોય તો કલ્પનીય છે. (૩) કાચા ધાન્ય આદિના ભૂંજેલ ધાણી આદિ અગ્નિ પર પરિપૂર્ણ શેકેલા હોય તો તે ગ્રાહ્ય છે. (૪) અન્ય ભિક્ષાચર અથવા પારિહારિક સાધુની સાથે આવાગમન ન કરવું. (૫) સાધુ-સાધ્વી માટે બનાવેલો, ખરીદેલો, ઉધાર લાવવામાં આવેલો, કોઈ પાસેથી પડાવીને લાવવામાં આવેલો, સામે લાવેલો આહાર સાધુ માટે કલ્પનીય નથી. (૬) સામાન્ય રીતે શાક્યાદિ બધાં શ્રમણો માટે ગણી-ગણીને બનાવાયેલો આહાર પણ ભિક્ષુકો માટે અગ્રાહ્ય છે, કારણ કે ગણવામાં જૈન ભિક્ષુ પણ હોય છે. (૭) કોઈની પણ ગણતરી કર્યા વગર સામાન્ય રીતે ભિક્ષાચરો માટે બનાવાયેલો આહાર પુરુષાંતર કૃત થયા પછી અર્થાત્ ભિક્ષાચરો અથવા ગૃહસ્થજનો દ્વારા ગ્રહણ કે ઉપભોગ કરાયા પછી લેવો ક૨ે છે. (૮) જ્યાં જેટલો આહાર ફક્ત દાન માટે જ નિર્ધારિત કરીને બનાવવામાં આવતો હોય અને ગૃહસ્વામી કે કર્મચારી તેનો ઉપયોગ ન કરતા હોય; એવા દાન કુળોમાંથી તે આહાર ન લેવો. દ્વિતીય ઉદ્દેશક :– (૧)મહોત્સવોમાં જમણવારના સમયે આહાર ગ્રહણ ન કરવો. તે જ આહાર પુરુષાંતરકૃત થઈ ગયા પછી કલ્પે છે. બે કોષથી વધારે આગળ જમણવાર હોય તો ત્યાં ભિક્ષાર્થે ન જવું. જ્યાં જવાથી અનેક દોષો લાગવાની સંભાવના રહે છે. (૨) ક્ષત્રિય, વણિક, ગોવાળ, વણકર, કોટવાળ, વાણંદ, સુથાર, લુહાર, દરજી, કંદોઈ, સોની આદિના ઘરોમાંથી અને અન્ય પણ આવા લોક વ્યવહારમાં જે અજુગુપ્સિત અને અનિન્દ્રિત કુળ હોય ત્યાંથી આહાર લેવો કલ્પે છે. તૃતીય ઉદ્દેશક :– (૧) જમણવાર (મોટા ભોજન સમારંભ)વાળા ગ્રામાદિ માટે, For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy