SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત કાયમ રાખવું જોઈએ. અન્ય લક્ષ્યોને સ્થાન ન દેતા તેનાથી મુક્ત રહેવું જોઈએ. સંયમ ગ્રહણનું લક્ષ્ય હોય છે– સ્વ આત્મ કલ્યાણ કરવું, શરીરનું મમત્વ ન રાખતાં ૨૨ પરીષહ જીતવા, સમભાવ રાખવો અને સંપૂર્ણ ઇચ્છાઓને, જીવનને જિન આજ્ઞામાં સમર્પિત કરી દેવા, તેમજ સમય માત્રનો પણ પ્રમાદ ન કરતાં, સદા સ્વાધ્યાય, ધ્યાન, વૈયાવૃત્યમાં લીન રહેવું, સાથે જ પોતાની ક્ષમતા તેમજ ચિત્ત સમાધિનો ખ્યાલ રાખવો, સર્વત્ર જરૂરી સમજવું જોઈએ. ૪૮ (૩૫) સ્વાધ્યાય અને શુભ ધ્યાનમાં લીન રહેનાર તેમજ વિશુદ્ધ ભાવથી તપમાં પુરુષાર્થ કરનાર, કષ્ટ સહિષ્ણુ, જિતેન્દ્રિય મુનિ રાગદ્વેષ અને પરિગ્રહથી મુક્ત થઈ જાય છે. નવમા અધ્યયનનો સારાંશઃ પ્રથમ ઉદ્દેશક (૧) ગુરુ, રત્નાધિક ભિક્ષુ અલ્પવય, અલ્પબુદ્ધિવાળા હોય તો પણ તેમનો પૂર્ણ વિનય કરવો જોઈએ. તેમની કયારે ય હીલના(આશાતના) ન કરવી જોઈએ. (ર) ગુરુ આદિની આશાતના સ્વયં ને જ અહિત કરનારી છે. (૩) અગ્નિ પર ચાલવું, આશીવિષ સર્પને છંછેડવો, જીવવાની ઇચ્છાથી વિષ ખાવું, પર્વતને મસ્તકથી તોડવાનો પ્રયત્ન કરવો, સૂતેલા સિંહને જગાડવો, તલવારની ધાર પર હાથથી પ્રહાર કરવો, વગેરે જેમ દુઃખકારી અને મૂર્ખતાપૂર્ણ પ્રવૃત્તિઓ છે તેમજ ગુરુ આદિની આશાતના, હીલના કરવી તે પણ સ્વયંના દુઃખોની એટલે સંસારની વૃદ્ધિ કરવા સમાન છે. તેથી મોક્ષના અભિલાષી મુનિએ સદા ગુરુ આદિના ચિત્તની આરાધના કરતાં થકા રહેવું જોઈએ. (૪) અગ્નિહોત્રી(હવન કરનાર) જીવન પર્યંત, તેમજ વિદ્વાન થઈ જવા છતાં પણ અગ્નિનું સન્માન-બહુમાન રાખે છે, તે પ્રકારે મુનિએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય તો પણ ગુરુ આદિના વિનય, બહુમાન કરતાં રહેવું જોઈએ. બીજો ઉદ્દેશક (૧) વૃક્ષના મૂળમાંથી જ સ્કંધાદિ ફળ પર્યન્ત વૃદ્ધિ થાય છે, તે પ્રકારે ધર્મમાં વિનય મૂળની સુરક્ષા તેમજ વૃદ્ધિથી મોક્ષ-ફળ પર્યન્ત બધાં જ ગુણોની ઉપલબ્ધિ થાય છે. અર્થાત્ આ જિનશાસન વિનયમૂળ ધર્મવાળું છે. વિનયથી યુક્ત મુનિને જ કીર્તિ, શ્લાઘા, શ્રુત આદિ સંપૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે. (૨) અવિનીત, અભિમાની, બોલવામાં ફુવડ, માયાવી વ્યક્તિ, પાણીના તીવ્ર પ્રવાહમાં પડેલ લાકડાની જેમ દુઃખમય સંસારમાં ગોથા ખાતા રહે છે. (૩) સંસારમાં પણ અવિનીત વિદ્યાર્થી અધ્યાપકોનો માર ખાય છે, અવિનીત હાથી-ઘોડા પણ મારપીટથી વશમાં કરવામાં આવે છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy