SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ |. પ૮ | | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ચાલે છે, પરંતુ ભગવતી સૂત્ર, ઠાણાંગ સૂત્ર અને વ્યવહાર સૂત્રમાં બતાવવામાં આવેલ છે કે ધારણા–પરંપરાની અપેક્ષાએ આગમ પ્રમાણને સદા પ્રાથમિકતા આપવી જોઈએ. બધા જ વ્યાખ્યાકારોએ એક મતથી જે નિયાગનો અર્થ કરેલ છે તેનાથી આ પરંપરા નિરાધાર જ પ્રતીત થાય છે. પ્રાચીન કાળમાં આવા અર્થની તેમજ પ્રવૃત્તિની પરંપરા ન હતી, એ સ્પષ્ટ છે. સેંકડો હજારો સાધુ-સાધ્વીજીઓનું એક સાથે વિચરણ તેમજ અલગ-અલગ ગોચરી જવાના આગમ વર્ણનોથી પણ એ સ્પષ્ટ થાય છે કે, તે સમયે આવી નિત્યપિંડદોષ માનવાની કોઈ પરંપરા ન હતી. અનિકસેન આદિ છ મુનિનું ત્રણ સિંઘાડામાં દેવકી રાણીના ઘરે પ્રવેશવું તે પણ આ વાતની પુષ્ટિ કરે છે. અર્જુન માળી, ધર્મરુચિ અણગાર આદિના વર્ણનોથી તથા અનેક અભિગ્રહ તેમજ પડિમાધારણપૂર્વક ગોચરી જવાના જુદા-જુદા સાધુઓના વર્ણનથી પણ એ સ્પષ્ટ થાય છે કે તેવો કોઈ નિયમ એ સમયે ન હતો, છતાં પણ આ નિયમની જો કલ્પના કરવામાં આવે તો તે સમયના વિચરણ વર્ણનો તેમજ ગોચરીના આગમ વર્ણનોની સંગતિ થઈ શકશે નહિ. તેથી સ્પષ્ટ થાય છે કે નિમંત્રણ વિના સહજ સ્વાભાવિકરૂપે કોઈના ઘેર ગોચરી જવું એ કોઈ સ્વતંત્ર દોષ નથી. તે અનાચાર પણ નથી અને ૪ર દોષમાં પણ તે સમાવિષ્ટ નથી. જ્ઞાનમુનિ : ભંતે! આ પ્રકારે હંમેશાં કોઈના ઘેર ગોચરી જવાથી અનેક દોષ લાગશે અને લોકોની ભાવના ઘટી જશે. સુંદરમુનિ મહાભાગ! લોકોની ભાવના વધવી કે ઘટવી તે તો ગોચરી જનારના ભાષા, વ્યવહાર, વિવેક આદિ પર નિર્ભર રહે છે. અનેક એષણા દોષો લાગવામાં પણ ગોચરી જનારમાં વિચક્ષણતા, ગવેષણા રુચિ તેમજ અનુભવની ખામીનું કારણ જ મુખ્ય હોય છે. અયોગ્ય ગવેષક બે દિવસે કે ચાર દિવસે ગોચરીએ જાય તો પણ અનેક દોષ લાગી જાય છે. તે સવાર-સાંજના ઘરોને નિયત કરી દે છે, અવિવેક અને આસક્તિથી વસ્તુઓ લે છે. આ પ્રકારે દોષો લાગવાનું મુખ્ય કારણ તો ગોચરી જનારની અયોગ્યતા છે. તે માટે આગમોક્ત ગુણોથી સંપન્ન, યોગ્યને જ ગોચરીનું કાર્યદેવામાં આવવું જોઈએ. વાસ્તવમાં જોવા જઈએ તો યોગ્ય કે અયોગ્ય હર કોઈને ગોચરીએ મોકલવાની જે પરંપરા છે, તેનો જ સુધારો કરવો આવશ્યક છે. તેમને સુધાર્યા વિના આગમ સિવાયના અનેક સેંકડો નિયમો પણ કરી દેવામાં આવે તો પણ દોષોથી બચી શકતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy