SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પર | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત નામની પ્રથમ ચૂલિકા છે. તેમાં સંયમના પ્રતિ રતિ-રુચિ ઉત્પન્ન કરનાર વાક્યઉપદેશ વાક્ય કહેવામાં આવેલ છે. (૨) શ્રમણનું સંયમમાં તો ચિત્ત હોય, પરંતુ તેને સામુહિક જીવનમાં શાંતિ-સમાધિ તથા સંયમ આરાધનામાં સંતોષ ન હોય અને અન્ય કોઈ યોગ્ય સમાધિકારક સાથી ન મળે તો એકલા જ વિચરણ કરી આરાધના કરવી. તેના સ્પષ્ટીકરણ માટે “ વિવિક્ત ચર્ચા' નામની બીજી ચૂલિકા છે. વિવિકત ચર્ચા એ “એકલ વિહાર ચર્ચાનો જ પર્યાયવાચી શબ્દ છે. અસ્થિર આત્માવાળાએ આ પ્રકારે વિચાર કરવો જોઈએ(૧) હે આત્મન્ ! આ દુષમ કાળ—પાંચમા આરાનું જીવન જ દુઃખમય છે. (૨) ગૃહસ્થ લોકોના કામભોગ અતિઅલ્પ અને અલ્પકાલીન છે. (૩) સંપર્કમાં આવનાર લોકો બહુ જ માયાવી અને સ્વાર્થી હોય છે. (૪) આ ઉત્પન્ન થયેલ દુઃખ અધિક સમય તો રહેનાર નથી જ. (૫) ગૃહસ્થ જીવનમાં ઘણા બધા સામાન્ય લોકોની ગરજ કરવી પડે છે. () ગૃહસ્થ બનવું તે વમન કરેલ વસ્તુને ચાટવા એટલે ફરી ખાવા સમાન છે. (૭) ફરી ગૃહસ્થી બનવું તે નિમ્નસ્તરમાં જવાની અથવા દુર્ગતિની તૈયારી છે. (૮) ગૃહસ્થ જીવનમાં ધર્મ પાલન અતિ કઠિન હોય છે. (૯-૧૦) રોગ તેમજ સંયોગ-વિયોગના સંકલ્પ આત્મ સુખોનો નાશ કરનાર છે. (૧૧-૧૨) ગૃહવાસ એ કલેશ, કર્મબંધ અને પાપથી પરિપૂર્ણ છે અને સંયમ એ કલેશ રહિત, મોક્ષરૂપ અને પાપ રહિત છે. (૧૩) ગૃહસ્થના સુખ-કામભોગ અત્યન્ત તુચ્છ સામાન્ય છે. (૧૪) પોતાના શુભાશુભ કર્મ અનુસાર સુખ-દુઃખ ભોગવવા આવશ્યક છે. (૧૫) મનુષ્ય જીવન ઝાકળ બિંદુ સમાન અસ્થિર છે. (૧૬) હે આત્મન્ ! નિશ્ચયથી પૂર્વે બહુ જ પાપ કર્મોનો સંચય કરી રાખેલ છે. (૧૭) પૂર્વ સંચિત દુષ્કૃતનું ફળ અવશ્ય ભોગવવું પડશે અથવા તપથી ક્ષય કરવું પડશે, ત્યારે જ મુક્તિ મળી શકે છે. (૧૮) કોઈપણ અસ્થિર આત્મા સંયમને છોડ્યા બાદ પશ્ચાત્તાપ કરે છે. દેવલોકના ઈન્દ્ર, દેવ, રાજા, વગેરે પોતાના સ્થાનેથી શ્રુત થઈ નિમ્ન સ્થાનોને પ્રાપ્ત કરી પૂર્વ અવસ્થાનું સ્મરણ કરીને ખેદ કરે છે. તેવી જ રીતે યુવાની વીતી ગયા પછી વૃદ્ધાવસ્થામાં તે સંયમ ત્યાગનાર ખેદ કરે છે. (૧૯) જયારે કુટુંબ પરિવારની અનેક ચિંતાઓથી ચિંતિત થાય છે, ત્યારે કીચડમાં ફસાયેલહાથીની જેમ પશ્ચાત્તાપ કરે છે. તેને એ વિચાર આવે છે કે અગર હું આજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy