SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૨) શ્રુત– ‘શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થશે. ચિત્ત એકાગ્ર બનશે', તેવું સમજી અધ્યયનમાં લીન રહેવું. શ્રુતસંપન્ન મુનિ પોતાને અને બીજાઓને સંયમમાં, ધર્મમાં સ્થિર રાખી શકે છે. તેથી જ મુનિએ હંમેશાં શ્રુતનું અધ્યયન કરતા રહેવું જોઈએ. (૩) તપ- આ લોકની કોઈપણ ઇચ્છા ન રાખતા તેમજ પરલોકની પણ ઇચ્છા ન રાખતા, એકાન્ત કર્મ નિર્જરા માટે તપ કરવું. તપથી યશ-કીર્તિની ચાહના પણ ન હોવી જોઈએ. ૫૦ (૪) આચાર– જિનાજ્ઞાને સદા પ્રમુખ રાખતા, તેમજ ગણગણાટ ન કરતાં મહાવ્રત, બ્રહ્મચર્ય, સંયમ, સમાચારી, પરીષહ સહન આદિનું કેવળ મુક્તિના હેતુથી તેમજ જિનાજ્ઞાની આરાધનાના હેતુથી પાલન કરવું જોઈએ. જિનાજ્ઞા વિરુદ્ધ અન્ય કોઈ હેતુ-લક્ષ્ય ન હોવું જોઈએ. (૫) આ ચારે ય સમાધિથી વિશુદ્ધ આત્મા વિપુલ, હિતકારી, સુખકારી, કલ્યાણકારી, નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે અર્થાત્ નરક આદિ ગતિઓના જન્મમરણથી સર્વથા મુક્ત બની જાય છે. દશમા અધ્યયનનો સારાંશ આ અધ્યયનમાં ભિક્ષુ કોણ હોય છે, તે બતાવતાં અનેક આચારોનો, ગુણોનો નિર્દેશ કરવામાં આવેલ છે. (૧) મુનિ નિત્ય ચિત્તને સંયમ સમાધિમાં રાખે, સ્ત્રીના વશમાં ન થાય, વમન કરેલ વિષયોની ઇચ્છા ન રાખે. (ર) મુનિ ભૂમિ ન ખોદે, ન ખોદાવે; કાચું પાણી ન પીવે, ન પીવાનું કહે; અગ્નિન પેટાવે, ન પેટાવવાનું કહે; પંખો કરે નહિ, કરાવે નહિ; લીલોતરીનું છેદન ન કરે, બીજને કચડતા ન ચાલે, સચેત કયારે ય પણ ન ખાય. (૩) અનેક ત્રસ અને સ્થાવર પ્રાણીઓની હિંસાનું કારણ જાણી મુનિ પોતાના ઉદ્દેશ્યથી બનેલ આહારને ન ખાય તેમજ પોતે ભોજન પકાવે નહીં અને અન્ય પાસે પકાવરાવે નહીં. (૪) મુનિ છકાયને આત્મવત્ સમજે, પાંચ મહાવ્રત પૂર્ણ પાળે, પાંચ આશ્રવથી સદા નિવૃત્ત રહે. (૫) મુનિ ચાર કષાયનું સદા વમન(ત્યાગ) કરે, જિનાજ્ઞાનું દઢતાથી પાલન કરે, ગૃહસ્થના કૃત્ય ન કરે. (૬) મુનિ સમજપૂર્વક તેમજ ચિંતન યુક્ત સમ્યક્ત્વ, જ્ઞાન, તપ અને સંયમને ધારણ કરી મન, વચન અને કાયાથી સુસંવૃત બને. (૭) મુનિ મળેલ આહાર પરસ્પર વહેંચીને ખાય, તેનો સંગ્રહ ન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy