SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્રઃ દશવૈકાલિક સૂત્ર પરિશિષ્ટ જ્ઞાનમુનિ ઃ ભંતે ! મને તો એવો ખ્યાલ છે કે આજે ગોચરી કરેલ ઘરે કાલે ગોચરી એ જવું તે અનાચાર છે. સુંદરમુનિ : પંડિતજી ! આપ આ સંબંધી કંઈક સ્પષ્ટીકરણ કરશો ? ન્યાયચંદ્રજી : ભંતે ! અનાચાર અધ્યયનમાં તથા અન્ય આગમોમાં એવો કોઈ અનાચાર કહેવામાં આવેલ નથી. 'નિયાગ' નામનો અનાચાર આવેલ છે, તેનો અર્થ પૂર્વચાર્યો એ આ પ્રકારે કરેલ છે. ૫૦ (૧) દશવૈકાલિક (અગસ્ત્ય સિંહ સૂરિ) ચૂર્ણિ = 'નિમંત્રણપૂર્વક નિયત કરી પ્રતિદિન ભિક્ષા ગ્રહણ કરવી તે 'નિયાગ દોષ' છે, પરંતુ સ્વાભાવિક જ કયારેક કયાંય પ્રતિદિન ગોચરીએ ચાલ્યા જાય તો 'નિયાગ' દોષ નથી !' (૨) દશવૈકાલિક ચૂર્ણિ (જિનદાસગણિ) : નિયાગનો અર્થ છે, નિયત કરવું, નક્કી કરવું. જે આદરપૂર્વક આમંત્રિત કરવાથી થાય છે. યથા− ભંતે ! આપ અમુક સમયે અમુક વસ્તુ માટે મારા ઘેર પ્રતિદિન લાભ આપજો,' એવું કહે તેના ઘેર યથાસમયે હંમેશાં જવું, એ નિયાગ પિંડદોષ છે. પરંતુ નિયંત્રણ વિના મુનિ સ્વાભાવિક રીતે ક્યાંય પ્રતિદિન ગોચરીએ જાય તો તે નિયાગ દોષ અનાચાર નથી. – ચૂર્ણિ. (૩) ટીકાકાર હરિભદ્રસૂરિએ પણ આ પ્રકારે જ અર્થ કરેલ છે. (૪)દીપિકા તેમજ (૫) અવસૂરિ નામની વ્યાખ્યામાં પણ આવા જ ભાવને સમ્મત અર્થ કહેવામાં આવેલ છે. આ પ્રકારે બધા પ્રાચીન આચાર્ય તેના અર્થમાં એકમત છે. જ્ઞાનમુનિ ઃ દશવૈકાલિક સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં પણ ‘નિયાગ’ દોષ કહેલ છે, તેનું શું તાત્પર્ય છે ? : ન્યાયચંદ્રજી : હા ભંતે ! ત્યાં નિયાગ પિંડને ગ્રહણ કરવાથી તેમાં થનાર હિંસાનું અનુમોદન કરવાનું બતાવ્યું છે. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે આ દોષ, આજ ગોચરી કરેલ ઘરે બીજા દિવસે ગોચરી લેવા માત્રથી નથી લાગતો, પરંતુ નિયત, નિમંત્રણપૂર્વક જવાથી લાગતાં અનેક દોષોથી સંબંધિત છે, ત્યારે જ સૂત્રોક્ત હિંસાનું અનુમોદન લાગવાનું કથન સંગત થઈ શકે છે. જ્ઞાનમુનિ : ભગવતી સૂત્ર શ. ૬ ઉ. ૯ તેમજ પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં 'અણાહૂય' દોષ કહેવામાં આવેલ છે, તેનો અર્થ શું છે ? જ્ઞાનમુનિ : હા ભંતે ! ત્યાં પણ તેની વ્યાખ્યામાં બતાવવામાં આવેલ છે કે આમંત્રણપૂર્વક કોઈના ઘરે નિત્ય ગોચરી જવું આહૂત દોષ છે, આ દોષથી રહિત આહાર ગ્રહણ કરવો અણાહૂત કહેવામાં આવેલ છે. સુંદરમુનિ ઃ આ પરંપરા કેવી રીતે થઈ ગઈ કે આજે સ્પર્શેલ ઘેર કાલે આહાર પાણી ન લેવા અને સવારે સ્પર્શેલ ઘરે સાંજે ન જવું ? ન્યાયચંદ્રજી : ભંતે ! સમયે-સમયે કોઈ દષ્ટિની પ્રમુખતાથી ઘણી પરંપરાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy