SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્રઃ દશવૈકાલિક સૂત્રનો સારાંશ પણ જો સાધુ અવસ્થામાં હોત તો બહુ મોટો આચાર્ય કે બહુશ્રુત વગેરે બન્યો હોત. (ર૦) વાસ્તવમાં જો મુનિ જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત બની સંયમ તપમાં લીન બને તો સંયમ મહાન સુખકર છે, તેમજ ઉચ્ચ દેવલોક સમાન આનંદકર છે પરંતુ સંયમમાં અરુચિ રાખનાર માટે એ જ સંયમ મહાન નરક સમાન દુઃખકર બની જાય છે. (ર૧) આવું જાણી સદા સંયમમાં રમણતા કરવી જોઈએ અર્થાત્ સ્વાધ્યાય, ધ્યાન, તપમાં તલ્લીન રહેવું જોઈએ. (રર) સંયમથી વ્યુત થયેલાં તેમજ ભોગોમાં આસક્ત બનેલા જીવને અપયશ, અપકીર્તિ અને દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. (ર૩) મુનિ એવો વિચાર કરે કે– નરકના અસંખ્ય વર્ષોના દુઃખની સામે સંયમના માનસિક આદિ દુઃખ અત્યંત નગણ્ય છે; આ દુઃખ, આ શરીર અને આ ભોગ બધું જ અલ્પકાલીન છે, ક્ષણિક છે. (ર૪) તેવી રીતે પોતાના આત્માને અનુશાસિત કરી હિત-અહિત, હાનિ-લાભનો વિચાર કરી સંયમમાં સ્થિર રહેવું જોઈએ અને મન, વચન અને કાયાથી જિનાજ્ઞાની આરાધના કરવી જોઈએ. (બીજી ચૂલિકા) (૧) સંસારની સમસ્ત વૃત્તિઓ અનુશ્રોત ગમન રૂપ એટલે કે પ્રવાહમાં ચાલવા સમાન છે અને સંયમના સમસ્ત આચાર પ્રતિશ્રોત ગમનરૂપ = પ્રવાહની સામે ચાલવા સમાન છે. ખરેખર ઇચ્છા-સુખ, ઇન્દ્રિય-સુખ તેમજ લોક પ્રવાહની અપેક્ષાએ સંયમના આચાર નિયમ વિપરીત કેવિલક્ષણ જ હોય છે. ઇન્દ્રિયાભિમુખ પ્રવૃત્તિ અને ૧૮ પાપ સેવન સંસાર(અનુશ્રોત) છે. ઇન્દ્રિયોથી વિરક્ત (ઉદાસીન) પ્રવૃત્તિ અને પાપ ત્યાગ પ્રયત્ન એ ધર્મ પ્રવૃત્તિઓ(પ્રતિશ્રોત ગમન) છે. (૨) સંયમચર્યા, ગુણ, નિયમ આદિ સંવર તેમજ સમાધિની મુખ્યતાવાળા છે. (૩) અનિયતવાસ, અનેક ઘરેથી આહાર પ્રાપ્તિ, અજ્ઞાત ઘરોથી અલ્પઆહાર ગ્રહણ, એકાત્તવાસ, અલ્પઉપધિ એ મુનિના પ્રશસ્ત આચાર છે. આકીર્ણ = જનાકુલ સંખડી(સમૂહ ભોજન) વર્જન; દષ્ટ સ્થાનેથી દેવામાં આવતો આહાર જ ગ્રહણ કરવો; પશ્ચાત્ કર્મ આદિ દોષ વર્જન, મદિરા, માંસ, મત્સ્ય આહારનો ત્યાગ; વારંવાર કાયોત્સર્ગ તેમજ સ્વાધ્યાયના યોગોમાં જ પ્રયત્નશીલ રહેવું તે ભિક્ષુના આવશ્યક આચાર છે. કોઈપણ શયનાસનમાં કે પ્રામાદિમાં મમત્વભાવ ન કરવો, પ્રતિબદ્ધ ન થવું, ગૃહસ્થ સેવા તેમજ તેમને વંદન-પૂજન ન કરવા, સંક્લેશકારી સાથીઓ સાથે ન રહેવું, સંયમ ગુણોની હાનિ ન થાય તેનું ધ્યાન રાખવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy