SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ આચારશાસ્ત્રઃ દશવૈકાલિક સૂત્રનો સારાંશ ૪૯ (૪) દેવ બનનારમાં પણ અવિનીતોની હીન દશા થાય છે અર્થાત્ તેને પણ કિલ્વિષિક આદિની પ્રાપ્તિ થાય છે. (૫) શિલ્પકળા શીખનાર વિદ્યાર્થી અધ્યાપકોના અનેકો કષ્ટ સહન કરીને પણ સ્થિર બુદ્ધિથી અભ્યાસ કરે અને ત્યારે જ તે પારંગત થાય છે. (૬) તેથી મોક્ષાર્થી મુનિ આચાર્ય-ઉપાધ્યાયના અનુશાસનથી કયારેય પણ સંત્રસ્ત ન બને, તો જ તેને અક્ષય સુખ-નિધી પરમ નિર્વાણની પ્રાપ્તિ થાય છે. (૭) ફક્ત એક ભવના સુખના લક્ષ્યવાળા પણ કેટલા સહનશીલ બને છે? જ્યારે મુનિએ તો અનંત ભવભ્રમણમિટાવી પરમસુખી બનવા માટે પૃથ્વી સમાન મહાન સહનશીલ બની સંયમ આરાધના કરવી જોઈએ. (૮) આચાર્ય આદિ પ્રત્યે કયારેય પણ ખિન્ન બનવું નહિ. પરંતુ દરેક પ્રકારે વિનય ભક્તિ સુશ્રષાથી તેમની આરાધના કરવી. તેમના ઇશારા અને સંકેત માત્રને સમજી, નિર્દેશ અનુસાર પ્રવૃત્તિ કરવી. (૯) અવિનીતની તેમજ અવગુણોને ધારણ કરનારની મુક્તિ થતી નથી. (૧૦) વિનયથી સંપન્ન શિષ્ય ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. ( ત્રીજે ઉદ્દેશક ) (૧) આ ઉદ્દેશકમાં પૂજ્ય કોણ હોય છે, તે બતાવવા ભિક્ષુના અનેક ગુણોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય વિષય છે– ૧. વિનય ૨. શુદ્ધ અજ્ઞાત ભિક્ષા ૩. અલ્પ ઇચ્છા ૪. વચનરૂપી બાણોને પોતાનો મુનિ ધર્મ સમજી સહન કરવા. ૫. ભાષા વિવેક દ નિંદાનો અથવા વિરોધ ભાવનો ત્યાગ ૭. લોલુપતા રહિત થવું ૮. મંત્ર-તંત્ર, નિમિત્ત, કુતૂહલથી દૂર રહેવું વગેરે. (ર) જે પ્રકારે સુપુત્રીને માતા-પિતા યોગ્ય વર સાથે સ્થાપિત કરે છે, તે પ્રકારે યોગ્ય શિષ્યને, ગુરુ આદિ શ્રેષ્ઠ શ્રુતસમ્પન્નતા વગેરે ગુણોથી પ્રતિષ્ઠિત કરે છે તેમજ ઉચ્ચ શ્રેણીમાં પહોંચાડી દે છે. (૩) તેથી ગુરુની આજ્ઞામાં રત રહેનાર મુનિ, સત્યરત, જિતેન્દ્રિય, કષાય મુક્ત, જિનમતમાં નિપુણ બની પૂજ્ય બની જાય છે અને અંતમાં કર્મ રજને પૂર્ણ નષ્ટ કરી મુક્ત બની જાય છે. | (ચોથો ઉદેશક) મોક્ષ પ્રાપ્તિ માટે ચાર પ્રકારની સમાધિ મુનિ ધારણ કરે – ૧. વિનય ૨. શ્રત ૩. તપ અને ૪. આચાર. (૧) વિનય– હિતકારી અનુશાસનનો સ્વીકાર કરવો, ગુરુની સુશ્રુષા કરવી અને અભિમાનને સદા અલગ રાખવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy