SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્ર : દશવૈકાલિક સૂત્ર પરિશિષ્ટ જ્ઞાનમુનિ : પંડિત જી ! હવે અહીં શું સમજવું જોઈએ ? ન્યાયચંદ્રજી : ભંતે ! પરંપરાઓ ઘણી શુદ્ધ અને ઘણી અશુદ્ધ ચાલતી જ રહે છે અને કાલાંતરથી તે અનુપયુક્ત પણ થઈ શકે છે. જેમકે મુહપત્તિ હાથમાં રાખવી, ડંડો રાખવો, મૂર્તિની પ્રરૂપણા કરવી વગેરે-વગેરે. ЧС સંયમ અને ગવેષણાના આગમિક નિયમ જ એટલા બધાં છે કે સાધક માટે તેનું શુદ્ધ પાલન કરવું કઠિન બને છે. પછી અન્ય અનેક વધારાના નવા નિયમો ઘડીને સાધકના સાધનામય જીવનને વધુ પડતું ક્લિષ્ટ કરી દેવું ઉચિત કહી શકાતું નથી. તેની અપેક્ષાએ તો ગોચરીની ગવેષણામાં જ સાધુ-સાધ્વીને પૂર્ણ યોગ્ય બનાવવાનો પરિશ્રમ કરવો જોઈએ અને તેને એટલા કુશળ કરી દેવા જોઈએ કે આગમોક્ત સ્પષ્ટ નિયમો અને ૪૨ દોષો સિવાય કોઈ પણ નિયમ ઘડવો ન પડે ! જેમ કે- ૧. આજ ગયેલ ઘરે કાલે ન જવું. ૨. સવારે ગયેલ ઘરે સાંજે ન જવું. ૩. દર્શનાર્થીના ઘેર જ જવું. ૪. વાત-વાતમાં ઘરને અસૂઝતા કરી દેવા ૫. અમુક ખાદ્ય પદાર્થ ન લેવા. ૬. ઘણા પદાર્થોને અભક્ષ્ય કહી દેવા આદિ. ઉચિત તો એ છે કે કયારે, ક્યાં, કયા ઘરે ગોચરી જવું કે ન જવું અને ક્યારે, ક્યાં, કઈ વસ્તુ લેવી કે ન લેવી તે ગવેષકની બુદ્ધિના નિર્ણય ઉપર નિર્ભર હોવું જોઈએ. તેટલો જેના પર વિશ્વાસ હોય તેને જ ગોચરી સોંપવી જોઈએ. જ્ઞાનમુનિ ઃ ભંતે ! આચારાંગ સૂત્રમાં આવેલ નિત્ય પિંડના પાઠનો અર્થ દાન પિંડ કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ રીતે સમજાવશો ? સુંદરમુનિ ઃ મહાભાગ ! આ સૂત્રનો અર્થ આ પ્રકારે છે– સાધુ અથવા સાધ્વી જે ઘરો બાબત જાણે કે તે ઘરોમાં નિત્ય ભોજન બનાવી સંપૂર્ણ દાન દેવામાં આવે છે, નિત્ય બનાવેલ ભોજનનો અડધો ભાગ દાનમાં દેવામાં આવે છે, ત્રીજો ભાગ અથવા ચોથો અથવા છઠ્ઠો ભાગ દાનમાં દેવામાં આવે છે, એવા નિત્ય દાન માટે જે પ્રસિદ્ધ ઘરો છે, તેવા ઘરોમાં ભિક્ષુ ગોચરીને માટે ન જાય. આ સૂત્રથી આજે સ્પર્શેલ ઘ૨માં કાલે ગોચરી ન જવાના અર્થની કલ્પનાને કોઈ પ્રબુદ્ધ પાઠક સત્ય માની શકતો નથી. આ પ્રકારે નિશીથ સૂત્રમાં પણ આ દાન પિંડોને ગ્રહણ કરવાના ચાર સૂત્રોથી પ્રાયશ્ચિત્ત કહેલ છે. આ બંને સૂત્રોમાં દાનપિંડ અને દાનકુળની અપેક્ષાએ જ નિત્યપિંડ શબ્દનો પ્રયોગ છે, એમાંથી અન્ય મનમાન્યો અર્થ કાઢવો સર્વથા અયોગ્ય-અનુચિત છે. આ સિવાય ૩૨ સૂત્રમાં નિત્ય પિંડનું અન્ય કોઈ કથન છે જ નહીં. દશવૈકાલિક સૂત્રમાં પ્રયુક્ત ‘નિયાગ’ અનાચારનો અર્થ પૂર્વાચાર્યોની વ્યાખ્યાઓ દ્વારા પહેલાં જ સ્પષ્ટ કરી દેવામાં આવેલ છે કે કોઈના દ્વારા નિમંત્રણપૂર્વક, આદરપૂર્વક, નિયત કરી, નિત્ય દેવામાં આવતું વિશિષ્ટ ભોજન યા વિશિષ્ટ પદાર્થ ‘નિયાગ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy