SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ | પ૬L મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત (૧૩) સૂતા સમયે અને ઊઠતા સમયે કંઈક આત્મહિત વિચાર અવશ્ય કરવા. (૧૪) ક્રોધનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે મૌન રહેવું, આવેશયુક્ત બોલવાની પ્રવૃત્તિનો ત્યાગ કરવો. (૧૫) યથાસમયે સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ અવશ્ય કરવા. આ સાવધાની રાખવી એ ગચ્છગત અને એકાકી વિહારી બધાં જ તરુણ ભિક્ષુઓ માટે અત્યન્ત હિતકર છે. આ સાવધાનીઓથી યુક્ત જીવન બનાવવાથી વિકાર ઉત્પન્ન થવાની સંભાવના પ્રાયઃ રહેતી નથી. પરિશિષ્ટ-૨, અધ્યયન- ૩છેષ્ઠ નિયાગ પિંડ(નિત્ય ગોચરીની ચર્ચા): સંવાદ [જ્ઞાનમુનિ અને સુંદરમુનિ તેમજ પંડિત ન્યાયચંદ્રજીની આ ચર્ચાનો વિષય છે– નિયાગ પિંડ અનાચારનો અર્થ નિર્ણય. જ્ઞાનમુનિ: ભતે ! નિયાગ પિંડ નામના ત્રીજા અનાચારનો અર્થ શું છે? સુંદરમુનિ ઃ મહાભાગ! નિમંત્રણપૂર્વક નિશ્ચય કરી કોઈના ઘરે નિત્ય ભિક્ષાર્થે જઈ વિશિષ્ટ પદાર્થ ગ્રહણ કરવા, તે નિયાગ પિંડ – નિત્ય અગ્રપિંડ દોષ છે. જ્ઞાનમુનિ: ભંતે! અગર નિશ્ચય કર્યા વિના નિત્ય જાય તો? સુંદરમુનિ મહાભાગ! અગર સ્વાભાવિક જ સ્વેચ્છાથી સાધુ કોઈના ઘેર કોઈપણ સમયે કોઈપણ દિવસે ભિક્ષાર્થે જાય તો “નિયાગ' દોષ થતો નથી. જ્ઞાનમુનિ ભંતે! શું આજે ગોચરી કરેલ ઘરેથી કાલે ગોચરી કરી શકાય છે? સુંદરમુનિ મહાભાગ! ભિક્ષુ અનિયત ચારી અને અતિથિ છે. તેથી તેનો ક્યાંય પણ કોઈના પણ ઘરે ભિક્ષાર્થે જવા કે ન જવાનો સમય નિયત હોતો નથી. તે સવારે, બપોરે, સાંજે, કાલે, પરમદિવસે ગમે ત્યારે કોઈપણ જગ્યાએ નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરી શકે છે. જ્ઞાનમુનઃ ભતે! શું એવું કરવાથી નિત્યપિંડ દોષ નથી લાગતો? સુંદરમુનિઃ મહાભાગ! એષણાના ૪ર દોષોમાં આવો કોઈ દોષ જ બતાવવામાં આવેલ નથી. જ્ઞાનમુનિ ભંતે ! આચારાંગ સૂત્ર અને નિશીથ સૂત્રમાં નિત્યપિંડ દોષનું કથન છે તેમજ પ્રાયશ્ચિત્ત પણ કહેલ છે. સુંદરમુનિ મહા ભાગ! આ બંને સૂત્રમાં પ્રયુક્ત નિત્યપિંડ તો એક “દાન પિંડ રૂપ દોષ છે, જે ત્યાંના મૂળપાઠ અને વ્યાખ્યાઓથી સ્પષ્ટ છે. ત્યાં એવા નિત્ય નિયત દાન દેવાવાળા કુળોમાં ગોચરી જવાનો જ નિષેધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy