SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જેનાગમ નવનીત, હોય કે વ્રતની હોય કે તપની પ્રવૃતિ હોય તેને ધર્મ આચરણ ન સમજી સંસારભાવની લૌકિક પ્રવૃતિ સમજવી, તે આત્માની ઉન્નતિમાં એક કદમ પણ આગળ વધવા દેવાવાળી પ્રવૃતિ નથી. ભગવદજ્ઞાની આરાધના અને કર્મ-મુક્તિના શુદ્ધ લક્ષ્યવાળી ધર્માચરણની પ્રવૃત્તિ જ ધાર્મિક પ્રવૃત્તિ છે, એવું સમજવું જોઈએ. ધાર્મિક પ્રવૃત્તિની સાથે લૌકિક રુચિની પ્રવૃત્તિઓ મિશ્રિત કરી દેવી તે પણ ધાર્મિક પ્રવૃત્તિને લૌકિક પ્રવૃત્તિ બનાવી દેવા સમાન માનવું જોઈએ. જેમ કે અઠ્ઠાઈ આદિ વિભિન્ન તપસ્યાઓ સાથે આડંબર, દેખાડો, શૃંગાર તેમજ આરંભ-સમારંભ પ્રવૃત્તિ જોડી તેને વિકૃત કરવી તે ભગવદજ્ઞાની બહાર છે, વિપરીત છે એવું સમજવું જોઈએ. માટે ધાર્મિક કોઈપણ પ્રવૃત્તિમાં લોકિક રુચિઓ, લૌકિક પ્રવૃત્તિઓને મિશ્રિત કરવી નહીં. જેમ કે મહેંદી લગાવવી, વસ્ત્ર આભૂષણ વધારે પહેરવા, બેંડવાજા બોલાવવા આદિ. તાત્પર્ય એ જ છે કે ધાર્મિક પ્રવૃત્તિને સંપૂર્ણ લૌકિક પ્રવૃત્તિઓથી પૂર્ણ મુક્ત રાખવી જોઈએ, તેમજ લૌકિક રુચિથી કરવામાં આવતી પ્રવૃત્તિને ધર્મ ન સમજતા માત્ર સાંસારિક કે લૌકિક પ્રવૃત્તિ જ સમજવી જોઈએ. હેતુ શુદ્ધિ માટે પ્રત્યેક પ્રવૃત્તિમાં અંતર્મનને જ્ઞાન-ચેતનાથી જાગૃત રાખી સાચું ચિંતન કરવું જોઈએ અને અશુદ્ધ ચિંતનોને વિવેકપૂર્વક દૂર કરી શુદ્ધમાં પરિવર્તન કરી દેવા જોઈએ. જેમ કે- દુકાન ખોલતી વખતે નમસ્કાર મંત્ર ગણવામાં સારી ગ્રાહકી થાય તેવા વિચાર ન કરતાં એમ ચિંતન રાખવું કે સંસારમાં આ પ્રવૃત્તિઓ કરવી આવશ્યક છે છતાં પણ પહેલાં એક મિનિટ આત્મા માટે ધર્મભાવ કરી લેવો. આ રીતે દરેક પ્રવૃત્તિમાં ચિંતનનું સંશોધન કરી લેવું જોઈએ. अण्णाय उंछं चरइ विसुद्धं । जवणट्ठया समुयाणं चणिच्चं ॥ ભિક્ષુની ભિક્ષાવૃતિ ભ્રમરવૃત્તિની ઉપમાવાળી છે. ભિક્ષુ અનેક ઘરોમાંથી અને અજ્ઞાત ઘરોથી ભિક્ષા ગ્રહણ કરે. અજ્ઞાતનું મતલબ છે કે ભિક્ષુના ગોચરી ગયા પહેલાં જ્યાં કોઈ રાહ કે તૈયારી ન હોય. આ રીતે ભ્રમણ કરતાં પણ આગમોક્ત એષણા નિયમોનો ધ્યાન રાખી નિદૉષ ભિક્ષા ગ્રહણ કરે. એટલું ધ્યાન રાખતાં કોઈના ઘેર ક્યારેક મુનિ બીજે, ત્રીજે દિવસે પણ સંલગ્ન ચાલ્યા જાય તો આગમોક્ત નિવાગપિંડ દોષ હોતો નથી, તેમ સમજવું. ગોચરી કરનાર મુનિ કોઈના ભાવોમાંગિરાવટ ન આવે તેનું અને ગૃહસ્થની આર્થિક સ્થિતિનું પૂરેપૂરું ધ્યાન રાખનાર હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy